આ મનનું તો એવું કે ભાગ્યા કરે પણ,
દિવસ રાત વાતો તો તારી જ ચાલી.
ન સમજાઈ માયા કદી ઈશ તારી,
ન આપ્યું ભરીને, ન રાખીયે ખાલી.
– નેહા પુરોહિત
ગુજરાતી કવયિત્રીવિશ્વમાં “પરપોટાની જાત” લઈને ભાવનગરથી નેહા દબદબાપૂર્વક અને પૂર્ણ અધિકારપૂર્વક પ્રવેશે છે. નેહાના ગીત-ગઝલ-અછાંદસમાંથી પસાર થતાં જ ઊડીને આંખે વળગે છે એની સ્ત્રીસહજ સુકોમળ સંવેદનની ઓરિજિનાલિટિ, લવચિક શબ્દ-વિન્યાસ અને નાવીન્યતાપૂર્ણ અભિવ્યક્તિ… લયસ્તરો તરફથી નેહાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન…
બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે
આકાશમાંથી છીપમાં હર જન્મમાં પડે
એક ટીપુ કે જે કોઈ દી’ મોતી ન થઈ શકે
કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે
શું એને ફેવિક્વિકથી ચોંટાડી દીધી છે?
કે ભૂખ પેટથી કદી નોખી ન થઈ શકે?
ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે
– કુલદીપ કારિયા
ગુજરાતી ગઝલમાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા કલ્પનોથી વધુ આસ્વાદ્ય બનતી ગઝલ… પાંચેય શેર સરસ… પણ કોફીવાળો શેર સૌથી ‘કડક’ ! સ્વાતિ નક્ષત્રની ગેરહાજરીમાં છીપમાં પડી પડીને મોતી બનવામાં વિફળ જતું ટીપું ફરી ફરીને બાષ્પીભૂત થતું રહે અને ફરી ફરીને ઘનીભૂત થઈ ટીપું બની વરસ્યા કરે એ શેર શરૂમાં મને જરાય સમજાયો નહોતો પણ સમજાયો ત્યારે અહો ! અહો ! વાહ, કવિ…
December 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
આવી ગયો છે કાળ આ નાટકના અંતનો
ઊભું છે વૃક્ષ કોટ ઉતારી વસંતનો
પૂરો ભલે ન થાય એ કોઈ જગા ઉપર
કિસ્સો શરૂ તો થાય છે ચોક્કસ અનંતનો
કોના તરફ વધારે વફાદાર છે નદી ?
આ પ્રશ્ન કાંઠાઓમાં ઊઠ્યો છે તુરન્તનો
– મુકુલ ચોક્સી
વૃદ્ધાવસ્થા અને સમીપ સરતા મૃત્યુ વિશે કેવો સચોટ શેર કવિ લઈ આવ્યા છે? કાળ શબ્દનું પ્રયોજન સમયની પછીતે છુપાયેલ મૃત્યુને પણ ઇંગિત કરે છે. વસંતનો કોટ ઉતારીને ઊભેલા વૃક્ષનું ચિત્ર ઠંડોગાર ડામ દેતું હોય એમ લાગે છે. અને “અનંતતા” વિશેનો આવો ક્રિએટિવ શેર અગાઉ ક્યાંય વાંચ્યો હોવાનુંય ધ્યાનમાં નથી…
मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आइना कोई और है
ખ્યાલ [વિચાર] હું કોઈકનો છું અને વિચારે મને બીજું જ કોઈ છે. આયનામાં દેખાય છે તે મારું પ્રતિબિંબ છે, આયનાની પાછળ કોઈ બીજું જ છે. [ વાચ્યાર્થ સરળ છે પણ થોડીવાર મમળાવતા ચમત્કૃતિ આંજી નાખે છે ! ]
मैं किसी के दस्त-ए-तलब में हूँ तो किसी के हर्फ़-ए-दुआ में हूँ
मैं नसीब हूँ किसी और का मुझे माँगता कोई और है
હું કોઈકના દુઆ માટે[ભિક્ષા માટે] ફેલાયેલા હાથમાં છું તો કોઈકની દુઆના શબ્દોમાં છું. હું કોઈ અન્યનું જ નસીબ છું અને મારી ખેવના કોઈ અન્ય જ કરે છે.
