યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આત્મવંચના – બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.

Comments (7)

मधुशाला : ०९ : रामदास – रघुवीर सहाय

चौड़ी सड़क गली पतली थी
दिन का समय घनी बदली थी
रामदास उस दिन उदास था
अंत समय आ गया पास था
उसे बता यह दिया गया था उसकी हत्या होगी

धीरे धीरे चला अकेले
सोचा साथ किसी को ले ले
फिर रह गया, सड़क पर सब थे
सभी मौन थे सभी निहत्थे
सभी जानते थे यह उस दिन उसकी हत्या होगी

खड़ा हुआ वह बीच सड़क पर
दोनों हाथ पेट पर रख कर
सधे क़दम रख कर के आए
लोग सिमट कर आँख गड़ाए
लगे देखने उसको जिसकी तय था हत्या होगी

निकल गली से तब हत्यारा
आया उसने नाम पुकारा
हाथ तौल कर चाकू मारा
छूटा लोहू का फव्वारा
कहा नहीं था उसने आख़िर उसकी हत्या होगी

भीड़ ठेल कर लौट गया वह
मरा पड़ा है रामदास यह
देखो-देखो बार बार कह
लोग निडर उस जगह खड़े रह
लगे बुलाने उन्हें जिन्हें संशय था हत्या होगी

– रघुवीर सहाय

આ કાવ્ય BBC દ્વારા ઘોષિત સદીના શ્રેષ્ઠ 10 હિન્દી કાવ્યોમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં સલમાનખાન જે રીતે નિર્દોષ છૂટી ગયો છે અને સમગ્ર ન્યાયવ્યવસ્થાના તેમજ પોલિસતંત્રના ગાલે સણસણતો મારીને નફ્ફટાઈપૂર્વક હસી રહ્યો છે , તે પરિસ્થિતિને હૂબહૂ આલેખાઈ છે અહીં.

Comments (5)

मधुशाला : ०४ : वसीयत – अज्ञेय

मेरी छाती पर
हवाएँ लिख जाती हैं
महीन रेखाओं में
अपनी वसीयत
और फिर हवाओं के झोंके ही
वसीयतनामा उड़ा कर
कहीं और ले जाते हैं।

बहकी हवाओ! वसीयत करने से पहले
हलफ़ उठाना पड़ता है
कि वसीयत करने वाले के
होश-हवास दुरुस्त हैं :
और तुम्हें इस के लिए
गवाह कौन मिलेगा
मेरे ही सिवा?

क्या मेरी गवाही
तुम्हारी वसीयत से ज़्यादा टिकाऊ होगी?

– अज्ञेय

આ કવિતા વિશે બે શબ્દ લખવાનું મેં જેટલીવાર વિચાર્યું એટલીવાર હું પાછો પડ્યો. હવાની વસિયત શી હોઈ શકે ? એની આવન-જાવન અને છાતી શ્વાસોચ્છ્વાસના પ્રતિક છે કે કોઈ બીજો જ અર્થ કાઢી શકાય…વિ.વિ. જેમ જેમ વિચાર્યું, હું ગૂંચવાતો જ ગયો. પણ કવિતામાં કંઈક એવું ચુંબક હતું જે શબ્દોમાં વર્ણવવું અશક્ય લાગ્યું અને કાવ્યથી દૂર જવું પણ નામુમકિન.

Comments (5)

मधुशाला : ०३ : मकान की ऊपरी मंज़िल पर – गुलज़ार

मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता

वो कमरे बंद हैं कबसे
जो 24 सीढियां जो उन तक पहुँचती थी, अब ऊपर नहीं जाती

मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता
वहाँ कमरों में, इतना याद है मुझको
खिलौने एक पुरानी टोकरी में भर के रखे थे
बहुत से तो उठाने, फेंकने, रखने में चूरा हो गए

वहाँ एक बालकनी भी थी, जहां एक बेंत का झूला लटकता था.
मेरा एक दोस्त था, तोता, वो रोज़ आता था
उसको एक हरी मिर्ची खिलाता था

उसी के सामने एक छत थी, जहाँ पर
एक मोर बैठा आसमां पर रात भर
मीठे सितारे चुगता रहता था

मेरे बच्चों ने वो देखा नहीं,
वो नीचे की मंजिल पे रहते हैं
जहाँ पर पियानो रखा है, पुराने पारसी स्टाइल का
फ्रेज़र से ख़रीदा था, मगर कुछ बेसुरी आवाजें करता है
के उसकी रीड्स सारी हिल गयी हैं, सुरों के ऊपर दूसरे सुर चढ़ गए हैं

उसी मंज़िल पे एक पुश्तैनी बैठक थी
जहाँ पुरखों की तसवीरें लटकती थी
मैं सीधा करता रहता था, हवा फिर टेढा कर जाती

बहू को मूछों वाले सारे पुरखे क्लीशे [Cliche] लगते थे
मेरे बच्चों ने आखिर उनको कीलों से उतारा, पुराने न्यूज़ पेपर में
उन्हें महफूज़ कर के रख दिया था
मेरा भांजा ले जाता है फिल्मो में
कभी सेट पर लगाता है, किराया मिलता है उनसे

मेरी मंज़िल पे मेरे सामने
मेहमानखाना है, मेरे पोते कभी
अमरीका से आये तो रुकते हैं
अलग साइज़ में आते हैं वो जितनी बार आते
हैं, ख़ुदा जाने वही आते हैं या
हर बार कोई दूसरा आता है

वो एक कमरा जो पीछे की तरफ बंद
है, जहाँ बत्ती नहीं जलती, वहाँ एक
रोज़री रखी है, वो उससे महकता है,
वहां वो दाई रहती थी कि जिसने
तीनों बच्चों को बड़ा करने में
अपनी उम्र दे दी थी, मरी तो मैंने
दफनाया नहीं, महफूज़ करके रख दिया उसको.

और उसके बाद एक दो सीढिया हैं,
नीचे तहखाने में जाती हैं,
जहाँ ख़ामोशी रोशन है, सुकून
सोया हुआ है, बस इतनी सी पहलू में
जगह रख कर, के जब मैं सीढियों
से नीचे आऊँ तो उसी के पहलू
में बाज़ू पे सर रख कर सो जाऊँ

मकान की ऊपरी मंज़िल पर कोई नहीं रहता…

– गुलज़ार

કવિતામાં વાત છે જૂના મકાનની. મકાન કે જેનો વખત વહી ગયો છે. પણ એની સાથે મકાનમાલિકની પણ વાત છે. મકાન અને એના માલિક બન્નેની કથા એક બીજા સાથે ગૂંથાઈ ગયેલી છે. કવિ મકાનના એક પછી એક ભાગમાં તમને લઈ જાય છે અને પોતાના દિલનો એક પછી એક ખૂણો તમને બતાવતા જાય છે. નાજુક યાદગીરીઓ અને બદલાતા સમય સાથે ખોવાઈ ગયેલી લાગણીઓનું આ કવિતામાં બારીક નકશીકામ છે.

Comments (3)

અથાણું અને અંધકાર – મનીષા જોષી

મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું.
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ,
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ,
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ,
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ,
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે,
અત્યારે, અડધી રાત્રે, આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું, એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે,
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું, અત્યારે, આ મધરાતે, મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.

– મનીષા જોષી

પાક્કી ગુજરાતી કવિતા. જે લોકો અથાણાંના સાચા શોખીન છે એ લોકોની સ્વાદેન્દ્રિય તો આ કવિતા વાંચતાવેંત જ સળવળાટ કરવા માંડવાની. પણ અલગ અલગ અથાણાં, અથાણાં ભરવા-સૂકવવા અને સમેટવાની કાવ્યાત્મક રીતો પતે પછી “આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ, મારી પણ જીવાદોરી છે” – એમ કવયિત્રી કહે છે ત્યાંથી ખરી કવિતાની શરૂઆત થાય છે. અલગ અલગ સ્વાદનાં અથાણાં, તેલ, અંધકાર અને જીવન, જિજિવિષા, જીવાદોરી : કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય એવો છે…

Comments (8)

(-) – લતા હિરાણી

પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….

– લતા હિરાણી

ખરતાં પાનની લીલી વાતો…

Comments (8)

કાચનો પ્યાલો – સિતાંશુ યશશ્ચંદ્ર

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

Vulnerability શબ્દ માટે કોઈ ગુજરાતી શબ્દ મળતો નથી. કાવ્યના કેન્દ્રસ્થાને Vulnerability છે. interpersonal relationship માં દાઝ્યા પછી, વારંવાર દાઝ્યા પછી વ્યક્તિ પોતાની ફરતે એક મજબૂત કિલ્લો ચણી લેતો હોય છે. આ પગલું લીધા પછી એ બાહ્ય આક્રમણથી તો કદાચ બચી પણ જાય , પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે તેની દુનિયા એ કિલ્લાના પરિઘ પૂરતી સીમિત પણ થઇ જાય !!! વિશ્વનું અદભૂત સૌન્દર્ય,સાનંદાશ્ચર્ય, વિસ્મય,પરિવર્તનજન્ય નાવીન્ય ઈત્યાદીથી સમૂળગો અળગો પણ થઇ જ જાય.

કાચની ચીજ એટલે કિલ્લેબંધી વગરનું મુક્ત કિંતુ vulnerable અસ્તિત્વ.

Comments (5)

No more moon in the water ! – Chiyono [ ઝેન સાધ્વી ]

In this way and that
I tried to save the old pail
Since the bamboo strip was weakening
And about to break
Until at last the bottom fell out.
No more water in the pail !
No more moon in the water !

– Chiyono [ ઝેન સાધ્વી ]

આ કાવ્યની ભૂમિકા એવી છે કે ઝેન સાધ્વી ચિયોનો વર્ષો સુધી તપસ્યા કરતી રહી પરંતુ આત્મસાક્ષાત્કાર [ satori ] દુર્લભ હતો. એક ચાંદની રાતે સાધ્વી એક જૂનો ઘડો વાંસ સાથે બાંધીને પાણી લઈને મઠ તરફ જતી હતી. વાંસ તૂટી ગયો…..ઘડો ફૂટી ગયો……તત્ક્ષણ ચિયોનો ને આત્મસાક્ષાત્કાર થઇ ગયો….. સાધ્વીએ આ કવિતા તે ક્ષણને વર્ણવતી લખી છે.

