ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
– આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ આવતી કાલે ઓગળી જવાનો છે.
અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?
– લાભશંકર ઠાકર
ર.પા.ની સોનલ અને આસિમની લીલાની જેમ લા.ઠા.ની કવિતામાં અવારનવાર “લઘરો” દેખા દેતો રહે છે. એમના એક સંગ્રહનું તો નામ જ “લઘરો” છે. આ લઘરા વિશે કવિ પોતે કહે છે, “તીવ્ર તાદાત્મ્યથી આત્મસાત્ કરેલા પરંપરિત જીવન અને કવન-ના ‘નેગેશન’માંથી લઘરો જન્મ્યો છે. જીવન અને કવનના ‘આરણ-કારણ’ના ચિંતનમાં લઘરો અટવાય છે. લઘરાના નામ-કરણમાં જ ઉપહાસ, વિડંબના, હાસ્ય છે. આ હાસ્ય કોઈ સામાજિક, રાજકીય, નૈતિક ‘સેટાયર’ નથી. અહીં ‘અન્ય’નો ઉપહાસ નથી. અહીં ઉપહાસ છે ‘સ્વ’-નો. સેટાયર કહેવો હોય તો અહીં મેટાફિઝિકલ સેટાયર છે. અહીં હ્યુમર છે, પણ તે કરુણથી અભિન્ન, ઇનસેપરેબલ છે. તેથી આ હ્યુમર તે ‘બ્લેક’ હ્યુમર છે. મનુષ્યજીવન-ના નામે તથા આજ લગીના મનુષ્યના કવનના નામે જે કંઈ આત્મસાત્ થયેલી આત્મ-પ્રતીતીઓ છે તે લઘરવઘર છે, દોદળી છે, આભાસી છે. એને ધારણ કરનારો ‘લઘરો’ છે. લઘરો Abstraction છે. લઘરો વ્યક્તિવિશેષ નથી. લઘરો સ્થલ-કાલસાપેક્ષ નથી. લઘરો Clown છે. Metaphysical comicality of clownનાં રૂપોનો અહીં આવિષ્કાર છે”
January 15, 2016 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
અને છતાં કાવ્યકંડુ
કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું
હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે
અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે
અને એને કોઈ પારિતોષિક આપે
તો આવો ભેદ-ભાવ શા માટે ?
હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ?
એનો કેમ પુરસ્કાર નહીં ?
કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ?
ક્રાન્તદૃષ્ટિ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની.
અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત
કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે.
સૂધબૂધ પણ વલુરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની
આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે.
– લાભશંકર ઠાકર
‘નવનીત સમર્પણ’ના તે સમયના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈને પત્ર લખતા લખતા જે કંઈ આ રચાયું એના વિશે કવિ પોતે જે કહે છે એ એમની કાવ્યપ્રક્રિયા સમજવામાં મદદરૂપ છે. લા.ઠા. કહે છે, “Verbal Gameનું મોટામાં મોટું સુખ એ એકલાં એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. કાવ્યની રચના પ્રક્રિયાના સંદર્ભમાં મારો અનુભવ કંઈક આ પ્રમાણે છે. ‘મૂડ’ હોય તો હું ‘વર્બલ ગેઇમ’ રમું છું. શા માટે ? એવી ચૈતસિક રુચિ (એપ્ટિટ્યુડ) છે. થોડા શબ્દો કે પંક્તિથી રમત આરંભાય. આ રમત કેવી કેવી આકૃતિઓ ધારણ કરશે ? રમત પૂરી થશે કે અપૂર્ણ રહેશે ? કંઈ કશી જાણ નથી હોતી. રમત શરૂ થતાં શબ્દો, પંક્તિઓ, લય રમતનાં નિયમો રચાતાં જાય છે અને હું એ નિયમોને વશ થતો જાઉં છું.
“કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે ? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે ? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું ? અને આમ વિચારવાથી તો કશુંક જામે છે તે જામવાથી પણ શું ? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય -”
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચો લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
આ કવિને ખાસ વાંચ્યા નથી. અમૂર્ત કવિતા સમજાતી નથી. પરંતુ આ કવિતા સીધીસાદી અને ચોટદાર છે. વ્યંગાત્મક કાવ્ય છે છતાં અર્થગાંભીર્ય લગીરે ન્યૂન નથી.
(પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય કટાવ છંદમાં “ગાગાગાગા”ના ચાર અનિયમિત આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે, ભલે કવિ ‘પાણીપોચો લય’ શબ્દ કેમ ન પ્રયોજતા હોય !)
January 13, 2016 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
એ અવિરત એકધારું આરપાર પોતાને જ વીંધે છે.
તો છોડી દે ને.
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
કશુંય છૂટતું નથી.
અંદર ને અંદર એકધારો અતિશય ગૂંગળાયા કરું છું.
. પણ ઇંડું ફૂટતું નથી.
‘છૂટતું નથી’ – ના પ્રાસમાં ‘ફૂટતું નથી’ આવ્યું;
. ને ‘આવ્યું’ના પ્રાસમાં દાતણને વાવ્યું
આમ અગડં બગડં ઊછળવા છતાં યે
. આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
કાં તો એ એવું પાત્ર છે મદ્યવું જે કદિ ખૂટતું નથી.
કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.
– લાભશંકર ઠાકર
કવિના “ટોળાં અવાજ ઘોંઘાટ” સંગ્રહમાંના ‘ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી’ શીર્ષકવાળા દીર્ઘકાવ્યનો અંતભાગ અહીં રજૂ કરું છું. આખું કાવ્ય કાવ્યસર્જનપ્રક્રિયા સાથે સંકળાયેલું છે.