कभी लौट आयें तो न पूछना सिर्फ़ देखना बड़े ग़ौर से
जिन्हें रास्ते में ख़बर हुई कि ये रास्ता कोई और है
અત્યંત નાજુક વાત કહી છે – જયારે કોઈ ભૂલ્યો-ભટક્યો અધવચ્ચેથી પરત ફરે તો ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો પણ એને કશું પણ પૂછતાં નહીં. તેના ઘા પર મીઠું ન ભભરાવશો….કરુણાપૂર્વક વર્તજો અને શીખજો… કદી તમારી પણ એ હાલત હોઈ શકે…..એની body language બધું જ કહી દેશે તમને.
अजब ऐतबार ओ बे-ऐतबारी के दर्मियाँ है ज़िन्दगी
मैं क़रीब हूँ किसी और के मुझे जानता कोई और है
વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચેની અત્યંત પાતળી ભેદરેખા ઉપર ચાલે છે જિંદગી….હું કોઈકની અત્યંત નજીક છું અને મને સમજે કોઈ અન્ય છે.
वही मुन्सिफ़ों की रिवायतें वही फ़ैसलों की की इबारतें
मेरा जुर्म तो कोई और था पर मेरी सज़ा कोई और है
કાજીની એ જ પરંપરાગત વાતો અને એ જ ચુકાદાઓના કાળા અક્ષરો…. મારો ગુનો કોઈ અલગ જ હતો અને મારી સજા કૈંક નોખી જ છે !
तेरी रोशनी मेरे ख़द्दो-ख़ाल से मुख़्तलिफ़ तो नहीं मगर
तू क़रीब आ तुझे देख लूँ तू वही है या कोई और है
તારી રોશનીની કોઈ ના નહીં – પરંતુ અંતે તો એ પણ ચર્મદેહ જ છે કે જેવો મારો છે, છતાં…..જરા નજદીક આવ તને નિહાળું….તું એ જ છે કે કોઈ અન્ય છે ! [ વાસ્તવવાદી વાત છે ]
तुझे दुश्मनों की ख़बर न थी मुझे दोस्तों का पता नहीं
तेरी दास्ताँ कोई और थी मेरा वाक़याँ कोई और है
તને દુશ્મનોની કશી ખબર જ નહોતી અને મને દોસ્તો વિષે જાણ નહોતી. તારી કથા કૈક અલગ જ હતી અને મારો પ્રસંગ કૈક અલગ જ છે…..[ અહીં ખૂબીપૂર્વક ઈંગિત કરાયું છે કે તું તો હતી જ અજાતશત્રુ અને હું શત્રુઓને પિછાણી ન શક્યો. આપણા આ નિજી સ્વભાવોએ આપણી મંઝીલ કંડારી.
जो मेरी रियाज़त-ए-नीमशब को “सलीम” सुबह न मिल सकी
तो फिर इस के माने तो ये हुए के यहाँ ख़ुदा कोई और है
મારા મધ્યરાત્રિ સુધીના અથાક પરિશ્રમને જો પ્રભાતનું મ્હો જોવા ન મળે તો એનો અર્થ એ થાય કે અહી કોઈ અલગ જ ખુદાની ખુદાઈ ચાલે છે.
-सलीम कौसर
આ ગઝલ અનેક ગાયકોએ ગાઈ છે…..શ્રેષ્ઠ કૃતિ મહેંદી હસનસાહેબની છે જે તેઓએ માંડીને ગાઈ છે. પ્રમાણમાં સરળ લાગતી આ ગઝલ વારંવાર વાંચતા તેનું ખરું ઊંડાણ સમજાય છે…..
December 16, 2014 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, વિષ્ણુ પટેલ
હું, મને ઢંઢોળતો
જિંદગીને ખોળતો
ખાલીપો ચાલ્યો જતો
સ્વપ્ન કૈં, ધમરોળતો!
આ પવન, આખ્ખી સફર
રેતમાં રગદોળતો
છે બધે અંધારપટ
હું દિવાલો ધોળતો!