અહીં વાંસ એ મન અને અ-મન વચ્ચેનો અંતરાય – અર્થાત વિચારજન્ય બંધનો. પાણીમાં પ્રતિબિમ્બિત ચંદ્રનું પ્રતિબિંબ એ જેવું પાણી ઢોળાઈ જાય તેવું જ અદ્રશ્ય થઇ જાય છે, છલના ભાંગી જાય છે. વ્યક્તિની ઘણી જિંદગી આ છલનાનો તાગ પામવામાં જ વ્યતિત થઇ જાય છે. એક ચમત્કારિક ક્ષણે વાંસ તૂટે છે, પાણી ઢોળાઈ જાય છે અને છલના ભાંગી જાય છે.

Comments (5)

અકડુ ઈતિહાસ – હાવર્ડ ઓલ્ટમેન (અનુ. ધવલ શાહ)

ઈતિહાસ ગાદી પર બીરાજે છે
બારી બારણાં વિનાના ઓરડામાં.
સવારમાં એ બારણું શોધવા ખાંખાખોળા કરે છે,
ને બપોર વામકુક્ષિમાં કાઢે છે,
મધરાતના ટકોરે
આળસ મરડીને એ નિસાસો મૂકે છે.
એ સમયને જાળવે છે ને ભૂલી પણ જાય છે.
એ પોતાનુ મહત્વ જાણે છે ને ભૂલી પણ જાય છે.
કોઈ વાર એ ગાદીને પગથિયું સમજી બેસે છે
ને કોઈ વાર જાણે એને માટે ગાદી જેવું કંઈ છે નહીં.
છેવાડેથી એ તદ્દન અલગ જ દેખાય છે.
ગાંડપણમાં એ કોઈને ગાંઠે એમ નથી.
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
આપણા બધાના ઘરથી બહુ ઉચે.

– હાવર્ડ ઓલ્ટમેન
(અનુ. ધવલ શાહ)

*

આ મજાની કવિતાનો અનુવાદ કરવા જતાં હું full moonવાળી લીટીમાં અટવાયો. એટલે મેં ધવલ નામની સંકટ સમયની સાંકળ ખેંચી. એણે એ એક લીટીના જવાબમાં આખી જ કવિતાનો અનુવાદ કરી મોકલ્યો. એનો અનુવાદ મારા અનુવાદ કરતાં એટલો સહજ હતો કે મેં મારા અનુવાદને રદિયો આપી દીધો.

શાળામાં હોઈએ ત્યારે ફરજિયાતપણે અને એ પછી મરજીયાતપણે પણ આપણે એક યા બીજા કારણોસર ઈતિહાસના સંસર્ગમાં રહેતાં હોઈએ છીએ. અહીં કવિએ ઈતિહાસનું Personification કરીને ઈતિહાસને એક અલગ જ આયામથી આપણી સમક્ષ રજૂ કર્યો છે.

*
Holding Posture

History sits on a chair
in a room without windows.
Mornings it searches for a door,
afternoons it naps.
At the stroke of midnight,
it stretches its body and sighs.
It keeps time and loses time,
knows its place and doesn’t know its place.
Sometimes it considers the chair a step,
sometimes it believes the chair is not there.
To corners it never looks the same.
Under a full moon it holds its own.
History sits on a chair
in a room above our houses.

– Howard Altmann

“This short poem was conceived in Lisbon, where the light never rests on its laurels. It was put to bed a few years later in New York City, where the light crowds out the stars.”
—Howard Altmann

Comments (8)

no-mind

From where did the Buddha come,
To where did the Buddha go?
If the Buddha is still around,
Where can be the Buddha found?      – Shun-tsung

From non-activity the Buddha came
To non-activity the Buddha disappeared.
Cosmic reality his spiritual body is,
In no-mind the Buddha will appear.      – Ju-man

Great mountains, rivers and seas,
Heaven and earth, sun and moon.
Who says there is no birth and death?
For even these meet their end soon.       -Shun-tsung

Birth is also before birth,
Death is also before death.
If you have attained no-mind,
Naturally there will be nothing left.        -Ju-man

આ એક ચીનના રાજા અને ઝેન મહાત્મા વચ્ચેનો સંવાદ છે. આશરે 1500 વર્ષ પહેલાનો આ સંવાદ ઝેનસાહિત્યમાં ખૂબ જાણીતો છે. પ્રથમ દ્રષ્ટિએ માત્ર contradictory statements હોય એવી છાપ ઊભી કરતો આ સંવાદ ઘણીબધી વાર વાંચ્યા પછી ઊઘડે છે.

સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં ઝેન બુધ્ધીઝ્મ વિષે થોડી મૂળભૂત વાત કરું તો તેમાં મૌન,અનુભૂતિ અને અનુભવ – આ જ મુખ્ય પદ્ધતિઓ છે જે દ્વારા ઝેન માસ્ટર પોતાની પ્રજ્ઞા શિષ્ય સુધી પહોંચાડે છે. કોઈ પ્રવચન અથવા તો વિશાળ ગ્રંથાભ્યાસ હોતો નથી. કોઈકવાર ગુરુ એક જ વાક્ય બોલે જેના ઉપર શિષ્ય આખી જિંદગી વિચાર કરે !!!!!! આવું કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે સ્વ-અધ્યાય વિનાનું સર્વ વ્યર્થ છે.

પ્રથમ પ્રશ્ન સ્પષ્ટ છે – અહીં કોઈ શારીરિક આવાગમનની પૃચ્છા નથી. વાત બુદ્ધત્વની છે. ઉત્તરમાં વપરાયેલા ત્રણ શબ્દો મહત્વના છે – non-activity, cosmic reality અને no-mind. ત્રણે શબ્દની વિસ્તૃત સમજૂતી ખૂબ લાંબી થઇ જવાનો ડર છે, તેથી ટૂંકમાં – non-activity એટલે સંપૂર્ણપણે કર્તૃત્વભાવ વિનાનું-સંપૂર્ણ સહજ અસ્તિત્વ. cosmic reality એટલે અદ્વૈતની સહજ સ્વીકૃતિ. no-mind એટલે એ અવસ્થા જ્યાં વિચાર અને વિચારકનું દ્વૈત શમી જાય છે. [ આ અત્યંત જ સંક્ષિપ્ત ભાવાર્થ છે ].

બીજા પ્રશ્નનો ઉત્તર અદભૂત છે – પ્રત્યેક ક્ષણ નૂતન છે. ગ્રીક ફિલોસોફર હેરાકલિટસનું અમર સૂત્ર છે – ‘ one can never step into the same river twice.’ પ્રતિક્ષણ ધસમસતું વહેતું પાણી એ નદી છે. ક્ષણ વીતી ગઈ-પાણી વહી ગયું-નદી બદલાઈ ગઈ ! એ જ રીતે જીવન સતત – ક્ષણે ક્ષણે જન્મ લે છે અને ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે…. સાતત્યનો ભાસ ઊભું કરનાર તત્વ છે mind . જેવું mind ને અતિક્રમીને ‘no-mind’ અવસ્થામાં જીવન પ્રવેશે છે તેવું તરત જ જન્મ-મૃત્યુનું પરંપરાગત જ્ઞાન બાષ્પીભૂત થઇ જાય છે.

આ બધી વાતો લાગે તો રોચક, પરંતુ વ્યવહારનું શું !?? એ જ્ઞાન શું કામનું કે જે વ્યવહારમાં નેપથ્યમાં ધકેલાઈ જાય !! ભગવાન બુદ્ધે વ્યવહારઉપયોગી વાત સિવાય કોઈ વાત કદી કરી જ નથી. તેઓ એક માત્ર એવા મહાત્મા હતા જેઓએ કદીપણ ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’ શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. તેઓ કહેતા કે જિંદગી એ પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેનો ખેલ છે. ન તો એ પહેલા કશું હોય છે કે ન તો એ પછી. [ આથી જ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભિન્ન ધર્મ છે ]. તેઓએ સતત જીવન અને તેની વિષમતાઓની જ વાત કરી છે. જીવનને સમજતા જેમ ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ એક એવી અવસ્થા આવે છે-એવા પ્રશ્નો ઉદભવે છે કે જેનું સમાધાન ઉપરોક્ત કાવ્યમાં આલેખાયું છે.

Comments (6)

કાગળ – રમણીક સોમેશ્વર

કવિતાને મેં
કાગળથી
દૂર જ રાખી
આખરે
કાગળ એટલે તો
મારા ટેબલ ઉપર પડેલી
લંબચોરસ આકૃતિ
ભલે ને પછી
આખી થપ્પી હોય
પણ
અંતે તો એ
ચોક્કસ માપમાં
બંધાયેલો આકાર
અને
જ્યાં જ્યાં આકાર
ત્યાં ત્યાં વિકાર
મારેબચાવી લેવી હતી કવિતાને
બધી જ કુંઠાઓથી
પછી
રહી રહીને મને સમજાયું
કે
કાગળ તો ખરેખર હોય છે
કાગળની બહાર જ
કવિતાની જેમ.

– રમણીક સોમેશ્વર

રમણીક સોમેશ્વરની કાગળ વિશેની આ બીજી કૃતિ. કવિતા ખરેખર કાગળમાં હોય છે? કવિતાને કોઈ પણ પ્રકારનો આકાર આપીએ, અક્ષરોમાં બાંધી પછી એ ખરેખર કવિતા રહે છે ખરી? કે પછી સાચી કવિતા એટલે સર્જકના ભાવપિંડમાં જે અનુભૂતિ થાય છે એ જ ? પ્રસ્તુત રચના સ-રસ રીતે જવાબ આપે છે.