લા.ઠા.ની કવિતામાં સીધો અર્થ શોધવા જઈએ તો ઊંધે મોંએ પટકાવાની પૂરેપૂરી ખાતરી છે. કવિ કોઈ ઇમેજમાં બંધાવા માંગતા નથી. કવિ તરીકે એમણે શરૂઆત કરી છંદોબદ્ધ કાવ્યોથી. પહેલા સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’નું નામ પણ છંદમાં. પણ તરત જ કવિ છંદના બંધન તોડી-ફોડીને આગળ વધી ગયા. અછાંદસમાં પણ કવિ સતત પોતાની રીત-ભાતને તોડતા-ફોડતા જ રહ્યા. એટલે જ લા.ઠા.ને માણવા હોય તો એમના શબ્દોની પેલેપાર જઈને એમને મળવું પડે. શબ્દો જે કહે છે એ તો સંભળવાનું જ છે પણ શબ્દોની ગોઠવણીમાં રહેલો ધ્વનિ ખાસ સાંભળવાનો છે. અને આ બંને જગ્યાએ લા.ઠા.ને મળી લો પછી આખી કૃતિમાંથી જે વ્યંજના સરવાળે ઊભી થાય છે એને પણ ધ્યાનમાં લેવાની. આમ, આ ત્રણેય સ્તરે ભાવક સાબદો હોય તો જ કાવ્યપદારથ સાંપડશે. ક્યારેક કશુંય હાથમાં નહીં આવે અને માત્ર એક અનુભૂતિ જ ભાવકની ભીતરે સર્જાય. આ નકરી નિર્વસ્ત્ર અનુભૂતિ પણ લા.ઠા.ની કવિતા જસ્તો.
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
– લાભશંકર ઠાકર
પરંપરાગત કવિતામા માણસની સિધ્ધિઓ અને શક્તિઓનું ગાન હોય છે. અહી એનાથી અલગ, માણસની અપૂર્ણતા અને સીમાઓના સ્વીકારનું ગાન છે. પોતાની ઈચ્છાઓ, ચિંતાઓ, સપનાઓ, ઇન્દ્રિયો – કશા પર આપણો કાબૂ નથી. કવિ પોતાના સાહિત્યકાર મિત્રોને યાદ કરાવે છે કે શબ્દ કે મૌન પર પણ આપણો કાબૂ નથી. આ આત્મવંચનાની નહી, આત્મદર્શનની કવિતા છે.
લા.ઠા.ને અંજલીરુપે એમની કેટલીક કવિતાઓ પ્રસ્તુત કરવાનો વિચાર છે. એમા પહેલી કવિતા આ યાદ આવે છે. લા.ઠા. પરંપરાગત કવિતાથી આધુનિક કવિતા તરફ કેવી સહજતાથી વળ્ય઼આ એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કાવ્ય઼માં પૂરો લય છે પણ એબ્સર્ડ કવિતાના અંશ દેખાઈ આવે છે. પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.
આ કાવ્યના લયને ચાર ચાંદ લગાવી દે એવા કાવ્યપઠન માટે ખાસ આભાર: ડો.નેહલ પંડ્યા(સુરેન્દ્રનગર) કોલેજકાળમાં આ કવિતાના પઠન માટે નેહલને અનેક ઇનામો મળેલા. એટલાન્ટાની સફર વખતે આ કવિતા રેકોર્ડ કરી લીધી ત્યારે ખ્યાલ નહોતો કે લા.ઠા. ને અંજલી આપવા વપરાશે.
January 6, 2016 at 4:25 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કવિ લાભશંકર ઠાકરનું આજે અવસાન થયું છે.
કોઇ બીજા કવિના મૃત્યુ માટે ‘નાઠા’ શબ્દ વાપરો તો ખરાબ લાગે. પણ લા.ઠા. માટે ‘નાઠા’ને બદલે બીજો કોઇ ‘ડાહ્યો’ શબ્દ વાપરો તો ખરાબ લાગે!
ખાલી ‘લા.ઠા.’ના નામથી ઓળખાતા આપણી ભાષાના તોફાની કવિ એક આગવું વ્યક્તિત્વ હતા.આધુનિક ગુજરાતી કવિતાને ઘડવામાં એમનો મોટો હાથ. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી શરુ થયેલી એમની કાવ્યયાત્રા સમય જતા અમૂર્ત કવિતા તરફ જતી રહેલી. વીસ ઉપર કાવ્યસંગ્રહો. એક એકથી ચડિયાતા પ્રયોગો એમણે કર્યા. અમૂર્તને શબ્દમા અવતરવાની કોશિશ છેલ્લા વર્ષો સુધી ચાલુ રહી. એમની કવિતામાં એક જ નિયમઃ કવિતામાં કોઈ નિયમ ન હોય. એટલે જ એમની કવિતામાં બીજુ ભલે કંઇ સમજ પડે કે પડે, પણ ચાંદીની જેમ ચમકતી સચ્ચાઇ તરત જ દેખાઇ આવે.
આખી જીંદગી એમણે કાળજી રાખેલી કે રખેને પોતે એક સંસ્થા ન બની જાય. એ હેતુસર એમણે દરેક નિયમને તોડવાની સતત કોશિશ કરેલી. આદિલ મન્સૂરી અને બીજા મિત્રો સાથે ‘રે મઠ’માં સાહિત્યિક તોફાનોની આખી વણઝાર સર્જેલી. એક તબક્કે પુરસ્કારો સ્વીકારવાનું એમણે બંધ કરેલું. પછી લાગ્યું કે પુરસ્કારનો અસ્વીકાર કરવાની પણ પરંપરા બની જશે એટલે પુરસ્કાર સ્વીકારવાનું ચાલુ કરેલું.
કવિ ઉપરાંત અવ્વલ દરજ્જાના નાટ્યકાર. ‘પીળું ગુલાબ’ અને ‘બાથટબમાં માછલી’ એટલું જ કર્યુ હોત તો ય ઘણુ હતું. પણ લા.ઠા.એ એનાથી ઘણુ ઘણુ વધારે સર્જન કર્યુ. ઉત્તમ નવલકથાઓ અને નિબંધો પણ લખ્યા.
સદા અણીશુદ્ધ ચેતનાની શોધમાં વ્યસ્ત લા.ઠા. એ પોતાની જાત માટે એક કવિતામાં લખેલુંઃ
વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.