રંગ ન, એક્કે બચ્યો
તોય પીંછી બોળતો!
ક્યારનો જોવા મથું
કો’ક અક્ષર કૉળતો
રે! કસુંબા તો ગયા!
હું ગઝલને ઘોળતો!
– વિષ્ણુ પટેલ
કવિતા સાંભળવાની અલગ જ માઝા છે. એ મઝા માણવા માટે આજે ‘કવિતા કાનથી વાંચવાનો’ પ્રયોગ કર્યો છે. આશા છે ‘વાંચકો’ને ગમશે.
ટૂંકી બહેરની ગઝલ મારી કમજોરી છે. ગઝલમાં પણ કમર જેટલી પાતળી એટલી વધારે સારી 🙂 મજાક જવા દો તો, ટૂંકી બહેરની ગઝલો ઓછી જ જોવા મળે છે. કારણ કે ઓછામાં ઘણું કહેવું એ વધારે અઘરું કામ છે. અહીં કવિએ બધા શે’રને બખૂબી કંડાર્યા છે. જુઓ – છે બધે અંધારપટ / હું દિવાલો ધોળતો! – ટચૂકડો પણ ધારદાર શે’ર. ને છેલ્લે, રે થી શરૂ કરીને કવિ કસુંબાને બદલે ગઝલ ઘોળવાની મઝાની વાત લઈ આવ્યા છે.
“લયસ્તરો”ની દસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આજે આ દસમી અને આખરી ઉર્દૂ ગઝલ…
*
गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले
चले भी आओ कि गुलशन का कारोबार चले
ફૂલોમાં રંગ આવે, નવી વસંતનો પવન પ્રસરે, ચાલ્યા પણ આવો કે આ બાગનો કારોબાર ચાલે..[જીવનના બાગમાં નવી વસંત તો તારા આગમનથી જ સંભવ છે]
क़फ़स उदास है यारो, सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले
દોસ્તો, કેદખાનું ઉદાસ છે, હવાને કંઈક તો કહો; ખુદાને ખાતર ક્યાંક તો આજે યારનો ઉલ્લેખ થાય… [કાયાના કેદખાનામાં શ્વાસનો પવન પણ જો પ્રિયતમાની વાત લઈને આવે તો ઉલ્લાસ થાય]
कभी तो सुब्ह तेरे कुंज-ए-लब से हो आग़ाज़
कभी तो शब सर-ए-काकुल से मुश्क-ए-बार चले
ક્યારેક તો સવારની શરૂઆત તારા હોઠના કુંજાથી થાય, ક્યારેક તો રાત વાંકડિયા ઝુલ્ફની ખુશબોથી તર થઈ રહે… [સંભોગશૃંગારરસથી ભર્યોભાદર્યો શેર]
बड़ा है दर्द का रिश्ता, ये दिल ग़रीब सही
तुम्हारे नाम पे आयेंगे ग़मगुसार चले
દર્દનો સંબંધ મોટો છે, ભલે આ દિલ ગરીબ કેમ ન હોય, તારા નામ પર દુઃખભંજકો આવી રહેશે… [જેમ અંધારું અલગ અલગ વસ્તુઓના અસ્તિત્વને ઓગાળીને એક કરી દે છે એમ જ દુઃખ-દર્દ માણસોને એકમેક સાથે જોડી દે છે.]
जो हम पे गुज़री सो गुज़री मगर शब-ए-हिज्राँ
हमारे अश्क तेरी आक़बत सँवार चले
હે વિરહ રાત્રિ ! અમારા પર જે વીત્યું એ વીત્યું પણ અમારા આંસુ તારું ભવિષ્ય સજાવી ગયા. [પ્રેમીની બરબાદી જ વિરહની રાત્રિનો સાચો શૃંગાર છે.]
हुज़ूर-ए-यार हुई दफ़्तर-ए-जुनूँ की तलब
गिरह में लेके गरेबाँ का तार तार चले
પ્રિયતમાની હાજરીમાં બેસુમાર ઝનૂનની તલપ થઈ પણ ખિસ્સામાં કોલરના તાર-તાર લઈને ચાલ્યા [પ્રિયજનની ઉપસ્થિતિમાં પ્રેમના ઉન્માદની ને પ્રેમીની પ્રતિષ્ઠા (કોલર) બિચારાની શી કિંમત?!]