Comments (4)

તમે તો ધારી લીધું છે ને – ચંદ્રા

તમે તો ધારી લીધું છે ને કે હું
માત્ર ભીના રૂમાલ, લાલ ગુલાબ અને ઉઝરડા વિશે જ લખું છું
કાં તો ડિસ્પ્રિન વિશે લખીશ
ને બહુ બહુ તો તૂટ્યાં ચંપલ, વિત્યો સમય ને અધૂરાં કાવ્યો વિશે.
જોરથી વરસાદનો એક છાંટો પડવાથી
દરિયાઈ મોજામાં પડેલ ગોબામાં ડૂબેલા વિષયને
હું ના જ લખી શકું, કેમ!?
બે દિવસ પે’લા
દાદીમાએ ત્રોફાવેલ છૂંદણામાંથી મેં એક મોર ચોરી લીધો
ને એના ગળામાંથી ટહૂકો ખેંચી કાઢીને ફંગોળ્યો
તો હવામાં ‘યુ આર સો રોમેન્ટિક’ ના ક્રિસ્ટલ ક્લિઅર પડઘા ઊડવા
માંડ્યા
હજી ગઈ કાલે રાતે જ,
કિ-બૉર્ડ પર ફરી વળેલ અક્ષરો પાછા એકઠા થઈને
કાંઈક કાવતરું કરતા રંગે હાથ પકડાયા,
મને જોતાવેંત કહે, ‘રૂમાલ આપો તો રડવું છે’
આ તો ખાલી વાત થઈ,
બાકી આજે સવારે જ પાડોશીની સંસ્કાર ચૅનલમાંથી એક હકીકત
રવેશ પર આવી ચડી, ‘વ્યક્તિ જે ધારે તે કરી શકે’
ને આમેય તમે તો ધારી જ લીધું છે ને કે હું…..

– ચંદ્રા

ચંદ્રા તળાવિયા કોલેજમાં પ્રાધ્યાપિકા છે અને વિદેશી સાહિત્યના ઊંડા ભાવક પણ. એટલે અનુઆધુનિક કવિતા અને જૉન ડૉનની મેટાફિઝિકલ પોએટ્રીની પરિકલ્પનાઓ એમના શબ્દોમાં સતત વમળાતાં અનુભવાય તો નવાઈ નહીં.

“તમે તો ધારી લીધું છે ને” ~ આ પ્રથમોક્તિ પ્રસ્તુત રચનાનો દરવાજો છે. આ દરવાજો જરા માટે ચૂક્યા નથી કે કોઈ બીજા જ ઘરમાં તમે ઘૂસ્યા નથી. કવિતા આવી હોવી જોઈએ, કવિતા તેવી હોવી જોઈએ, કવિતામાં કાવ્યતત્ત્વ તો હોવું જ જોઈએ, કવિતાનો કોઈક અર્થ તો હોવો જ જોઈએ, કવિતા આમે કે તેમ – આવી એકેય પૂર્વધારણા મનમાં રાખી નથી કે તમે આ કવિતામાંથી “આઉટ” થયા નથી.

તમામ પ્રકારના, I repeat, તમામ પ્રકારના ‘માઇન્ડ સેટ’ બાજુએ મૂકીને જ તમે કવયિત્રી શું કહેવા માંગે છે એ સમજી શકશો. આ માણસ તો આમ જ કરી શકે અને આ માણસ તો તેમ જ – એવી ધારણાઓમાં આપણે આપણી આસપાસના દરેક વ્યક્તિને તો બાંધી જ દેતાં હોઈ છીએ પણ આપણે પોતે પણ આપણા પોતાના વિશે આવા જ વાડા રચી દેતાં હોઈએ છીએ.

કવયિત્રી બહુ સિફતપૂર્વક અલગ-અલગ સંદર્ભોથી ધારણાઓની વિશાળ દુનિયા તરફ ઇંગિત કરે છે અને એક બાહોશ કલાકારની જેમ સમાંતરે જ પોતાની ખૂબી પણ છતી કરતાં જાય છે. સરવાળે આસ્વાદ્ય રચના.

Comments (8)

(-) – યોગેશ જોષી

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

– યોગેશ જોષી
(૧૭-૦૯-૧૯૭૮)

કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…

Comments (8)

પાણી એક રોશની છે – કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ

પ્રતીક્ષા ન કરો
જે કહેવું હોય
એ કહી નાખો
કારણકે શક્ય છે
પછી કહેવાનો કોઈ અર્થ જ ન રહે.

વિચાર કરો
જ્યાં ઊભા છો ત્યાંથી જ વિચાર કરો
ભલે રાખથી જ શરૂ કરો
પણ વિચાર કરો.

એ જગાની તલાશ વ્યર્થ છે
જ્યાં પહોંચીને આ દુનિયા
એક અફીણના ડોડામાં બદલાઈ જાય છે.

નદી સૂઈ રહી છે
એને સૂવા દો
એના સૂવાથી
દુનિયાના હોવાનો અંદાજ મળી રહે છે

પૂછો
જેટલીવાર પૂછવું પડે એટલી વાર પૂછો
ભલે પૂછવામાં ગમે તેટલી તકલીફ પડે
પણ પૂછો
પૂછો કે ગાડી હજી કેટલી લેટ છે

પાણી એક રોશની છે
અંધારામાં આ જ એક વાત છે
જે તમે પૂરા વિશ્વાસથી
કહી શકો છો બીજાને.

– કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ

આ કાવ્યના ગુહ્યાર્થ બાબતે હું બહુ ચોક્કસ નથી છતાં મને જે સમજાયું છે તે કંઈક આ પ્રમાણે છે –

વિચારશૂન્યતા – ભયાનક જડતા – ઉપર વેધક કટાક્ષ છે અહીં. Bertrand Russel નું એક વાક્ય યાદ આવે છે – ‘ People would rather die then think. And they actually do ! ‘
‘સૂતી નદી’ એ દુનિયાની પ્રવાહહીનતા-જડતા નું પ્રતિક છે. પાણીને રોશની સાથે કોઈ સંબંધ નથી છતાં અંધારામાં – અર્થાત અગાધ અજ્ઞાનના અંધારે – રહેલા આપણે કેટલા વ્યર્થવિશ્વાસ સાથે બીજાને અભિપ્રાય આપી દઈએ છીએ !! અણજાણ મુલકે આંધળો અજાણ્યાને દોરે….!!

ભાવાર્થ બાબતે સૌ પોતપોતાના વિચારો મૂકશે તો આભારી થઈશ…..

Comments (2)

કાગળ – રમણીક સોમેશ્વર

કાગળ
હોય છે જ્યારે કોરો
ત્યારે જ હોય છે
ખરેખરો કાગળ
સૌથી વધુ ભર્યોભર્યો

તળ-અતળની
અનંત અજાયબીઓ
અકબંધ હોય છે
એની પાસે
અને
ખળભળતી હોય છે એનામાં
લેખણની શોધ પહેલાંની
ભાષા
ઘુંટાયા કરતો હોય છે
અવાજનો આકાર બંધાયા પહેલાંનો
ધ્વનિ
પૃથ્વીના જન્મ પહેલાંની
ગંધો લઈ ઘૂમરાતો હોય છે
વાયુ
એની ચામડી નીચે
સળવળતી હોય છે
સૃષ્ટિના બીજારોપણની કથાઓ
હું
અક્ષર પાડીને
એને ઉકેલવા મથું છું
ને
ફરીફરીને
મારી નજર ખોડાય છે
અક્ષરો વચ્ચેના
ખાલીપણા પર.

– રમણીક સોમેશ્વર

આવા મજાના કાવ્યનો આસ્વાદ કરાવવા અક્ષરો ન બગાડું, ને કાગળ કોરો જ રાખું એ જ ઉત્તમ.

Comments (8)

માન – મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર બાંધી રહી છે-
ખાઈ,
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
પતંગિયામાં પરિવર્તિત થાય છે
તળિયે પછડાતાં પહેલાં
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે બહેતર છે
અટકાવી રાખતા હાથ કરતાં
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મેલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

ગ્રીક પુરાકથાઓનો કથાનાયક એટલસ (શિરોધર) એક સજાના ભાગરૂપે માથા પર સ્વર્ગો ઊંચકે છે. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. અહીં કવયિત્રી પણ એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે…

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. રાતનો સમય એના માટે એક યુદ્ધ સમો છે. પણ પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કેવળ ધુમ્મસ જ છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે પણ આ અશ્વો તળિયે પછડાતાં પહેલાં પતંગિયામાં પરિવર્તન પામે છે એ પોતાની આંતર્શક્તિમાં રહેલ વિશ્વાસ અને તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसोमा ज्योतिर्गमय |

પૌરુષી અત્યાચારોનું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ પગ વચ્ચે દબાવીને કસરત કરતી ન હોય એ સહજતાથી એ પોતાના વિશ્વને સાચવે છે. કવયિત્રી એની સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને સ્ત્રીને- યૌનપીડિતાને માન આપે છે.

*
Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

—Melissa Studdard

“This mighty, ethereal, unbreakable being appeared to me in a dream. She is part girl, part magic, making herself up in order to survive.”

—Melissa Studdard

Comments (12)

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

.

-મનીષા જોષી

ખૂબીપૂર્વક રૂપક વાપર્યા છે અહીં. મેઘધનુષ્ય એટલે સફેદ પ્રકાશનું સંતાન. સફેદ પ્રકાશ શાશ્વત છે,મેઘધનુષ્ય ક્ષણજીવી છે.

આ ચાવી વાપરીને કાવ્યને વિવિધ રીતે માણી શકાય…..મેઘધનુષ્ય એટલે ક્ષણજીવી સંબંધો, સફેદ પ્રકાશ એટલે એક દિલનો સંબંધ. વળી કવિયત્રીની આંખો શોધે છે સફેદ આકાશમાં ઊડી ગયેલું સફેદ પક્ષી – અહીં એક વધુ ચમત્કૃતિ છે. કોઈક કારણોસર ભૂતકાળનો એક અતિસંવેદનશીલ સંબંધ કે જેમાં ક્યાંક કોઈક કારણોસર વાચા દગો આપી ગઈ હતી, હૈયાની વાત હોઠે આવી શકી નહોતી, અને એ અમૂલ્ય ક્ષણ હંમેશ માટે લુપ્ત થઇ ગઈ હતી – તે પાત્રને,તે ક્ષણને આ તરસી આંખો શોધ્યા કરે છે…..સતત…..