આ
આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.
કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ…
January 2, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાર્ગવ ઠાકર
બધાં વળગણ, બધા સગપણ, બધું મિથ્યા છે, છોડી દે,
તું કેળવ આટલી સમજણ – બધું મિથ્યા છે, છોડી દે.
કરચલીઓ ત્વચા પરની સહજતાથી ઝીલી લઈને,
કહે છે આટલું દર્પણ – બધું મિથ્યા છે, છોડી દે.
નથી સંયમ, નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
તો ભગવા કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે, છોડી દે.
હું ઓજારો લઈ કંડારવા બેસું મહેચ્છાઓ,
મળે ત્યાં એટલી ટાંચણ, બધું મિથ્યા છે, છોડી દે.
પરમને પામવા શરણું જ પૂરતું છે પ્રતીક્ષાનું,
વરસ, મહિના, દિવસ કે ક્ષણ બધું મિથ્યા છે, છોડી દે.
– ભાર્ગવ ઠાકર
બધું મિથ્યા છે, છોડી દે કહેવું કેટલું સરળ છે ! અને કવિએ કેટલી સરસ રીતે આખી વાતને ગઝલના એક-એક શેરમાં રજૂ પણ કરી છે ! પણ આ નિગ્રહવૃત્તિને અમલમાં મૂકવી ? છોડી દે…
હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.
– મનોજ ખંડેરિયા
પ્રત્યેક શેરમાં અલગ કથની છે….. ઉદાહરણ તરીકે મત્લાને લઈએ – ‘શૂન્યતા’ શબ્દ ખૂબ વિચારપૂર્વક પ્રયોજાયો છે. ઈશ્વર એટલે સંપૂર્ણતા અને તેથી શૂન્યતા ! સંપૂર્ણતા અને શૂન્યતા ભિન્ન નથી. આ એક અર્થ છે. શૂન્યતાનો બીજો અર્થ થઇ શકે ઈશ્વરને અંધતાપૂર્વક સ્થૂળ રીતે પૂજતી માનવજાતની પ્રજ્ઞા. ઈશ્વર જાણે આવા વિશાળ શૂન્યપ્રજ્ઞોના ટોળામાં સાવ એકલો પડી ગયો છે !
December 28, 2015 at 3:13 AM by તીર્થેશ · Filed under ઉમર ખૈયામ, રુબાઈયાત
“Ah, make the most of what we yet may spend,
Before we too into the Dust descend;
Dust into Dust, and under Dust to lie
Sans Wine, sans Song, sans Singer, and–sans End!
Alike for those who for To-day prepare,
And those that after some To-morrow stare,
A Muezzin from the Tower of Darkness cries
“Fools! your Reward is neither Here nor There.”
ધૂળ-માટીનો દેહ ધૂળમાં મળે તે પહેલાં પ્રત્યેક ક્ષણને જીવી લો, નહિતર એક અંતહીન અવસ્થામાં સરી જશો જ્યાં ન તો ગાન છે,ન તો પાન છે, ન તો ગાયક છે….. આવતીકાલની તૈયારીમાં આજ ને કુરબાન કરનારાઓ ! બાંગીનો પોકાર સાંભળો – ‘ મૂરખાઓ ! તમે સઘળું ગુમાવી રહ્યા છો ! ‘
[ભાવાનુવાદ]
― Omar Khayyám
ક્રાંતિકારી વાત છે- બે પ્રમુખ ધર્મ-ખ્રિસ્તી અને ઇસ્લામ-ની પાયાની વાત એ છે કે આ જન્મમાં જો તમે હસતા મ્હોએ દુઃખ સહેશો અને ધર્મમય જીવન ગાળશો તો તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. અર્થાત એક પ્રકારની લોભામણી આશા અપાય છે કે જે છેતરામણી પણ હોઈ શકે. મૃત્યુપશ્ચાતનું જીવન કોઈએ જોયું નથી. ઓમર ખય્યામ કે જે સૂફીસંત હતા, તેઓ સીધી જ વાત કરે છે- આવતીકાલની તૈયારીમાં આજ ને ગુમાવનારાઓ ! તમે બધું જ ગુમાવી રહ્યા છો !!!!!
December 26, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
એક લીલું પાન તારા હાથમાં છે,
પંખીની ઉડાન તારા હાથમાં છે.
જે મથે છે દૂર કરવા નામ તારું,
એમનું સન્માન તારા હાથમાં છે.
એમ ઝાલ્યું છે કમળનું ફૂલ જાણે,
ફૂલની મુસ્કાન તારા હાથમાં છે.
જીવ મારો ત્યાં જ વારંવાર મૂકું,
જીવનું સંધાન તારા હાથમાં છે.
સાવ અમથો ધ્યાનમાં બેઠો નથી હું,
મારું સઘળું ધ્યાન તારા હાથમાં છે.
– દિનેશ કાનાણી
બધા જ શેર સરસ. મત્લાના શેરમાં લીલું પાન અને પંખીની ઉડાનના સંદર્ભમાં બાળકો અને એમના ભવિષ્ય વિશે કેવો કૂમળો ઈશારો કરે છે ! સન્માન, સંધાન અને ધ્યાનવાળા શેર પણ મનનીય થયા છે.
તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ,
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર,
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે.
બૂઢાં ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.
– રમણીક અગ્રાવત
સ્વરૂપની દૃષ્ટિએ આમ તો આ કાવ્ય અછાંદસ છે પણ પહેલી બે પંક્તિ પ્રાસસહિત ગીતના ચાલમાં ચાલે છે એ જોતાં જ ઉમાશંકર જોશીનું ‘એક પંખીને કંઈક…’ કાવ્ય યાદ આવી જાય જેમાં પહેલી પંક્તિ છંદમાં લખીને કવિએ અછાંદસ કાવ્ય સિદ્ધ કર્યું છે.