मक़ाम ‘फैज़’ कोई राह में जचा ही नहीं
जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले
રસ્તામાં બીજો કોઈ વિસામો પસંદ જ ન આવ્યો. જો યારની ગલીમાંથી નીકળ્યા તો સીધા ફાંસીના માંચડા પર ચાલ્યા [દિલરૂબાની ગલી છોડવાનો બીજો મતલબ શો? મૃત્યુ જ સ્તો.]
आदमी आदमी से मिलता है
दिल मगर कम किसी से मिलता है
[સીધી ને સટાક વાત. આપણે એકમેકને મળીએ તો છીએ પણ શું સાચા અર્થમાં?]
भूल जाता हूँ मैं सितम उस के
वो कुछ इस सादगी से मिलता है
[ફરી એકવાર res ipsa loquitar (સ્વયંસ્પષ્ટ) શેર.]
आज क्या बात है के फूलों का
रंग तेरी हँसी से मिलता है
[સૌંદર્યશૃંગારની પરાકાષ્ઠા.]
सिलसिला फ़ित्ना-ए-क़यामत का
तेरी ख़ुश-क़ामती से मिलता है
કયામતની મુસીબતનો સિલસિલો તારી સુડોળ કાયાને જઈ મળે છે [તારા સુંદર શરીરની સુડોળતા પોતે જ કંઈ કયામતથી કમ છે?!]
मिल के भी जो कभी नहीं मिलता
टूट कर दिल उसी से मिलता है
મળીને પણ જે કદી મળતો નથી, આ દિલ તૂટીને પણ એને જ જઈ મળે છે. [જિગર મુરાદાબાદી સરળ શેરોની હરીફાઈ માંડી બેઠા છે કે શું? પ્રથમ દૃષ્ટિએ સરળ ભાસતા આવા શેરને सहल-ए-मुम्तना અર્થાત ‘આભાસી સરળતા’ કહે છે.]
कार-ओ-बार-ए-जहाँ सँवरते हैं
होश जब बेख़ुदी से मिलता है
દુનિયાનો કારોબાર વધુ સારી રીતે ચાલશે જો હોંશ બેહોશીમાં ભળી જશે. [દુનિયાની સહુથી મોટી સમસ્યા એ માનવીનું કહેવાતું ડહાપણ જ છે. “નશામાં હોય છે સુખ દુખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સૂવાની રસ્તા પર” (મરીઝ). ગાલિબ પણ યાદ આવે: अच्छा है दिल के पास रहे पास्बान-ए-अक़्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।]
रुह को भी मज़ा मोहब्बत का,
दिल की हम-साएगी से मिलता है
આત્માને પણ મહોબ્બતની મજા પાડોશી દિલના કારણે જ આવે છે.[નિરંતર આરોહ-અવરોહવાળું દિલ પાસે છે એટલા માટે જ આપણને પ્રેમ કરવાની મજા આવે છે]
सख्तियाँ करता हूँ दिल पर, ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं , जाहिल हूँ मैं
મારા હૃદય પર હું કડક અંકુશ રાખું છું, અન્યો પરત્વે ક્ષમાશીલ [ ग़ाफ़िल નો એક અર્થ ] છું,
વાહ ! શું વાત કરી તમે ! હું જાલિમ ! અરે હું તો નાદાન છું……
मैं अभी तक था कि तेरी जलवा पैराई न थी
जो नमूदे हक़ से मिट जाता है वो बातिल हूँ मैं
જ્યાં સુધી મમત્વ-અહં હતો ત્યાં સુધી તારા દર્શન માત્ર થી ભવપાર થઇ જવાની કોઈ શક્યતા જ ન હતી
સત્યના પ્રાકટ્ય સાથે જે નષ્ટ થાય છે તે મિથ્યા અહં છું હું…..