Comments (4)

(કોશિશ) – ડૉ. રાધિકા ટિક્કુ

સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.

– ડૉ. રાધિકા ટિક્કુ

સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.

Comments (6)

मापदंड बदलो – दुष्यंत कुमार

मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम,
जुए के पत्ते-सा
मैं अभी अनिश्चित हूँ ।
मुझ पर हर ओर से चोटें पड़ रही हैं,
कोपलें उग रही हैं,
पत्तियाँ झड़ रही हैं,
मैं नया बनने के लिए खराद पर चढ़ रहा हूँ,
लड़ता हुआ
नई राह गढ़ता हुआ आगे बढ़ रहा हूँ ।

अगर इस लड़ाई में मेरी साँसें उखड़ गईं,
मेरे बाज़ू टूट गए,
मेरे चरणों में आँधियों के समूह ठहर गए,
मेरे अधरों पर तरंगाकुल संगीत जम गया,
या मेरे माथे पर शर्म की लकीरें खिंच गईं,
तो मुझे पराजित मत मानना,
समझना –
तब और भी बड़े पैमाने पर
मेरे हृदय में असंतोष उबल रहा होगा,
मेरी उम्मीदों के सैनिकों की पराजित पंक्तियाँ
एक बार और
शक्ति आजमाने को
धूल में खो जाने या कुछ हो जाने को
मचल रही होंगी ।
एक और अवसर की प्रतीक्षा में
मन की कंदीलें जल रही होंगी ।

ये जो फफोले तलुओं मे दीख रहे हैं
ये मुझको उकसाते हैं ।
पिंडलियों की उभरी हुई नसें
मुझ पर व्यंग्य करती हैं ।
मुँह पर पड़ी हुई यौवन की झुर्रियाँ
कसम देती हैं ।
कुछ हो अब, तय है –
मुझको आशंकाओं पर काबू पाना है,
पत्थरों के सीने में
प्रतिध्वनि जगाते हुए
परिचित उन राहों में एक बार
विजय-गीत गाते हुए जाना है –
जिनमें मैं हार चुका हूँ ।

मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम
मैं अभी अनिश्चित हूँ ।

– दुष्यंत कुमार

યુદ્ધ બાહ્ય રિપુ સામે હોય કે આંતરિક રિપુ સામે, સમર્થ સામે હોય કે કુટિલ સામે, સમોવડિયા સામે હોય કે વિરાટ બળ સામે – પરિણામનો આધાર ઇચ્છાશક્તિ [ will power ] ઉપર છે. આપણો ધર્મ છે પૂર્ણ સામર્થ્યસમેત લડવું…..ન તો જય કાયમી છે ન તો પરાજય, કાયમી છે પોઝિટિવ દ્રષ્ટિકોણ. કાયમી છે ‘ never say die ‘ સ્પિરિટ.

Comments (3)

આજકાલ – વેદ રાહી (ડોગરી) અનુ. નૂતન જાની

દિવસો એમ વીતી રહ્યા છે
જેમ
શત્રુના સિમાડા પાસેથી સૈન્ય.

શ્વાસ એમ લેવાઈ રહ્યા છે
જેમ
ઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ.

પ્રેમ એમ થઈ રહ્યો છે
જેમ
સામર્થ્યથી વધુ, કોઈ મજૂર,
ઉપાડીને
લઈ જઈ રહ્યો છે ભાર.

– વેદ રાહી (ડોગરી)
અનુ. નૂતન જાની

આમ તો આજે પંદરમી ઓગસ્ટ. સ્વતંત્રતા દિન. એટલે વરસમાં બે દિવસ પૂરતી જાગી ઊઠતી દેશભક્તિ સાથે સુમેળ ખાય એવી કવિતા શોધવાની નેમ હતી પણ આ કવિતા આંખ તળેથી પસાર થઈ અને શ્વાસ થંભી ગયા. આજના દિવસે આથી વધુ યથાર્થ બીજી કઈ કવિતા હોઈ શકે? પોલાં દેશભક્તિના નારા લગાવવાના બદલે નાગી વાસ્તવિક્તાની જ વાત ન કરીએ?

Comments (1)

એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન (અનુ. વિવેક મનહર ટેલર)

એકવાર, હું એક મજાનું ગીત જાણતો હતો,
-એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને કેવી સરસ રીતે સમજાવે છે ! કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે પણ કવિએ એ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. પણ જરૂર છે એને મુક્ત કરવાની કેમકે વિચારોની આઝાદી જ સાચી કવિતા છે.

*
LXV [Once, I knew a fine song]

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

Comments (4)

સમર્થ સાચો અવાજ – સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

હવે હું કઈ કહેવા નથી માંગતો,
સાંભળવા ઈચ્છું છું એક
સમર્થ સાચો અવાજ
કદાચ ક્યાંક હોય.

નહીં તો
એના પહેલાંનું
મારું પ્રત્યેક કથન
પ્રત્યેક મંથન
પ્રત્યેક અભિવ્યક્તિ
શૂન્ય સાથે ટકરાઈને પાછી ફરી આવે,
એ અનન્ત મૌનમાં સમાઈ જવા ઇચ્છું છું
જે મૃત્યુ છે.

‘જે કહ્યા વગર મરી ગયો’
આ અધિક ગૌરવશાળી છે
આ કહેવાથી –
‘ કારણકે એ મરવાના પહેલાથી
કંઈક કહી રહ્યો હતો
જેને કોઈએ સાંભળ્યું નહીં. ‘

– સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

” The wasteland grows. Woe to him who hides wasteland within.” – Nietzsche

આ ઉદગાર ઓગણીસમી સદીના અંતભાગે એ વ્યક્તિ દ્વારા ઉચ્ચારાયા છે કે જેને માટે ખલિલ જિબ્રાને એમ કહ્યું હતું કે Nietzsche પૃથ્વી ઉપર ચાલનાર માનવોમાંનો સૌથી બુદ્ધિમંત માનવ હતો.

આ ઉદગારો Nietzsche ના પુસ્તક ‘ Thus spake Zarathrusta ‘ ના નાયકના મુખેથી બોલાયા છે. અર્થ આમ તો સ્પષ્ટ છે – વેરાની ફેલાઈ રહી છે. ધિક્કાર છે એને જે પોતાની અંદર વેરાની સંઘરીને બેઠો છે. આ વેરાની-ઉજ્જડતા વૈચારિક વેરાની છે…… સ્પષ્ટ-પૂર્વગ્રહમુક્ત-સમ્યક દર્શનના અભાવની વાત છે. અનભિજ્ઞ પ્રદેશે હિંમતભેર વિચરણના સાહસના સદંતર અભાવની વાત છે. વળી, ભયાનક વાત એ છે કે આ વેરાની ફેલાઈ રહી છે……ધીમે ધીમે બધું જ ઉજ્જડ થઇ જશે……

અનેક પ્રજ્ઞાવાન સાહસિકો આવું બધું ઘણું કહી ગયા છે…. શૂન્ય સાથે ટકરાઈને તેઓના સાદ પાછા વળતા રહ્યા છે. માનવજાત સ્વભાવગત પ્રચંડ આળસ અને ડરના અસાધ્ય રોગથી મુક્ત નથી થઇ શકતી.

જે કોઈ પણ ચિંતક વ્યક્તિને પોતાને કંઈક કરવાનું કહે છે તેને માનવજાત તરત જ ક્યાં તો ગુમનામીના અંધારે ગુમ કરી દે છે અથવા ઈશ્વર બનાવીને મંદિર/મસ્જીદ/ચર્ચમાં કેદ કરી દે છે…….

Comments (3)

Zen poem – Foyan

It is as though you have an eye
That sees all forms
But does not see itself.
This is how your mind is.
Its light penetrates everywhere
And engulfs everything,
So why does it not know itself?

-Foyan

[ સરળ કાવ્ય છે તેથી ભાષાંતર નથી કર્યું. ]

અસંખ્ય થોથાંમાં જે વાત કહેવાતી આવી છે તે વાત સાત લીટીમાં કહેવાઈ છે – ઝેન કાવ્યનું આ મુખ્ય લક્ષણ છે. અનાદિકાળથી આ પ્રશ્ન ચિંતકોને કનડતો આવ્યો છે……જે વિચાર કરે છે તે મન, તો મનને કઈ રીતે જાણવું ?? અનંત પ્રશ્ન છે – જો સઘળું ઈશ્વરે સર્જ્યું તો ઈશ્વરને કોણે સર્જ્યો……ઈશ્વરના સર્જનહારને કોણે સર્જ્યો…..etc etc etc

મન શું છે તે જાણ્યા વગર મનની ગતિવિધિ સમજવી કઈ રીતે ?? અને સમજ્યા વગર એને નિયંત્રિત કઈ રીતે કરવી !!?? વ્યવહારમાં મબલખ વપરાતો શબ્દ ‘ધ્યાન’ સાંભળીને ઘણીવાર ખૂબ જ આશ્ચર્ય થાય – લોકો અમુક શારીરિક મુદ્રામાં બેસી આંખો બંધ કરીને એમ માનતા હોય છે કે એ ધ્યાન છે !! એવી પણ માન્યતા છે કે ધ્યાન voluntarily કરી શકાય છે અને કોઈકને શીખવી પણ શકાય છે. ઈચ્છા પ્રમાણે અમુક સમય ધ્યાનમાં બેસી શકાય છે ઈત્યાદી ઈત્યાદી…. ધ્યાન વિષે બે વ્યક્તિવિશેષ દ્વારા આધારભૂત માર્ગદર્શન અપાયું છે – ભગવાન બુદ્ધ અને જે. કૃષ્ણમૂર્તિ . આ વિષય ઘણો બહોળો હોવાથી અહીં તે વિષે વિસ્તૃત વાત નથી કરતો, પરંતુ લોકમાનસમાં ધ્યાન વિષે અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે તે મીનમેખ.