સ્વરૂપને બાજુએ રાખીને કવિતા પર નજર માંડીએ તો તરત સમજાય છે કે કવિએ સાવ અનૂઠી રીતે દુષ્કાળગ્રસ્ત ઉનાળાનું વર્ણન કર્યું છે. તળાવની વચ્ચે પાણી નથી, તરસ છે અને બાવળની સજ્જડ ચોકી તો જાણે આપણી છાતી જ ભીંસતી હોય એવી અનુભવાય છે. અવ્વાવરુ પીપળાની ઉપર પાંદડા નથી બચ્યાં તો નીચે મૂળમાં પણ ઉધઈના પોડાં બાઝ્યાં છે. ગામમાં પણ કોઈ બચ્યું નથી એટલે કવિ ગામને બૂઢું કહે છે… સલામ, કવિ!
આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)
હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?
ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.
આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !
પૂછે છે કાયમ પતંગિયું ફૂલને –
તું ખીલે, તો ખીલવામાં ભૂલ થાય?
– મહેશ દાવડકર
સારી ગઝલ માણવામાં કંઈ ભૂલ થાય ?
ગઝલના ઉપાડમાં જ કવિ “હા” કહીને જીવવામાં ભૂલ થઈ શકે એનો મોકળો સ્વીકાર કરી લે છે પણ પછી તરત જે પ્રશ્ન પૂછે છે એ વિચાર માંગી લે એવો છે. આ પ્રશ્ન સાચવીને સમજીએ તો આપણા સંબંધોના સમીકરણોમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.
December 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં
તોય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી
ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર
કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા
આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને
ઊગવાની આશાઓ તોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
– તેજસ દવે
કેવું મજાનું ગીત ! ચોકલેટની જેમ ધીમે ધીમે ચગળો અને ઊંડી મજા માણો…
સંસારના સેંકડો ઘાથી ઘવાયા પછી જાગતા વૈરાગ્યનું ગીત. બધું છોડીને ચાલી નીકળીએ તો પણ સુનકારા અને મુંઝારા પીછો નથી છોડતા ને પરિણામે પરમધામપ્રાપ્તિ થતી નથી. ચોર્યાસી લાખના ચકરાવામાંથી નીકળીને દૂર ઊડી શકાય એ ઘડીએ જ તેજ પ્રવેશ શક્ય છે.
વાત જરાય નવી નથી પણ અંદાજ-એ-બયાં મેદાન મારી જાય છે. બે અંતરાની સાંકડી ગલીમાં વૈરાગ્યની વાતની ગતિ સ્પર્શી જાય એવી થઈ છે. અને ધામ અને રામના ત્રણ અંતરામાં કે-બે શબ્દોની ફેરબદલથી કવિ ઊંચું નિશાન તાકી શક્યા છે. વાહ !
चौड़ी सड़क गली पतली थी
दिन का समय घनी बदली थी
रामदास उस दिन उदास था
अंत समय आ गया पास था
उसे बता यह दिया गया था उसकी हत्या होगी
धीरे धीरे चला अकेले
सोचा साथ किसी को ले ले
फिर रह गया, सड़क पर सब थे
सभी मौन थे सभी निहत्थे
सभी जानते थे यह उस दिन उसकी हत्या होगी
खड़ा हुआ वह बीच सड़क पर
दोनों हाथ पेट पर रख कर
सधे क़दम रख कर के आए
लोग सिमट कर आँख गड़ाए
लगे देखने उसको जिसकी तय था हत्या होगी
निकल गली से तब हत्यारा
आया उसने नाम पुकारा
हाथ तौल कर चाकू मारा
छूटा लोहू का फव्वारा
कहा नहीं था उसने आख़िर उसकी हत्या होगी
भीड़ ठेल कर लौट गया वह
मरा पड़ा है रामदास यह
देखो-देखो बार बार कह
लोग निडर उस जगह खड़े रह
लगे बुलाने उन्हें जिन्हें संशय था हत्या होगी
– रघुवीर सहाय
આ કાવ્ય BBC દ્વારા ઘોષિત સદીના શ્રેષ્ઠ 10 હિન્દી કાવ્યોમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં સલમાનખાન જે રીતે નિર્દોષ છૂટી ગયો છે અને સમગ્ર ન્યાયવ્યવસ્થાના તેમજ પોલિસતંત્રના ગાલે સણસણતો મારીને નફ્ફટાઈપૂર્વક હસી રહ્યો છે , તે પરિસ્થિતિને હૂબહૂ આલેખાઈ છે અહીં.
चाह नहीं, मैं सुरबाला के
गहनों में गूँथा जाऊँ,
चाह नहीं प्रेमी-माला में बिंध
प्यारी को ललचाऊँ,
चाह नहीं सम्राटों के शव पर
हे हरि डाला जाऊँ,
चाह नहीं देवों के सिर पर
चढूँ भाग्य पर इठलाऊँ,
मुझे तोड़ लेना बनमाली,
उस पथ पर देना तुम फेंक!
मातृ-भूमि पर शीश- चढ़ाने,
जिस पथ पर जावें वीर अनेक!
– माखनलाल चतुर्वेदी
લયસ્તરોની हिन्दी मधुशालाનું આ આજે આખરી પુષ્પ. હિન્દી કવિતાઓની વાત આવે અને આ અમર કાવ્ય ચૂકી જવાય એ કેમ ચાલે ? સાવ ટચુકડું ગીત પણ એનો ઊંડો ભાવ યુગયુગાંતર સુધી પુષ્પિત રહેવા સર્જાયો છે.
ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया
ये इंसान के दुश्मन समाजों की दुनिया
ये दौलत के भूखे रवाजों की दुनिया
ये दुनिया अगर मिल भी जाये तो क्या है
हर एक जिस्म घायल, हर एक रूह प्यासी
निगाहो में उलझन, दिलों में उदासी
ये दुनिया है या आलम-ए-बदहवासी
ये दुनिया अगर मिल भी जाये तो क्या है
जहाँ एक खिलौना है इंसान की हस्ती
ये बस्ती है मुर्दा परस्तों की बस्ती
यहाँ पर तो जीवन से है मौत सस्ती
ये दुनिया अगर मिल भी जाये तो क्या है
जवानी भटकती है बदकार बन कर
जवां जिस्म सजते हैं बाजार बनकर
यहाँ प्यार होता है व्योपार बनकर
ये दुनिया अगर मिल भी जाये तो क्या है
ये दुनिया जहाँ आदमी कुछ नहीं है
वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं है
यहाँ प्यार की कद्र ही कुछ नहीं है
ये दुनिया अगर मिल भी जाये तो क्या है
जला दो इसे, फूँक डालो ये दुनिया
मेरे सामने से हटा लो ये दुनिया
तुम्हारी है तुम ही संभालो ये दुनिया
ये दुनिया अगर मिल भी जाये तो क्या है
-साहिर लुधियानवी
પ્યાસા ફિલ્મની આ અમર નઝમ મોટાભાગનાએ સાંભળી જ હશે, આજે હેતુ છે આ નઝમની જે મીનાકારી છે તેને માણવાનો. કદાચ આથી કઠોર સત્યો ભાગ્યે જ કોઈ નઝમમાં કહેવાયા હશે ! છતાં જે શબ્દો વાપર્યા છે શાયરે એની નઝાકત જુઓ !! એકપણ કઠોર શબ્દ વાપર્યા વગર કેવી મર્મભેદી વાતો કહી છે !! ફિલ્મને ભૂલી જઈએ તોપણ આ નઝમ all time great માં આસાનીથી સ્થાન જમાવી શકે છે.
एक लहर उठ—उठकर फिर—फिर
ललक—ललक तट तक जाती है
किंतु उदासीना युग—युग से
भाव—भरी तट की छाती है,
भाव—भरी यह चाहे तट भी
कभी बढे, तो अनुचित क्या है?
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
बंद कपाटों पर जा—जा कर
जो फिर—फिर सांकल खटकाए,
और न उत्तर पाए,उसकी
लाज—व्यथा को कौन बताए,
पर अपमान पिए पग फिर भी
उस ड़योढी पर जाकर ठहरें,
क्या तुझमें ऐसा जो तुझसे मेरे तन—मन—प्राण बंधे से
मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे
जाहिर और अजाहिर दोनों
विधि मैंने तुझको आराधा
रात चढाए आंसू, दिन में
राग रिझाने को स्वर साधा
मेरे उर में चुभती प्रतिध्वनि
आ मेरी ही तीर सरीखी
पीर बनी थी गीत कभी,अब गीत हृदय के पीर बने से
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
-हरिवंशराय बच्चन
મૂર્તિપૂજાનું રહસ્ય એ છે કે ભક્ત અજ્ઞાન નથી કે તે એક પથ્થરને પોકારી રહ્યો છે, પણ એ જાણે છે કે એના નાદથી જયારે પથ્થર પીગળશે ત્યારે જ એ પથ્થરને અતિક્રમીને પદાર્થ સુધી પહોંચશે – તત્વ સુધી પહોચશે. શરૂઆત અત્યંત કઠિન છે. શ્રદ્ધા ટકાવી રાખવી અતિકઠિન છે. પણ એ નિશ્ચિત છે કે સામે પરથી પ્રતિધ્વનિ આવશે જ. જો તાર્કિક રીતે વિચારીએ તો જે કોઇપણ માર્ગે દ્વંદ્વોમાંથી મુક્તિ મળે તે માર્ગ સાચું સાંખ્ય.
કવિ કહે છે કે હું વાચાળ અને તું મૌન ! મને તારી ભાષા સમજાતી નથી. મારા તમામ પ્રયત્નો વિફળ થતા લાગે. તારી અનુકંપા તો લહેર બનીને મારા સુધી આવે જ છે, કાંઠાસમાન મારી છાતી જ ઉદાસીનતાથી ભરેલી છે…… ઘણીવાર મારું અપમાન થતું અનુભવાયું, પણ મારી તારા પ્રત્યેની પ્રીતમાં લગીરે ઓટ ન આવી….મેં તારા વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપને આરાધ્યા છે….. બસ, હવે આંખો આગળથી પડદો ખસવાની વાર છે…….
वो नहीं मेरा मगर उससे मुहब्बत है तो है
ये अगर रस्मों, रिवाज़ों से बगावत है तो है
सच को मैने सच कहा, जब कह दिया तो कह दिया
अब ज़माने की नज़र में ये हिमाकत है तो है
कब कहा मैनें कि वो मिल जाये मुझको, मै उसे
ग़ैर न हो जाये वो बस इतनी हसरत है तो है
जल गया परवाना तो शम्मा की इसमे क्या खता
रात भर जलना-जलाना उसकी किस्मत है तो है
दोस्त बनकर दुश्मनों-सा वो सताता है मुझे
फिर भी उस ज़ालिम पे मरना अपनी फ़ितरत है तो है
दूर थे और दूर हैं हरदम ज़मीनों-आसमाँ
दूरियों के बाद भी दोनों में कुर्बत है तो है
– दीप्ति मिश्र
कुर्बत= સામિપ્ય
ત્રણેક વર્ષ પહેલા મેં આ ગઝલ પ્રથમવાર વાંચેલી… સાવ સીધી અને સરળ… વાંચતાવેંત જ એટલી ગમી ગયેલી કે મેં એનો સાછંદ ગુજરાતીમાં અનુવાદ કરી નાંખેલો. જો કે કાફિયાઓ એ જ રાખેલા. 🙂
આખી ગઝલમાં કવિએ પ્રેમની ખુમારી અને પ્રેમમાં બગાવતને ઠાંસી ઠાંસીને ભર્યા છે. વારંવાર પુનરાવર્તિત થતો રદીફ है तो है ખુમારી, બગાવત અને don’t careનું અદ્ભૂત વાતાવરણ સર્જે છે અને મક્તા સુધીની સફરમાં તો એ વાતાવરણને વધુ ને વધુ પ્રબળ બનાવી દે છે. પ્રિયજન સાથેની અલગતાનું acceptance પણ સામિપ્યની અદ્ભૂત ખુમારી સાથે…
***
છે, તો છે !