इल्म के दरिया से निकले ग़ोताज़न गौहर बदस्त
वाए महरूमी ! ख़ज़फ चैने लबे साहिल हूँ मैं
જ્ઞાનના સાગરમાંથી મરજીવા હાથમાં મોતી લઇ નીકળ્યા,
હાય દુર્ભાગ્ય ! હું તો કિનારે પડેલું એક ઠીકરું છું….
है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफत की दलील
जिसकी ग़फ़लत को मुल्क रोते हैं वो ग़ाफ़िल हूँ मैं
મારી નામોશી એ જ મારી શરાફતની દલીલ છે
હું એ જ ગાફિલ છું જેની ગફલતને કારણે આખો મુલક રડે છે. [ ગાફિલ અને ગફલત શબ્દના એક થી વધુ અર્થ લઇ શકાય .]
बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं
હે અસ્તિત્વની મહેફિલ ! તારી જાહોજલાલી ઉપર તું ગર્વિત ન થા
તું તો મહેફિલની તસ્વીર માત્ર છે – હું મહેફિલ સ્વયં છું.
ढूँढता फिरता हूँ ऐ इक़बाल अपने आप को
आप ही गोया मुसाफ़िर, आप ही मंज़िल हूँ मैं
ઇકબાલ પોતાની જાતને શોધતો ફર્યા કરે છે
હું પોતે જ જેમ કે મુસાફર અને હું પોતે જ મંઝીલ છું.
– अल्लामा इक़बाल
અલ્લામા ઇકબાલ કદાચ ભારતના સૌથી વધુ અવગણના પામેલા શાયર છે – થોડુક એમની કઠિનતાને લીધે અને થોડુક એમની પાકિસ્તાનના સર્જન માટેની તરફદારી ને લીધે . ઇકબાલનું નામ પણ લેવું એ આઝાદીની આસપાસના દાયકાઓમાં politically incorrect ગણાતું . ‘ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ના રચયિતાને ભારતે પ્રયત્નપૂર્વક ભૂલાવી દીધા છે, પરંતુ ‘વોહ શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે…….’
ઇકબાલ એ એક માત્ર શાયર છે કે જેઓ દર્શનની એ ઊંડાઈ ધરાવે છે કે જેથી તેઓ ગાલિબ સામે ટક્કર લઇ શકે. જીતે કોણ તે તો ભાવકો જ નક્કી કરી શકે, પરંતુ મુકાબલો જબરદસ્ત થાય.
ઉપરોક્ત ગઝલમાં અનુવાદ કરવાનો કોઈ જ પ્રયાસ નથી-માત્ર સરળ ગુજરાતી સમજૂતી છે. પ્રત્યેક શેરની ગહેરાઈ જુઓ ! સરળ વાચ્યાર્થ આપ્યા બાદ ખાસ કોઈ ટિપ્પણની જરૂર રહેતી નથી. બીજો, પાંચમો અને છઠ્ઠો શેર આ શાયરને અમર બનાવવા પૂરતા છે.
પાંચમાં શેર ને જરાક માણીએ – અહીં તત્વજ્ઞાનની એક થીઅરી બે જ લીટીમાં કહેવાઈ છે – વિશ્વનું હોવું એ મારા હોવાને secondary છે….. ગાલિબને યાદ કરો – ‘ ન હોતા મૈ તો ક્યાં હોતા ?’
न किसी की आँख का नूर हूँ न किसी के दिल का क़रार हूँ
जो किसी के काम न आ सके मैं वो एक मुश्त-ए-गुब़ार हूँ
न तो मैं किसी का हबीब हूँ न तो मैं किसी का रक़ीब हूँ
जो बिगड़ गया वो नसीब हूँ जो उजड़ गया वो दयार हूँ
मेरा रंग रूप बिगड़ गया मेरा यार मुझ से बिछड़ गया
जो चमन ख़िज़ाँ से उजड़ गया मैं उसी की फ़स्ल-ए-बहार हूँ
पए फ़ातिहा कोई आए क्यूँ कोई चार फूल चढ़ाए क्यूँ
कोई आ के शम्मा जलाए क्यूँ मैं वो बे-कसी का मज़ार हूँ
मैं नहीं हूँ नग़मा-ए-जाँ-फज़ा मुझे सुन के कोई करेगा क्या
मैं बड़े बिरोग की हूँ सदा मैं बड़े दुखी की पुकार हूँ
– बहादुर शाह ज़फ़र
આ ગઝલ એ હ્રદયમાંથી નીકળેલી તીણી ચીસ સમાન છે. છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ભાગે મુગલ સલ્તનતનો અસ્ત જોવાનું આવેલું. એની મનોસ્થિતિને ગઝલ બરાબર બંધ બેસે છે. જો કે આ ગઝલ મુજ્તર ખૈરાબાદીએ લખેલી હોવાનું પણ કહેવાય છે. હકીકત જે હોય તે, પણ આ ગઝલ ઉમદા કારીગરીનો નમૂનો છે એમા કોઇ બે મત નથી.