ધ્યાન વિષેની પ્રચલિત વાતો કદીપણ મારે ગળે ઉતરી શકી નથી. જ્યાં સુધી ‘વિચાર’ ના ઉદગમસ્થાનને ભલીભાંતિ સમજી નહિ શકાય ત્યાં સુધી વિચારને નિયંત્રિત કરવાની વાત કઈ રીતે સમજી શકાય ? વિચારના ઉદભવ,તેના વિકાસ અને તેની ગતિને સમજવું અર્થાત મનને સમજવું. જે ક્ષણે મન વિચારશૂન્ય થાય છે [ જેને પ્રચલિત પરિભાષામાં ‘ધ્યાન’ કહેવામાં આવે છે ] ત્યારે ‘મન’ જેવું કંઈ રહે છે ખરું !! શું ખરેખર વિચારશૂન્ય અવસ્થા ક્ષણભર માટે પણ શક્ય છે ખરી ? માની લો કે એવી અવસ્થા શક્ય છે તો તે વખતે ‘મન’ની વ્યાખ્યા શી ? જો રેતીનો એક કણ પણ રહે નહીં તો રણનું અસ્તિત્વ રહે ખરું ?? are thought and thinker different ?

ઉપરના તમામ પ્રશ્નોના જવાબ વ્યક્તિ પોતાની પ્રજ્ઞાના સ્તર અનુસાર જ સમજી શકે.

કાવ્ય માત્ર અંગૂલિનિર્દેશ કરે છે……..

Comments (7)

ગીતાંજલિ – 21 -રવીન્દ્રનાથ ઠાકુર

I must launch out my boat.
The languid hours pass by on the shore—Alas for me!

The spring has done its flowering and taken leave.
And now with the burden of faded futile flowers
I wait and linger.

The waves have become clamorous,
and upon the bank in the shady lane
the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon!
Do you not feel a thrill passing through the air
with the notes of the far-away song
floating from the other shore?

~ Rabindranath Tagore

મારે નાવ લઇ નીકળી પડવું જ રહ્યું.
મારી કમબખ્તી ! – ….કે કિનારે સુસ્ત સમય વીતતો જાય છે
વસંત પોતાનો નિખાર ફેલાવી ને ચાલી ગઈ.
અને હવે હું મુરઝાયેલા-વ્યર્થ ફૂલોના ભાર સહ
રાહ જોઉં છું, વ્યર્થ વિલંબ કર્યા કરું છું.

મોજાંઓ હવે ગરજી રહ્યા છે
અને કિનારે છાંયામાં
પીળા પર્ણો ખડખડી અને ખરી રહ્યા છે.

તું કયા ખાલીપાને તાકી રહ્યો છે !
નથી અનુભવી શકતો તું વાયરામાં વહેતો રોમાંચ
દૂરસુદૂરના ગીતના સૂરો સાથેનો
અન્ય કિનારેથી પ્રતરતો ?

-રવીન્દ્રનાથ ઠાકુર

કાવ્યનું માધુર્ય તો અસીમ છે જ કિન્તુ અર્થગહનતા જુઓ ! ભૂતકાળને વળગીને નિ;સાસા નાખતા રહેવું કે એ બધું ખંખેરીને ઉત્સાહભેર આગળ વધવું તે આપણાં જ હાથમાં છે. નિષ્કર્મણ્યતા,અવૈજ્ઞાનિકતા અને અંધશ્રદ્ધા ભારતવર્ષના અત્યંત જૂના અને હઠીલા રોગ છે…..

Comments (1)

રવીન્દ્રનાથ ઠાકુર – ગીતાંજલિ – 14

My desires are many and my cry is pitiful,
but ever didst thou save me by hard refusals;
and this strong mercy has been wrought into my life through and through.

Day by day thou art making me worthy of the simple,
great gifts that thou gavest to me unasked—this sky and the light, this body and the
life and the mind—saving me from perils of overmuch desire.

There are times when I languidly linger
and times when I awaken and hurry in search of my goal;
but cruelly thou hidest thyself from before me.

Day by day thou art making me worthy of thy full acceptance by
refusing me ever and anon, saving me from perils of weak, uncertain desire.

– Rabindranath Thakur

 

મારી ઈચ્છાઓ ઘણી છે અને આર્તનાદ હ્રદયદ્રાવક,
પરંતુ હંમેશા તેં મને તારા કઠોર અસ્વીકારથી બચાવ્યો છે;
અને તારી આ પ્રબળ કરુણાએ મને ઘડ્યો છે
વારંવાર.

પ્રતિદિન તું મને લાયક બનાવે છે
વણમાંગે તેં મને આપેલા સાદા,ભવ્ય ઉપહારો માટે-
આ વ્યોમ અને આ પ્રકાશ, આ દેહ અને જીવન અને મન –
રક્ષે છે મને અત્યાભિલાષાના જોખમોથી.

કોઈકવાર હું સુસ્તીથી આળસ્યા કરું છું
અને ક્યારેક હું જાગૃત થઈને ઉતાવળે મારા ધ્યેયને ખોળું છું;
કિન્તુ ક્રુરતાથી તું છૂપી જાય છે મારાથી.

પ્રતિદિન તું મને તારા પૂર્ણતય: સ્વીકાર માટે યોગ્યતર બનાવતો રહે છે
મને વખતોવખત અસ્વીકૃત કરીને,
બચાવતો રહે છે મને તું નબળી અને ધૂંધળી ઇચ્છાઓના જોખમોથી.

– રવીન્દ્રનાથ ઠાકુર

 

ગીતાંજલિનું આ ચૌદમું કાવ્ય ગુરુદેવની અગાધ પ્રજ્ઞાનું પ્રતિક છે…….

Comments (4)

ક્યારેક – સોનલ પરીખ

ક્યારેક
તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
તને દરેક રીતે મુક્ત રાખવાનું

ક્યારેક
મને બધી રીતે બંધાઈ જવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
દરેક રીતે મુક્ત રહેવાનું

બાંધવા-બંધાવાની ઇચ્છા પાછળ
પડછાયો છે એક એસલામતીનો

મુક્ત રાખવા-રહેવાની પાછળ ડોકાય છે
એક બીજી અસલામતી

મારું સત્ય
આ બે કિનારાની વચ્ચે
ક્યાં છે ?

– સોનલ પરીખ

એક પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે કશાયના ખટકા વિના સડસડાટ આગળ વધતી કવિતા અંતે જ્યારે પ્રશ્ન પર આવીને અટકે છે ત્યારે બે ઘડી આપણને પણ સવાલ થાય કે આ પ્રશ્ન તે ખાલી કવયિત્રીનો કે આપણા સહુનો ?

Comments (7)

સરિસૃપ કવિ – મનીષા જોષી

હું જાણું છું,
અત્યારે મારી નજર સામેથી
આ ખિસકોલીની જેમ,
બેધડક સરકી રહ્યો છે એ સમય,
ફરી પાછો નહીં આવે.
પણ એક કવિ તરીકે
મારે હવે ખાસ કંઈ કહેવાનું બાકી નથી રહ્યું.
સાંજે હું ચાલવા નીકળું ત્યારે
ઘણીવાર જોઉં છું,
ધૂળમાં બનાવેલા પોતાના દરમાં
અંદર સરી જતા જીવ-જંતુઓને.
સાંજ ઢળવા લાગે, અંધારું ઘેરું બને
અને હું ઘર તરફ પાછી વળતી હોઉં ત્યારે,
વિચાર આવે,
શું કરતા હશે,
આ જીવ-જંતુઓ અત્યારે, અંદર, પોતાના દરમાં ?
અને કોઈવાર ઇચ્છા થઈ જાય કે
પગથી થોડી ધૂળ ખસેડીને
આ બધા, મારા રસ્તામાં આવતા દર પૂરી દઉં.
શું કરવા આ સરિસૃપો રોજ બહાર નીકળે છે ?
હું કવિ છું,
અને હવે મારે કંઈ લખવું નથી.

– મનીષા જોષી

દરેક સર્જકના જીવનમાં એકાધિકવાર એવા મુકામ જરૂર આવે છે જ્યારે એને એવું લાગે કે હવે એની પાસે નવું સર્જવા માટે કશું બચ્યું નથી. અને આ ખાલીપાની લાગણીમાંથી જ ફરી એકવાર સર્જક ફિનિક્સ પંખીની જેમ બેઠો થતો હોય છે. કવિ જાણે છે કે જે સમય પસાર થઈ રહ્યો છે એ પાછો નહીં આવે અને છતાં આ પસાર થતા સમયનો સદુપયોગ સિસૃક્ષાના અભાવે કરી શકાતો નથી એ પીડા રોજિંદી દિનચર્યા સાથે બસ, વણાયેલી રહી જાય છે. પણ આખરે તો દરેક સર્જક એક સરિસૃપ સમો છે… લાખ ઇચ્છા થતાં એના ઘર ધૂળથી ઢાંકી શકાતા નથી અને બહારથી ભીતર અને ભીતરથી બહારની એની યાત્રા -સર્જન- યેનકેન પ્રકારે ચાલુ જ રહે છે…

Comments (4)

એક જૂની ઘટના – શીતલ મહેતા

કાલે કાળા તળાવમાંથી
એક જૂની ઘટના ઉપાડી.
એ પહેલાં જેવી ન હતી
લીસી અને ભીની હતી
ને વળી ચીકણી પણ!
વધારે પડતી સમજણની
લીલ જામી હતી ઉપર
ને થોડી જૂની વેદનાઓની
ફૂગ બાઝી ગયેલી…
પડી રહેલા સમયની શેવાળમાં
લપેટાયેલી હતી..
એક પળ થયું નાખી દઉં પાછી
પણ તોયે એ તો હશે જ તળિયે!
ઠરી જશે ત્યાં પાછી …
એટલે છોડું કે ન છોડું એમ વિચારતી
હાથમાં પકડીને જ ઊંઘી ગઈ.
આંખ ખુલી ત્યારે હથેળીમાં
એક સફેદ પીંછું હતું ને
સૂરજનું કિરણ સીધું તે પર પડતું હતું.