એ ભલે મારો નથી તો પણ મુહોબ્બત છે, તો છે !
ને જો એ રીતિ-રિવાજોથી બગાવત છે, તો છે !
સત્યને સત્ય જ કહ્યું મેં, કહી દીધું તો કહી દીધું !
એ જો દુનિયાની નજરમાં મારી ગફલત છે, તો છે !
ક્યાં કહ્યું છે મેં- મળી જાય એ મને ને એને હું ?
એ અવરનો થાય નહીં- બસ એ જ હસરત છે, તો છે !
જો પતંગિયું ખુદ બળે તો વાંક મીણબત્તીનો શો ?
રાતભર બાળીને બળવું એની કિસ્મત છે, તો છે !
દોસ્ત થઈને પણ એ દુશ્મન જ્યમ સતાવે છે મને,
તોય એ નિર્દય પર મને મરવાની આદત છે, તો છે !
દૂર છે ને દૂર રહેવાના સદા ધરતી ને આભ,
દૂરતા છે તોયે બંને વચ્ચે ચાહત છે, તો છે !
मेरी छाती पर
हवाएँ लिख जाती हैं
महीन रेखाओं में
अपनी वसीयत
और फिर हवाओं के झोंके ही
वसीयतनामा उड़ा कर
कहीं और ले जाते हैं।
बहकी हवाओ! वसीयत करने से पहले
हलफ़ उठाना पड़ता है
कि वसीयत करने वाले के
होश-हवास दुरुस्त हैं :
और तुम्हें इस के लिए
गवाह कौन मिलेगा
मेरे ही सिवा?
क्या मेरी गवाही
तुम्हारी वसीयत से ज़्यादा टिकाऊ होगी?
– अज्ञेय
આ કવિતા વિશે બે શબ્દ લખવાનું મેં જેટલીવાર વિચાર્યું એટલીવાર હું પાછો પડ્યો. હવાની વસિયત શી હોઈ શકે ? એની આવન-જાવન અને છાતી શ્વાસોચ્છ્વાસના પ્રતિક છે કે કોઈ બીજો જ અર્થ કાઢી શકાય…વિ.વિ. જેમ જેમ વિચાર્યું, હું ગૂંચવાતો જ ગયો. પણ કવિતામાં કંઈક એવું ચુંબક હતું જે શબ્દોમાં વર્ણવવું અશક્ય લાગ્યું અને કાવ્યથી દૂર જવું પણ નામુમકિન.
वो कमरे बंद हैं कबसे
जो 24 सीढियां जो उन तक पहुँचती थी, अब ऊपर नहीं जाती
मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता
वहाँ कमरों में, इतना याद है मुझको
खिलौने एक पुरानी टोकरी में भर के रखे थे
बहुत से तो उठाने, फेंकने, रखने में चूरा हो गए
वहाँ एक बालकनी भी थी, जहां एक बेंत का झूला लटकता था.
मेरा एक दोस्त था, तोता, वो रोज़ आता था
उसको एक हरी मिर्ची खिलाता था
उसी के सामने एक छत थी, जहाँ पर
एक मोर बैठा आसमां पर रात भर
मीठे सितारे चुगता रहता था
मेरे बच्चों ने वो देखा नहीं,
वो नीचे की मंजिल पे रहते हैं
जहाँ पर पियानो रखा है, पुराने पारसी स्टाइल का
फ्रेज़र से ख़रीदा था, मगर कुछ बेसुरी आवाजें करता है
के उसकी रीड्स सारी हिल गयी हैं, सुरों के ऊपर दूसरे सुर चढ़ गए हैं
उसी मंज़िल पे एक पुश्तैनी बैठक थी
जहाँ पुरखों की तसवीरें लटकती थी
मैं सीधा करता रहता था, हवा फिर टेढा कर जाती
बहू को मूछों वाले सारे पुरखे क्लीशे [Cliche] लगते थे
मेरे बच्चों ने आखिर उनको कीलों से उतारा, पुराने न्यूज़ पेपर में
उन्हें महफूज़ कर के रख दिया था
मेरा भांजा ले जाता है फिल्मो में
कभी सेट पर लगाता है, किराया मिलता है उनसे
मेरी मंज़िल पे मेरे सामने
मेहमानखाना है, मेरे पोते कभी
अमरीका से आये तो रुकते हैं
अलग साइज़ में आते हैं वो जितनी बार आते
हैं, ख़ुदा जाने वही आते हैं या
हर बार कोई दूसरा आता है
वो एक कमरा जो पीछे की तरफ बंद
है, जहाँ बत्ती नहीं जलती, वहाँ एक
रोज़री रखी है, वो उससे महकता है,
वहां वो दाई रहती थी कि जिसने
तीनों बच्चों को बड़ा करने में
अपनी उम्र दे दी थी, मरी तो मैंने
दफनाया नहीं, महफूज़ करके रख दिया उसको.
और उसके बाद एक दो सीढिया हैं,
नीचे तहखाने में जाती हैं,
जहाँ ख़ामोशी रोशन है, सुकून
सोया हुआ है, बस इतनी सी पहलू में
जगह रख कर, के जब मैं सीढियों
से नीचे आऊँ तो उसी के पहलू
में बाज़ू पे सर रख कर सो जाऊँ
मकान की ऊपरी मंज़िल पर कोई नहीं रहता…
– गुलज़ार
કવિતામાં વાત છે જૂના મકાનની. મકાન કે જેનો વખત વહી ગયો છે. પણ એની સાથે મકાનમાલિકની પણ વાત છે. મકાન અને એના માલિક બન્નેની કથા એક બીજા સાથે ગૂંથાઈ ગયેલી છે. કવિ મકાનના એક પછી એક ભાગમાં તમને લઈ જાય છે અને પોતાના દિલનો એક પછી એક ખૂણો તમને બતાવતા જાય છે. નાજુક યાદગીરીઓ અને બદલાતા સમય સાથે ખોવાઈ ગયેલી લાગણીઓનું આ કવિતામાં બારીક નકશીકામ છે.