અલગ અલગ શેરમાં કવિ જિંદગીના અલગ અલગ ફોટોગ્રાફ ખેંચી આપે છે. પરપોટા જેવી આપણી આ ક્ષણભંગુર હસ્તીનો દેખાડો મૃગજળથી વિશેષ શું છે? પ્રિયતમાના હોઠની નજાકતનો આ મેટાફર આજે તો ચવાઈ ગયેલો લાગે પણ ઉર્દૂ-રોમેન્ટિક યુગના પહેલા શાયર ગણાતા મીરનો આ શેર સૌંદર્યદર્શનનો સર્વકાલિન શ્રેષ્ઠ શેર ગણાય છે.
મીર કઈ કક્ષાના ગઝલકાર હતા એ તો બે મહાન ગઝલકારોએ આપેલી આ અંજલિ પરથી જ જાણી શકાશે:
रेख्ते के तुम ही उस्ताद नहीं हो ‘गालिब’,
कहते हैं अगले जमाने में कोई मीर भी था । (गालिब)
न हुआ पर न हुआ ‘मीर’ का अन्दाज़ नसीब,
‘ज़ौक़’ यारों ने बहुत ज़ोर ग़ज़ल में मारा । (ज़ौक़)
November 21, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે,
છતાં વિચાર અમારા હજુય મેલા છે.
દિશાના નામ ફક્ત સૂર્યથી પડેલાં છે,
ઘણાના સ્વપ્ન ઉગમણેય આથમેલાં છે.
નથી હું આપતો ક્યારેય મારું સરનામું,
અનેક પ્રશ્ન છતાં ઉંબરે ઊભેલા છે.
દિવસ ને રાત સતત આવજાવ ચાલુ છે,
આ કોના પ્રેમમાં શ્વાસો બધાય ઘેલા છે ?
ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.
– મનોજ જોશી
આ કવિની ગઝલો જેમ જેમ વાંચતો જાઉં છું, હું વધુ ને વધુ એના પ્રેમમાં પડતો જાઉં છું. કયા શેર પર આંગળી મૂકવી એ પ્રશ્ન થઈ જાય એવી ગઝલ. હા, જો કે છેલ્લો શેર જરા સપાટ લાગ્યો.
ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.
બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!
ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.
– અંકિત ત્રિવેદી
ગાડરિયા પ્રવાહથી અલગ ઊભા રહેવાનો મિજાજ… ભલેને મણકો છું પણ માળામાં નથી પરોવાયો. સ્વયંનિર્ભર, પગભર થઈ માળાની બહાર ઊભો છે. જો કે બીજા જ શેરમાં વળી ઉછીનું લેવાની વાત પણ આના વિરોધાભાસમાં નજરે ચડે છે.
કેમ દેખાયો નહીં હોવા છતાં ?
આડી આવી જાત પોતાની જ, ન્હૈં ?
જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈં ?
– ચિનુ મોદી
મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય. પણ મારું મન ગઝલની રદીફ પર અટકી ગયું – “ન્હૈં” ?! શિષ્ટ ગુજરાતીમાં ‘નહિ’ લખીએ તો પણ છંદ યથાવત્ જ રહે છે તો પછી આ શબ્દપ્રયોગ જ કેમ ? જો તળપદી ભાષાનો આ પ્રયોગ હોય તો આખી ગઝલમાં અન્યત્ર એ દેખાવી ન જોઈએ ?