– શીતલ મહેતા

ફેસબુક પર નજર ફેરવતો હતો એવામાં “કાલે કાળા તળાવમાંથી એક જૂની ઘટના ઉપાડી” આટલું જ એક કવયિત્રીના પ્રોફાઇલ પર વાંચ્યું અને આ બે પંક્તિઓએ આખી રચના વાંચવા મજબૂર કરી દીધો…

મધ્યભાગમાં થોડી મુખર થઈ ગઈ છે એ વાત બાદ કરીએ તો આખી રચના અદભુત થઈ છે…

Comments (4)

ચંદ્રમા – ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

કેવી અનિર્વચનીય અને અદભુત છે
દરેક મૃત વસ્તુ !
ખરેલું પાંદડું, મરેલો માણસ, અને
ચંદ્રમાની થાળી !
બધાં ફૂલો જાણે છે એક રહસ્ય –
અને વનરાજી તેને સાચવે છે ! –
કે ચંદ્રની પૃથ્વીની ચારેકોરની પરિકમ્મા
ખરેખર તો મોતની કેડી છે.
ચંદ્ર વણે છે પોતાનો ગેબી વણાટ
(જેને ફૂલો ચાહે છે)
અને પોતાની અલૌકિક જાળ
સમસ્ત સજીવ જગતની આસપાસ વીંટાળ્યે જાય છે.
ચંદ્રમાની દાતરડી
પાનખરની પાછલી રાતોમાં
બધાં ફૂલોની લણણી કરી નાંખે છે,
(છતાંય) ફૂલો બધાં
તેના આ મૃત્યુચુંબનની પ્રતીક્ષા કરે છે

અસીમ આતુરતાથી.

– ઇંડિથ સોય્ડરગ્રાન (ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

મૃત્યુ સંસારનો એકમાત્ર અફર નિયમ હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાની નજરે એનો તાગ લેવા સદાકાળથી મથતો આવ્યો છે. જેનું વર્ણન થઈ શકતું નથી એવી અદભુત વસ્તુ મૃત્યુને કહીને કવિ ચંદ્રની પરિકમ્મા અને બીજના ચંદ્રના દાતરડાને અનિવાર્ય મૃત્યુ સાથે સાંકળી લે છે. પણ ખરું સૌંદર્ય તો મૃત્યુચુંબનની પ્રતીક્ષામાં અસીમ આતુરતાબદ્ધ ફૂલોની વાતમાં છે. વાત ફૂલોની છે કે આપણા સહુની ?

Comments (1)

રાત્રિ – રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

I have been one acquainted with the night.
I have walked out in rain—and back in rain.
I have outwalked the furthest city light.

I have looked down the saddest city lane.
I have passed by the watchman on his beat
And dropped my eyes, unwilling to explain.

I have stood still and stopped the sound of feet
When far away an interrupted cry
Came over houses from another street,

But not to call me back or say good-bye;
And further still at an unearthly height,
One luminary clock against the sky

Proclaimed the time was neither wrong nor right.
I have been one acquainted with the night.

ખબર છે મને રાત્રિની
વરસાદમાં બહાર ગયો છું – ને પાછો ફર્યો છું
શહેરના છેક છેલ્લા દીવાની પર ગયો છું હું.

શહેરની સૌથી ઉદાસ શેરીમાં નજર નાખી છે મેં.
પહેરો ભરતા ચોકીદારની પડખેથી પસાર થયો છું હું
અને ખુલાસા ટાળવા આંખો નીચી ઢાળી છે મેં.

હું શાંત ઊભો રહી ગયો છું, પગલાંનો અવાજ દબાવી દીધો છે મેં.
જયારે દૂર-દૂરથી કોઈ અચકાતો અવાજ
બાજુની શેરીમાંથી ઘરો પરથી કૂદીને આવતો હતો.

પણ મને પાછો બોલવવા કે આવજો કહેવાને નહીં.
અને એનાથીયે દૂર કોઈ ઊર્ધ્વ અ-ધર સ્થાને
આકાશમાં એક ઉજ્જવળ ઘડિયાળે

ઉદઘોષ કર્યો હતો કે કાળ ન’તો ખોટો કે ન’તો ખરો.
ખબર છે મને રાત્રિની.

– રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

અનુવાદ સાથે સંમત થઇ શકાતું નથી. મૂળ અંગ્રેજી કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ સરળતાથી પકડાય છે. નીચે ટિપ્પણ અંગ્રેજી મૂળ કાવ્યને આધારે લખ્યું છે :-

પ્રથમ પંક્તિનો શબ્દ ‘one’ અનુવાદમાં ધ્યાનમાં લેવાયો જ નથી તેથી આખો અર્થ જ ફેરવાઈ જાય છે. કૈંક આવો શબ્દાર્થ બેસે છે – ‘ રાત્રિથી પરિચિત હોય એવો એક હું છું.’ પરંતુ આ શબ્દાર્થ મૂકતાં ભાવાર્થ બેસતો નથી. પ્રથમ છ પંક્તિઓમાં એક એકલતા, નિરાશા, કિંકર્તવ્યમૂઢતા, ઉદ્દેશ્યહીનતા અને ઉદાસીનું ભાવવિશ્વ નિર્માય છે. વરસાદી રાતે એકલા નિરુદ્દેશે ચાલવું, કોઈ સાથે આંખો ન મેળવવી, નિર્જન શહેર-ગલીઓ ઈત્યાદિ આ ભાવવિશ્વ નિર્મિત કરે છે. સાતમી પંક્તિથી ભાવ બદલાય છે – દૂર-સુદૂર થી એક ધ્વનિ કવિને અટકાવી દે છે. કવિને ઉદ્દેશતો એ સાદ નથી. આકાશનો ચન્દ્ર એક ઘડિયાળની જેમ સમયની ગતિ ઈંગિત કરતો ઉદઘોષે છે કે – કાળ કદી સાચો કે ખોટો હોતો નથી……અર્થાત આપણું અર્થઘટન જુદું જુદું હોઈ શકે છે. કાળ નિરપેક્ષ છે. પ્રથમ પંક્તિ અંતે પાછી repeat થાય છે મતલબ એનો કૈંક ચોક્કસ સૂચિતાર્થ હોવો જ જોઈએ, પણ મને એ સમજાતો નથી. રોબર્ટ ફ્રોસ્ટ એકપણ શબ્દ બિનજરૂરી ન જ લખે.

આખા કાવ્યની સુંદરતા જે ભાવવિશ્વ ઊભું કરવામાં આવ્યું છે તેમાં જે નિપુણતાથી કાવ્યનો કેન્દ્રીય વિચાર સુપેરે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે- વણી લેવામાં આવ્યો છે- તેમાં છે. પ્રત્યેક પંક્તિ એકબીજીની પૂરક છે.

Comments (2)

(-) – કિશોર શાહ

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

– કિશોર શાહ

છત્રીના રૂપક વડે આખા સ્ત્રીજગતના અંતરંગ મનોભાવોનું અદભુત આકલન આપણને એક પુરુષ કવિ પાસેથી મળે છે.

Comments (11)

મને આવો ખ્યાલ પણ નહોતો – પન્ના નાયક

IMG_0491

 

હું જ
      એક ઝાડ છું 
હું જ
      એ ઝાડની ડાળી પર બેઠેલો
      કાગડો
હું જ
      એ કાગડાની ચાંચમાંની
      પૂરી
હું જ
      એ ઝાડની નીચે ઊભેલું
      શિયાળ પણ.

મને કોઈ ખ્યાલ પણ નહોતો
      કે     
મારે જીવવી પડશે
બચપણમાં સાંભળેલી
આ વારતા!

– પન્ના નાયક

 

શેક્સપિયર કહી ગયેલો કે દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોતપોતાના પાત્ર ભજવી રહ્યા છીએ. પણ એને પણ ખ્યાલ નહીં હોય છે એક જ માણસે એકી સાથે બધા જ પાત્રો ભજવવા પડે તો કેવો હાલ થાય !

Comments (2)

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાના નાના-વિધ shades ઉપસાવી આપતું મજાનું કાવ્ય. અછાંદસ હોવા છતાં કવિતાની ઘણીખરી પંક્તિઓમાં લય જળવાયેલો હોવાથી અંધારાનું સંગીત સાચે જ મંદ, મધુર વાયોલિન જેવું સંભળાય છે. કવિતાનો ઉપાડ વાંચતા જ તાઓ પંથનું મહાન વાક્ય યાદ આવે: “Darkness is eternal, light is a disturbance”

Comments (5)

Divorcee !! – નેહા પુરોહિત

સવારે એક ચકલી આવીને શાંત ઘરમાં શોર ભરી ગઈ.
ને ગાય આંગણે ઊભીને ભાંભરી,
રાતની વધેલી રોટલીની આશાએ.
કાછિયાએ શાકભાજી વાજબી ભાવે આપ્યા,
ધોબી ઇસ્ત્રી કરીને સમયસર આપી ગયેલો.
સાંજ પણ સમયસર પડેલી,
રાત પણ !
એકાદવાર મારી નજરેય અધખુલ્લા દરવાજે અથડાયેલી, પણ…..
એટલું કહે
આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલા ?

– નેહા પુરોહિત

છૂટાછેડાનો અર્થ પુરુષ માટે ગમે તે હોય, સ્ત્રી માટે કંઈક અલગ જ છે. નેહાની આ કવિતામાં આ સમ્-બંધવિચ્છેદમાં સ્ત્રી-સમ્-વેદન નગ્ન છરીની જેમ આપણા અહેસાસને આરપાર ચીરીને લોહી નીંગળતો કરી મૂકે છે…. ‘એકાદવાર’ ‘અધખુલ્લા’ અને ‘સહેજે’ શબ્દ પર જરા સાચવીને હાથ મૂકજો… કાંટાળી વાડના કાંટાની જેમ એ તમારી અંદર ખૂંપી ન જાય !