वृक्ष हों भले खड़े,
हों घने, हों बड़े,
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
तू न थकेगा कभी,
तू न थमेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु, स्वेद, रक्त से
लथपथ, लथपथ, लथपथ,
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
– हरिवंश राय बच्चन
આ નાનકડી કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. મૂળ સ્વાતંત્ર સંગ્રામની આબોહવામાં લખાયેલી રચના આજે પાણ એટલી જ પ્રસ્તુત છે. એક માણસે, એકલા હાથે, વિપરીત પરિસ્થિતિને અતિક્રમી જવા કેવી રીતે સંગ્રામ કરવો એનો આખો ઉપનિષદ કવિએ થોડી જ પંક્તિઓમા રચી દીધો છે. જ્યારે જ્યારે સંઘર્ષ કરવાની પોતાની શક્તિ પર શંકા જાગે ત્યારે આ કવિતા વાંચુ છું (હવે યુ ટ્યુબ હાથવગુ હોવાથી અમિતાભના અવાજમાં સાંભળું છું) ને ફરી હિમ્મત આવી જાય છે.
વિવેકે આ કવિતાનો સરસ અનુવાદ આગળ કરેલો છે. એ પણ જોશો.
मैं जिसे ओढ़ता-बिछाता हूँ
वो ग़ज़ल आपको सुनाता हूँ
एक जंगल है तेरी आँखों में
मैं जहाँ राह भूल जाता हूँ
तू किसी रेल-सी गुज़रती है
मैं किसी पुल-सा थरथराता हूँ
हर तरफ़ ऐतराज़ होता है
मैं अगर रौशनी में आता हूँ
एक बाज़ू उखड़ गया जबसे
और ज़्यादा वज़न उठाता हूँ
मैं तुझे भूलने की कोशिश में
आज कितने क़रीब पाता हूँ
कौन ये फ़ासला निभाएगा
मैं फ़रिश्ता हूँ सच बताता हूँ
– दुष्यन्त कुमार
“લયસ્તરો”ની અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે આ વખતે હિંદી કવિતાઓ…
દુષ્યન્ત કુમાર વિશે લયસ્તરો પર અગાઉ થોડું લખ્યું હતું એ જ આજે ફરી કોપી-પેસ્ટ કરું છું: “હિંદી કાવ્ય-જગતમાં દુષ્યન્ત કુમાર એક એવું નામ છે જે ઉર્દૂના મહાકવિ ગાલિબની સમકક્ષ નિઃશંક માનભેર બેસી શકે છે. ખૂબ જ ટૂંકી જિંદગીમાં ખૂબ જ ઓછી ગઝલો લખી જનાર દુષ્યન્ત કુમારની ગઝલોએ જે સીમાચિહ્ન હિંદી સાહિત્યાકાશમાં સર્જ્યું છે એ न भूतो, न भविष्यति જેવું છે. ગઝલને હિંદીપણું બક્ષવામાં એમનો જે સિંહફાળો છે એ કદી અવગણી શકાય એમ નથી.”
પ્રસ્તુત ગઝલ તાજેતરમાં જ પ્રદર્શિત થઈ ગયેલ હિંદી ફિલ્મ “મસાન”માં સરસ રીતે રજૂ કરવામાં આવી હતી. ગઝલની વ્યાખ્યા સૌથી સરળ શબ્દોમાં અને શ્રેષ્ઠતમ રીતે હિંદી-ઉર્દૂ-ગુજરાતી ભાષાઓમાં ક્યાંય શોધવી હોય તો આ ગઝલના મત્લા પર નજર નાંખવી પડે. સરવાળે દુષ્યન્ત કુમારની ઉત્તમ રચના.
“લયસ્તરો ડોટ કોમ”ની કાવ્યયાત્રા શરૂ થઈ એ વાતને આજે એક એક કરતાં અગિયાર વર્ષ પૂરાં થયાં. ધવલ શાહે ફુરસદના સમયમાં આદરેલી આ સફરમાં વરસેક પછી હું જોડાયો. વચ્ચે થોડો વખત સુરેશ જાની અને મોના નાયક પણ જોડાયા. હાલ ઘણા સમયથી ઓર્થોપેડિક સર્જન તીર્થેશ મહેતા પણ નિયમિતપણે કાવ્યો-કાવ્યાસ્વાદો પીરસી રહ્યા છે.
જેમ એક એક કરતાં અગિયાર થયાં એમ એક એક કરતાં આજે ૯૦૦થી વધુ કવિઓની ૩૫૦૦થી વધુ રચનાઓ કમ્પ્યુટરની ક્લિક પર આપની સેવામાં હાજર છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે એ આપ સહુના અનવરત સ્નેહ વિના શક્ય જ નહોતું.
અગિયાર વર્ષ અને પાંંત્રીસસો રચનાના બેવડા માઇલસ્ટોનને આંબતી વખતે અમે સહુ ગૌરવાન્વિત હર્ષ અનુભવી રહયા છીએ. આપ સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ આપ આવા જ સ્નેહાશિષ વરસાવતા રહેશો એ જ અાશા…..
પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.
– ‘નજર’ કાણીસવી
કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !
જેનાં એકે એક ખૂણામાં નિશ્વાસોની ગન્ધ ભળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
તારી આંખોમાં સળવળતા..
સૂનકારના એરુ
મારા ખાલીપાનું પહોચે..
ક્યાંનું ક્યાય પગેરું
(જ્યાં)પાંપણ સાથે સપનાં..સપનાં સાથે ભડ ભડ રાત બળી છે
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
હાલ અને હમણાં કરતાં
વરસોનાં વાણાં વાયાં
ગયાં સુકાઈ ઝાડ ધીરજનાં
છેટા થઇ ગ્યા છાંયા
તો પણ સાલ્લી સમ ખાવા પણ એકે ઇચ્છાં કદી ફળી છે ?