November 1, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ ઝવેરી
બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
. ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.
October 4, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર
મઝધારે તો કોઈને કિનારે મજા પડે
જેવું હો જેનું સ્તર એ પ્રમાણે મજા પડે
જ્યારે મળે તું આમ તો જાણે મજા પડે
વચ્ચે ન આવે ‘હું’ તો વધારે મજા પડે
મન તો સતત વિચારે કે ક્યારે મજા પડે
કૈં એવું થોડું રોજ મજાને મજા પડે
ખીલે છે ફૂલ જ્યારે હવાને મજા પડે
વહેંચે એ ખુશબૂ ત્યારે બધાને મજા પડે
સાચી મજા વિશે ઘણી મોડી ખબર પડી
કારણ ન હો કોઈ ને છતાંયે મજા પડે
– મહેશ દાવડકર
મજા પડે જેવી રદીફ પકડીને કવિ મજા પડે એવી મજાની ચાર-ચાર મત્લાવાળી ગઝલ લઈ આવ્યા છે. દરેક શેરમાં મજા પડવાનો ભાવ બદલાતો રહે છે એ આ ગઝલની ખરી મજા છે અને એકેય શેરમાં કવિ જરા અઘરી પડે એવી રદીફ ‘ન સાંધો-ન રેણ’ની કાબેલિયતથી જાળવી શક્યા છે એની મજા તો કંઈ ઓર જ છે…
September 9, 2014 at 12:26 AM by ધવલ · Filed under ગઝલ, પંચમ શુક્લ
તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …
તમે કપિ સુગ્રીવના સ્નેહી,
અમે અબુધ ગોરીલા ભગવન્ …
તમે સહસ્રાક્ષોની દૃષ્ટિ,
અમે ગૌતમીશીલા ભગવન્ …
તમે નેતરાં મંદરાચળના,
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ …
તમે અગોચર પવનપાવડી,
અમે રગશિયા ચીલા ભગવન્ …
તમે અહર્નિશ જલઅંબુજવત્ …
અમે હમેશા गीला ભગવન્ …
– પંચમ શુક્લ
જીવ અને શીવઃ આ વિષય પર ઘણા કાવ્યો છે. પણ આ કાવ્યની અલગ મજા છે. કલ્પનોની નવીનતા અને શબ્દોની પસંદગી તો દાદ માંગી લે તેવી છે જ. એ ઉપરાંત, આટલા ગહન-ગંભીર વિષયના કાવ્યમાં પણ સૂક્ષ્મ વિનોદ વણી લીધો છે એ અલગ.
દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતાં શીખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે .
પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.
ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આ ગઝલના મક્તાએ મને ખાસ આકર્ષ્યો….. આ વાત સૂક્ષ્મરૂપે સદીઓથી માનવજાતને લાગુ પડેલો મહારોગ છે. સત્યની આસપાસ એવો અદભૂત લુચ્ચાઈ-ચતુરાઈથી સાત કોઠાનો વ્યૂહ ઘડી કાઢવામાં આવે છે કે પછી……. કહેવાતા આધ્યાત્મમાર્ગીઓ પણ આમાંથી બાકાત નથી. તટસ્થ આંતરદર્શન અને આમૂલ પરિવર્તન વિના આ રોગનો કોઈ ઈલાજ નથી.
લોકો રાજા-મહારાજા કે નેતા-અભિનેતાઓની સવારી કાઢે છે. જ્યારે કવિ યાદોની સવારી કાઢે છે. આંસુના શહેરમાં (કદીક જ આવતો) તડકો બનીને એ ઝળહળ સવારી નીકળે છે અને એ ય પાંપણ પર !
જે વિચાર વધારે ન ફેલાય એ ખાતર કવિને કબર ભેગા કરી દેવાયા તે વિચાર આજે આખા શહેરમાં ફેલાઈ ગયો છે. માણસનું વીતી જવું સહ્ય અને સહજ છે પણ એ હસ્તીના અંતે એક આખી વિચારધારાનો જન્મ થાય એવું સૌભાગ્ય કોઈ કોઈને જ મળે છે.