Comments (9)

અરે, કોઈ તો….. – જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્રક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારો ધબ…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:

‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ…”

અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

-જગદીશ જોષી

પ્રત્યેક પંક્તિમાં સૂચિતાર્થો છે. પ્રત્યેક નામમાં પણ ગુહ્યાર્થ ભર્યા છે. ફ્યૂઝ જતાં લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે……. – અદભૂત satire…..

ગંભીર વ્યંગ છે. ડંખીલો કે મારકણો વ્યંગ નથી. વિચારતા કરી દે એવો વ્યંગ છે. વાત માત્ર કવિના દેશને લાગુ પડતી નથી. સમગ્ર વિશ્વને સુપેરે લાગુ પડે છે. મીણબત્તી એટલે જેને બુદ્ધ ‘સમ્યક દર્શન’ કહે છે તેવી unbiased અને free દ્રષ્ટિ. દુનિયાના સૌથી કઠીન કામોમાંનું એક કામ છે – સ્વતંત્ર વિચાર કરવો. માનવજાત કોઈને કોઈ ઓઠા હેઠળ આ કામને ચતુરાઈપૂર્વક ટાળતી આવી છે.

Comments (12)

સ્વપ્ન – લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

એનો વિચાર કરતાં
મારી આંખો મળી ગઈ
અને એ આવ્યો :
જો મને ખબર હતે કે આ
માત્ર સ્વપ્ન છે
તો હું કદી જાગી ન હોત.

– લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

જાપનીઝ કાવ્ય તેના લાઘવ માટે પ્રખ્યાત છે. ઉર્દુના શેરની જેમ ગાગરમાં સાગર ભરે જાપનીઝ કવિઓ…. આ ટચૂકડા કાવ્યમાં નઝાકત સાથે વાંઝણી ઝંખનાની ઉત્કટતા ઝલકે છે.

Comments (5)

સાંજ – પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

આપણે આ સંધ્યા પણ ગુમાવી,
આ સાંજે જયારે નીલ રાત્રિ પૃથ્વી પટે ઊતરી
ત્યારે કોઈએ આપણને આંકડિયા ભીડી ફરતાં ન જોયા

મારી બારીએ મેં જોયો
દૂરના પર્વતો પરનો સાંધ્ય ઉત્સવ.

કવચિત સૂર્યનો એક
મારા હાથ વચ્ચેના સિક્કાની માફક સળગી ગયો.
તને પરિચિત એવા વિષાદમાં ડૂબેલા
આત્મા વડે મેં તને યાદ કરી.

તું ક્યાં હતી ત્યારે ?
બીજું કોણ હતું ત્યાં ?
શું કહેતું હતું ?
જયારે હું ઉદાસ છું અને તું દૂરસુદૂર છે એ અનુભવું છું
ત્યારે જ કેમ આ પ્રેમ એક સપાટામાં મને ચકરાઈ વળે છે ?

હંમેશાં હંમેશાં તું સાંજમાં ઓસરતી જાય છે –
જ્યાં સાંધ્ય પ્રકાશ સ્મારક પ્રતિમાઓને ભૂંસતો જાય છે ત્યાં.

-પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

એક ભાવવિશ્વ સર્જાય છે જયારે આપણે આ કાવ્યને બે-ત્રણ વાર ધીમેથી વાંચીએ છીએ ત્યારે….. ઉદાસી ઘેરી વળે છે…..વિખૂટી પડી ચૂકેલી પ્રિયતમા જાણે વધુ ને વધુ દૂરને દૂર સરકતી જાય છે……

Comments (3)

મુંબઈ – વિપિન પરીખ

હિલસ્ટેશન પર હું થોડીક તાજગી ખરીદવા ગયો હતો
હું તને ચાહતો નથી, મુંબઈ !
તારું ફિક્કું આકાશ મારી આંખોમાં વસતું નથી.
તારા ગંદા અને મેલા દરિયાને હું ધિક્કારું છું
રોજ સવારે ચર્ચગેટ પરની ભીડમાંથી મારી જાતને
હું માંડમાંડ છૂટી પાડું છું.
રોજ રાતે સપનામાં હું તારું ગળું ટૂંપું છું
છતાંય જો,
હું ફરી પાછો આવ્યો છું !

– વિપિન પરીખ

મહાનગરના અનિષ્ટ અને એમાં જીવન જીવવાની મજબૂરીના બે સમાંતર વચ્ચેથી ચપ્પુની ધારની જેમ ચીરતું જતું કાવ્ય…

Comments (6)

સ્ત્રી – જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

છેલ્લે તીર્થેશે “સ્ત્રી” વિશેની મનીષા જોષીની કવિતા મૂકી એટલે મને આ રચના યાદ આવી… બંને રચના સ્ત્રી વિશેની અને બંને રચના કવયિત્રીઓ વડે લખાયેલી…

તમે પુરુષ હોવ કે સ્ત્રી, જો તમારી છાતીના પિંજરામાં એક સહૃદય હૈયું ધબકતું હોય તો આ કવિતા વિશે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી…

આખી કવિતા કવયિત્રી એકીશ્વાસે બોલતા સંભળાય છે એ આ કવિતાનો વિશેષ છે. સ્ત્રી વિશેના બધા વિશેષણ પૂરા થાય ત્યાં સુધી કવિતામાં ક્યાંય પણ એકે અલ્પવિરામ, પૂર્ણવિરામ કે ઉદગારચિહ્ન આવતા જ નથી. સ્ત્રીના જીવનમાં પણ કોઈ વિરામ, અલ્પ કે પૂર્ણ- ક્યારેય ક્યાં આવતો જ હોય છે? પંક્તિઓ એકમાંથી બીજામાં પાણીની જેમ દડી જાય છે, બિલકુલ એ જ રીતે જે રીતે સ્ત્રી એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.

Comments (10)

સ્ત્રી – મનીષા જોષી

મારી અંદર એક વૃક્ષ
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે.
નવાં મહોરતાં ફૂલોના રંગથી મહેકતી,
તાજાં જન્મેલાં પંખીઓનાં બચ્ચાનાં
તીણા અવાજથી ચહેકતી,
તસુએ તસુ, તરબતર, હું એક સ્ત્રી.
કીડીઓની હાર ફરી વળે છે મારા અંગ પર,
અજગર વીંટળાય છે,અંધારું આલિંગે છે
અને મારી શાખાઓ પરથી ઝર્યા કરે છે મધ.
મોડી સાંજે,
ડાળીએ ડાળીએ ફરી વળતા અંધારા ભેગી
સરકતી આવતી ઉદાસીને
પાંદડાની છાલમાં છુપાવી લેતાં મને આવડે છે.
મને આવડી ગયું છે
પાનખરમાં પાંદડાઓને ખંખેરી નાખતાં.
સૂકાં, પીળાં પાન
તાણી જાય છે ઉદાસીને
નદીના વહેણમાં.
હું અહીંથી પડખુંયે ફરતી નથી,
પણ મને ખબર છે,
નદીપારના કોઈક સ્મશાનમાં
સૂકાં, પીળાં પાંદડાઓ ભેગી
ભડકે બળતી હશે મારી ઉદાસી.
પાંદડાં બળવાની સુગંધ
ઓળખી લે છે,
દરેક લીલુંછમ વૃક્ષ.

-મનીષા જોષી

દરેક ઉગતા સૂર્યને જોતા મારી તમામ નિરાશાઓ ખરી પડે છે……નિરાશ થવા સુદ્ધાં બદલ શરમ આવે છે…..

Comments (4)

રુમી

Are you searching for your soul?
Then come out of your prison.
Leave the stream and join the river
that flows into the ocean.
Absorbed in this world
you’ve made it your burden.
Rise above this world.
There is another vision…

– રુમી
[ સૌજન્ય – નેહલ ]

ભાષા સરળ છે અને વળી આ પોતે પણ અનુવાદ જ છે તેથી ત્રીજો અનુવાદ કરતો નથી.

કેદખાનામાંથી બહાર આવવાનું આહવાન છે….સ્વરચિત કેદખાનામાંથી. બાળપણથી જ અસંખ્ય રૂઢિઓ વડે થતાં conditioning ના કેદખાનામાંથી…. ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે….. વ્યવહારુ રીતે આમ કરવું કઈ રીતે ? – એક જ ઉપાય છે – સંપૂર્ણપણે open mind રાખીને honest inquiry કરતા રહેવાનો…..સતત…….

Comments (5)

‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તકમાંથી – ઓશો

आज कुछ नहीं दिया मुझे पूर्व ने
यों रोज कितना देता था।
छंद—छंद हवा के झोंके
प्रकाश गान गंध
आज उसने मुझे कुछ नहीं दिया
शायद मेरे भीतर नहीं उभरा
मेरा सूरज
खोले नहीं मेरे कमल ने
अपने दल
रात बीत जाने पर!

– ‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તકમાંથી – ઓશો

ઈશ્વરને અને ઈશ્વરની ફરિયાદ કરવી સાવ સહેલી છે, આપણી પાત્રતા-receptiveness ને મૂલ્યાંકિત કરવી અતિકઠિન છે.