યુગો યુગોથી એ જ કોટડી તને મળી છે મને મળી છે
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
કોઈ પણ પૂર્વભૂમિકા વિના લોહીના લયમાં અનુભવી શકાય એવું ભારઝલ્લું ગીત…
ત્યહીં નગર દેવને, લઘુક મંદિરે રાજતી
શિલાની પ્રતિમા થકી પ્રભુ રહ્યા લહી હું પ્રતિ:
રહ્યું વિલસી દિવ્ય મૃત્યુ-પર એક સાંનિધ્ય ત્યાં, –
સ્વરૂપ નિજમાં ધરંતું સઘળાં ય આનંત્યને.
વિરાટ જગદંબિકા – પ્રખર એની ઇચ્છા તથા
ધરાની અતલાંત નીંદ મહીં આવી વાસો વાસી,
અશબ્દ, પરમા સમર્થ, અવિગમ્ય, મૂક સ્થિતા
ત્યહીં રણ વિષે અને ગગનમાં તથા સાગરે.
હવાં મનસ-આવૃતા વસતી તે, ન બોલ કશું,
અશબ્દ, અવિગમ્ય, સર્વંવિદ, ગુમ એ તો વસે;
યદા નિરખશે જ આત્મ અમ સૂણશે-શી વિધે
ગ્રહંતી તન એ, પૂજારી પ્રતિમા વિષે એક જે,
શકે પથર કે શરીર ધરી જેનું સૌંદર્ય, હા,
રહસ્ય પણ જેહનું – પ્રગટ એ થશે ત્યાહરે.
– શ્રી અરવિંદ
(અનુ. સુન્દરમ્)
*
મહર્ષિ અરવિંદ પથ્થરની પ્રતિમાને સામે રાખીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. નાશવંત પથ્થરોમાં કેદ ઈશ્વર હકીકતે આપણી પ્રતિક્ષામાં જ છે, આપણને આવકારવા સર્વદા તત્પર જ છે. આપણે જ્યાં સુધી નિદ્રાવશ છીએ ત્યાં સુધી જ એ ચૂપ છે. આપણે આપણો માનસપટ ફગાવીને પરમકૃપાળુનો સાદ સાંભળીએ એ ઘડી આપણી જાગૃતિની ઘડી છે. મૂર્તિ અને જડ આકાર એ પ્રભુ સુધી લઈ જતા માર્ગ માત્ર છે. પથ્થરની પ્રતિમા આપણે વિચારી શકીએ એના કરતાં વધુ સજીવ, વધુ સામર્થ્યશાળી છે.
*
The Stone Goddess
In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,–
A living Presence deathless and divine,
A Form that harboured all infinity.
The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep.
Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment,
One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape.
November 20, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મનિષા જોષી
મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું.
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ,
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ,
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ,
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ,
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે,
અત્યારે, અડધી રાત્રે, આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું, એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે,
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું, અત્યારે, આ મધરાતે, મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.
– મનીષા જોષી
પાક્કી ગુજરાતી કવિતા. જે લોકો અથાણાંના સાચા શોખીન છે એ લોકોની સ્વાદેન્દ્રિય તો આ કવિતા વાંચતાવેંત જ સળવળાટ કરવા માંડવાની. પણ અલગ અલગ અથાણાં, અથાણાં ભરવા-સૂકવવા અને સમેટવાની કાવ્યાત્મક રીતો પતે પછી “આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ, મારી પણ જીવાદોરી છે” – એમ કવયિત્રી કહે છે ત્યાંથી ખરી કવિતાની શરૂઆત થાય છે. અલગ અલગ સ્વાદનાં અથાણાં, તેલ, અંધકાર અને જીવન, જિજિવિષા, જીવાદોરી : કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય એવો છે…
હજી ઉતારું કાગળ પર કૈં ત્યાં કાગળ પર દેખું છું રણ :
ઊડ્યા એવા આંધી થઈને અક્ષર જાણે રેતીના કણ !
દોડ્યું આ શું થઈ બા’વરું ફાળ ભરીને ગળે શોષને બાંધી,
હાંફી ચત્તીપાટ પડીને ઊડી ગઈ ક્યાં રણની કાંધી !
સન્નાટો-સૂનકાર સૂસવે, જોડીઆ પાવાના ચંગ,
સૂરો મૂંગા થઈને ઊભા, આંગળિયું થઈ તંગ.
આભ નિમાણું પડતું મૂકે, ઝાકળ-પલળ્યો ચંદ,
કાગળ માથે ખાબકવાનો અવાજ પોકળ આવે મંદ.
ત્યાં તો લેખન-અણીએ તબક્યું તાતું તીણું કેવું તીર !
સ્યાહી સ્યાહી થઈ દશે દિશા બચ્યું ન એમાં કાંઈ લગીર.
– ધીરન્દ્ર મહેતા
રણેરણ અલગ હોય છે. અહીં કવિ કોરા કાગળ પર વરસું-ન વરસું કરતાં ગોરંભાનું રણ લઈ આવ્યા છે. અક્ષરો આંધી થઈ જાય, ગળામાં શોષ બંધાઈ જાય, રણની કાંધી ઊડી જાય, ચાંદો કાગળમાં પડતું મેલે ને એવી કોઈ ઘડીએ એકાદું તીર છૂટે ને દશે દિશાઓ સ્યાહીસભર થઈ જાય એમ કવિતા રણની વચ્ચે રણદ્વીપ થઈ ફૂટી નીકળતી હોય છે. ‘ગાગાગાગા’ના લયબદ્ધ આવર્તનવાળો કટાવ છંદ અને પંક્તિ-પંક્તિએ બદલાતો વર્ણાનુપ્રાસ કવિતાને વધુને આસ્વાદ્ય બનાવે છે.
November 13, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી
પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….
છુપાયું છે ભીતર એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોના હૃદય હરપળ ઉજાળીને;
કોઈની આંખમાં એકાદ–બે સ્વપ્નોની રોનક થાય,
મનાવીએ એ રીતે આ વરસ, ચાલો દિવાળીને !
– વિવેક મનહર ટેલર
ટીમ લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો-વાચકમિત્રો અને ભાવકમિત્રોને દિવાળી તથા નૂતન વર્ષના હાર્દિક અભિનંદન !