Comments (4)

ટૂંકા અરીસામાં -શ્યામ સાધુ

ટૂંકા પડેલા અરીસામાં
વૃક્ષોની કવિતા નથી મળી આવતી !
મને અરીસામાં ટૂંકું પડે છે
એટલે મને
વેંઢારવાં પડે છે ગણી ન શકાય એટલાં
અનિશ્ચિતતાનાં વર્ષો !
આ પછી પણ
ટૂંકા પડેલા અરીસામાં તે છતાં
વૃક્ષોની કવિતાનાં મૂળ સુધ્ધાં નથી હોતાં !
શું હું માની શકું,
ટૂંકા પડેલા અરીસા
કોઈ ઘેરી ઉદાસ એકલતાનું નામ છે ?
શું કોઈ અચાનક
તૂટી ગયેલી નાનકડી
ડાળીની ચીસ છે ?
એ જો હો તે,
આ તો ટૂંકા પડેલા અરીસામાં
તમને ઝીલી ના શક્યો એટલે
આ મન તમારા સુધી ફેલાવ્યું
અને
પહોંચાડી છે આ કવિતા…

-શ્યામ સાધુ

વૃક્ષોની કવિતા એટલે જીવનની કવિતા.  અને ઉદાસી કે એકલતાના અરીસામાં જીવન ક્યાંથી મળે? જેને જીવનની લીલીછમ વાત કરવી છે એને તો ઘેરી ઉદાસી, એકલતા અને સંબંધ-વિચ્છેદની વાતો નાની જ પડવાની.  પ્રેમ જિંદગી છે, પ્રસન્નતા છે, સહવાસ છે એટલે જ કવિ પોતાની ઉદાસી મોકલાવવાને બદલે પોતાનું મન ભેટ ધરે છે…

 

Comments

રાતની હથેળી પર… – શહરયાર (ઉર્દૂ) (અનુ. ઉત્પલ ભાયાણી)

રાતની હથેળી પર
હાથ મૂકીને તેં શપથ લીધા હતા
કે સવારના સૂર્યની ચળકતી-ઝળકતી તલવાર
તને કદીયે ડરાવી શકશે નહીં:
અને તું તારી આંખમાં
છુપાયેલાં સ્વપ્નોના ખજાનાને
જે તારાથી બહાદુર અને તાકાતવાન હોય
એવા કોઈકને તું સોગાત તરીકે આપી દેશે.
પણ, હવે તને કોણ રોકે છે?

– શહરયાર (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)

નિર્ણય અને અમલની વચ્ચેની પાતળી ભેદરેખા… સ્વપ્ન અને વાસ્તવની વચ્ચેની નૉ મેન્સ લેન્ડ…

Comments

બે વૃક્ષ મળે ત્યારે – વિપિન પરીખ

બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૂપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!

-વિપિન પરીખ

આપણે આપણા રોજગાર ઉપર સવારી નથી કરતા, આપણો રોજગાર આપણા પર સવારી કરે છે.

Comments (9)

અરીસો મઢેલ શયનખંડ… – રીના બદિયાણી માણેક

પલંગ પાસે
શોખથી મઢાવેલા
અરીસામાં
રોજ મધરાત પછી હું એને જોઉં છું –
કલાકો સુધી ફોન પર એની સાથે chat કરતા…
સાત સમંદર પારથી
પેલી મોકલાવે
એની selfie
અને
હસતાં હસતાં એ ચૂમી લે છે એને….

પછી એનો હાથ
મારી પીઠ પર
લીલું લીલું સરકે છે
ત્યારે હું કદાચ હું નથી એના માટે
કંપીને
એના પડછાયામાં ઓગળવાનું
મારી ચામડી કદાચ શીખી ગઈ છે.
હવે તો
એની તરફ ફરી
હું પણ જોઉં છું
ફક્ત
એક છત……અને એક પુરુષ

– રીના બદિયાણી માણેક

લગ્નેતર સંબંધની પરાકાષ્ઠાએ પતિ પ્રેયસીની સેલ્ફીની ઉત્તેજના પત્નીને ભોગવીને ઉતારે છે ત્યારે પત્નીના “શારીરિક” સમર્પણ માટે કવયિત્રી જે શબ્દો વાપરે છે એ સહજ અનુભૂતિને ઉચ્ચતર કાવ્યકક્ષાએ આણે છે. મધરાતના અંધારામાં પડછાયા હોતા નથી. પણ નાયિકાની ચામડી, નાયિકા નહીં, કંપીને પતિમાં નહીં પણ એના કાળા પડછાયામાં ઓગળતા શીખી ગઈ છે… ભગ્ન લગ્નજીવનની વરવી નગ્ન વાસ્તવિક્તા એક છત અને એક પુરુષની જરૂરિયાતમાં છતી થાય છે. એક છત અને એક પુરુષની વચ્ચેના ટપકાંઓની ‘સ્પેસ’ જો કે વધુ માર્મિક રીતે આપણી છાતીમાં ભોંકાય છે.

Comments (17)

પ્રણયવિવાદ – વિલિયમ સ્ટ્રોડ (અનુ. વિવેક મનહર ટેલર)

મારી જાન અને હું ચુંબનો માટે રમતાં હતાં:
હોડ એ રાખશે- હું સંતુષ્ટ હતો;
પણ જ્યારે હું જીતું, મારે એને ચૂકવણી કરવાની;
આ વાતે મને પૂછવા પ્રેર્યો કે એનો મતલબ શો છે?
“ભલે, હું જોઈ શકું છું.” એણે કહ્યું, “તારી તકરારી મનોવૃત્તિ,
તારા ચુંબનો પરત લઈ લે, મને મારાં ફરી આપી દે.”

– વિલિયમ સ્ટ્રોડ (૧૬૦૨-૧૬૪૫)
(અનુ. વિવેક મનહર ટેલર)

*
કેવી મજાની ચુંબનોની રમત! રમતનું સ્વરૂપ ઇંગિત કરે છે કે પ્રેમ કેવો ગાઢ હશે ! શરૂઆતમાં તો પ્રેમી ઉદારતા બતાવે છે (સામાન્ય રીતે જોવા મળે એમ જ) પણ જેવી વાત પરિણામલક્ષી થઈ અને જીત્યા પછી મેળવવાના બદલે આપવા જેવી અવળી શરત પ્રેમિકા મૂકે છે (સામાન્ય રીતે સ્ત્રીઓ મૂકે એમ જ) કે તરત જ પુરુષ એનો સહજ રંગ બતાવે છે (સામાન્ય રીતે કરે એમ જ!)

પણ પ્રેમિકા જે જવાબ આપે છે એ આ સહજ રમતને કવિતાની કક્ષાએ લઈ જાય છે જેમાં એના પક્ષે ચુંબનોનો સરવાળો થવાના બદલે ગુણાકાર થઈ જાય છે.

આ કવિતાના એકાધિક સ્વરૂપ નેટ ઉપર જોવા મળે છે.

*
MY love and I for kisses played:
She would keep stakes—I was content;
But when I won, she would be paid;
This made me ask her what she meant.
“Pray since I see,” quoth she, “your wrangling vein, 5
Take your own kisses; give me mine again.”

– William Strode (1602–1645)

Comments (7)

જેનો જવાબ મળે એવી પ્રાર્થના – અના કામિએન્સ્કા (અનુ. સુરેશ દલાલ)

હે ઈશ્વર!
મને ખૂબ સહન કરવા દો
અને પછી મરવા દો.
મને મૌનને પંથે ચાલવા દો
અને પાછળ કશુંય ન મૂકી જાઉં – ભય પણ નહીં.
સૃષ્ટિને ચાલવા દો
અને સમુદ્રને રેતીને ચૂમવા દો – પહેલાંની જેમ જ.
ઘાસને એવું ને એવું લીલુંછમ રાખજો
જેથી દેડકાંઓ એમાં સંતાઈ શકે
જેથી કોઈ પોતાનો ચહેરો એમાં દાટી શકે
અને ડૂસકે ડૂસકે પ્રેમને વહી જવા દો.
ધવલ, ઉજજવલ દિવસને એવી રીતે ઊગવા દો
જાણ કે કયાંય કશી કોઈ વેદના નથી.
અને મારી કવિતા બારીની જેમ ચોખ્ખીચટ રહી શકે
કોઈ મોટો ભમરો એના ગુંજાર સાથે માથું પટકતો હોય તો પણ.

-અના કામિએન્સ્કા (પૉલિશ)
(અનુ. સુરેશ દલાલ)

*
નૂતન વર્ષ ૨૦૧૫ માટે લયસ્તરો તરફથી આપ સહુને હાર્દિક શુભકામનાઓ….
*

જ્યારે તમે તમારા પોતાના માટે વેદના અને તકલીફ સિવાય કશું ન માંગતા, માત્ર અન્યો માટે માંગો છો ત્યારે એ પ્રાર્થનાનો હંમેશા પ્રત્યુત્તર મળે જ છે. આપણે ન હોઈએ પછી પણ દુનિયા તો ચાલવાની જ છે, દરિયાનાં મોજાં કિનારા ભીંજવવાનાં જ છે, ઘાસ ઊગવાનું જ છે… કવયિત્રી ક્યાંય કોઈ વેદના ન હોય એવો પ્રકાશિત દિવસ બધા માટે માંગે છે જેથી એના પોતાના જીવનમાં ભલે માત્ર સહન કરી કરીને મરવાનું આવે, ભલે એ માત્ર મૌનના પંથે ચાલે, ભલે એની પાસે વિરાસતમાં મૂકી જવા માટે કશું ન બચે પણ એની કવિતા ચોખ્ખીચટ રહી શકે…

 

Comments (5)

કૂંજ પંખી – નલિન રાવળ

આકાશમાં ઊડી રહી છે
કૂંજ પંખીની હાર……

અધવચ પ્રવાસમાં સ્હેલવા
ઊતરે છે સરવરની પાળ,
સંધ્યાના આછા ઉજાસમાં
વૃક્ષોની ટોચ પર
વિરમી લગીર
ફરી
ઊડે છે ચાંદનીથી ઝૂમતા આકાશમાં .
હુંય મારા અંતરના આભમાં
નીરખું છું :
કિલકારે ઊડતી એ જાય…..
કૂંજ પંખીની હાર.

– નલિન રાવળ

જે. કૃષ્ણમૂર્તિ કહેતા – a bird never travels on exactly same path twice.

Comments (1)

સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો,
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સમુદ્રમંથનના રૂપકથી વાત કહી છે કવિએ….. મુખ્ય પંક્તિઓ પાંચમી અને છઠ્ઠી છે – ‘ આગ અને ભીનાશ…’. અદ્વૈતધ્વનિ….

આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય !! આ કાવ્યમાં પણ બે-ત્રણ ગર્ભિત અર્થો છુપાયેલા છે….. દેવ-દાનવે સરળ કર્યો-અર્થાત હળાહળ વિષ જેના ગર્ભમાં હતું તેના જ ગર્ભમાં અમૃત હતું….આગ અને ભીનાશ….ભીંજાવું અને દાઝવું… જે એક લેવા જાય તેને આપોઆપ બીજું મળે જ મળે…..

Comments (3)