હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2015

ઝળહળ – મનહર મોદી

ઝળહળ ઝળહળ અંધારું છે
હું એનો ને એ મારું છે

આ ઘર ઓ ઘર ને એ એ ઘર
ના મારું કે ના તારું છે

વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે

દુઃખને દુઃખ ભેટે છે હોંશે
આવું સુખ સૌથી સારું છે

કોક વખત એવું પણ લાગે
અજવાળું તો અંધારું છે

આભ અને એથી ઊંચે તું
પંખી કેવું ઊડનારું છે !

પડવું, ઊઠવું, ચાલ્યા કરવું
ભઈલાજી, આ સંસારું છે

– મનહર મોદી

હળવે તે હાથ નાથ ! મહીડાં વલોવજો….

Comments (2)

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઊંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક શેરમાં અલગ કથની છે….. ઉદાહરણ તરીકે મત્લાને લઈએ – ‘શૂન્યતા’ શબ્દ ખૂબ વિચારપૂર્વક પ્રયોજાયો છે. ઈશ્વર એટલે સંપૂર્ણતા અને તેથી શૂન્યતા ! સંપૂર્ણતા અને શૂન્યતા ભિન્ન નથી. આ એક અર્થ છે. શૂન્યતાનો બીજો અર્થ થઇ શકે ઈશ્વરને અંધતાપૂર્વક સ્થૂળ રીતે પૂજતી માનવજાતની પ્રજ્ઞા. ઈશ્વર જાણે આવા વિશાળ શૂન્યપ્રજ્ઞોના ટોળામાં સાવ એકલો પડી ગયો છે !

Comments (6)

પ્રત્યેક ક્ષણને જીવી લો – ઓમર ખય્યામ

“Ah, make the most of what we yet may spend,
Before we too into the Dust descend;
Dust into Dust, and under Dust to lie
Sans Wine, sans Song, sans Singer, and–sans End!

Alike for those who for To-day prepare,
And those that after some To-morrow stare,
A Muezzin from the Tower of Darkness cries
“Fools! your Reward is neither Here nor There.”

ધૂળ-માટીનો દેહ ધૂળમાં મળે તે પહેલાં પ્રત્યેક ક્ષણને જીવી લો, નહિતર એક અંતહીન અવસ્થામાં સરી જશો જ્યાં ન તો ગાન છે,ન તો પાન છે, ન તો ગાયક છે….. આવતીકાલની તૈયારીમાં આજ ને કુરબાન કરનારાઓ ! બાંગીનો પોકાર સાંભળો – ‘ મૂરખાઓ ! તમે સઘળું ગુમાવી રહ્યા છો ! ‘
[ભાવાનુવાદ]

― Omar Khayyám

ક્રાંતિકારી વાત છે- બે પ્રમુખ ધર્મ-ખ્રિસ્તી અને ઇસ્લામ-ની પાયાની વાત એ છે કે આ જન્મમાં જો તમે હસતા મ્હોએ દુઃખ સહેશો અને ધર્મમય જીવન ગાળશો તો તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. અર્થાત એક પ્રકારની લોભામણી આશા અપાય છે કે જે છેતરામણી પણ હોઈ શકે. મૃત્યુપશ્ચાતનું જીવન કોઈએ જોયું નથી. ઓમર ખય્યામ કે જે સૂફીસંત હતા, તેઓ સીધી જ વાત કરે છે- આવતીકાલની તૈયારીમાં આજ ને ગુમાવનારાઓ ! તમે બધું જ ગુમાવી રહ્યા છો !!!!!

Comments (3)

તારા હાથમાં છે – દિનેશ કાનાણી

એક લીલું પાન તારા હાથમાં છે,
પંખીની ઉડાન તારા હાથમાં છે.

જે મથે છે દૂર કરવા નામ તારું,
એમનું સન્માન તારા હાથમાં છે.

એમ ઝાલ્યું છે કમળનું ફૂલ જાણે,
ફૂલની મુસ્કાન તારા હાથમાં છે.

જીવ મારો ત્યાં જ વારંવાર મૂકું,
જીવનું સંધાન તારા હાથમાં છે.

સાવ અમથો ધ્યાનમાં બેઠો નથી હું,
મારું સઘળું ધ્યાન તારા હાથમાં છે.

– દિનેશ કાનાણી

બધા જ શેર સરસ. મત્લાના શેરમાં લીલું પાન અને પંખીની ઉડાનના સંદર્ભમાં બાળકો અને એમના ભવિષ્ય વિશે કેવો કૂમળો ઈશારો કરે છે ! સન્માન, સંધાન અને ધ્યાનવાળા શેર પણ મનનીય થયા છે.

Comments (6)

તળમાં ઊતર્યું તળાવ – રમણીક અગ્રાવત

તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ,
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર,
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે.
બૂઢાં ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.

– રમણીક અગ્રાવત

સ્વરૂપની દૃષ્ટિએ આમ તો આ કાવ્ય અછાંદસ છે પણ પહેલી બે પંક્તિ પ્રાસસહિત ગીતના ચાલમાં ચાલે છે એ જોતાં જ ઉમાશંકર જોશીનું ‘એક પંખીને કંઈક…’ કાવ્ય યાદ આવી જાય જેમાં પહેલી પંક્તિ છંદમાં લખીને કવિએ અછાંદસ કાવ્ય સિદ્ધ કર્યું છે.

સ્વરૂપને બાજુએ રાખીને કવિતા પર નજર માંડીએ તો તરત સમજાય છે કે કવિએ સાવ અનૂઠી રીતે દુષ્કાળગ્રસ્ત ઉનાળાનું વર્ણન કર્યું છે. તળાવની વચ્ચે પાણી નથી, તરસ છે અને બાવળની સજ્જડ ચોકી તો જાણે આપણી છાતી જ ભીંસતી હોય એવી અનુભવાય છે. અવ્વાવરુ પીપળાની ઉપર પાંદડા નથી બચ્યાં તો નીચે મૂળમાં પણ ઉધઈના પોડાં બાઝ્યાં છે. ગામમાં પણ કોઈ બચ્યું નથી એટલે કવિ ગામને બૂઢું કહે છે… સલામ, કવિ!

Comments (4)

તું તો માળી છે – ગૌરાંગ ઠાકર

જળનો જળમાં અભિનય થોડો છે,
પણ બરફને પરિચય થોડો છે ?

એ જો આવે તો પછી જાય નહીં,
દોસ્ત, ખાલીપો સમય થોડો છે ?

કેમ હાંફે છે ? તું તો માળી છે,
પાનખર છે આ, પ્રલય થોડો છે ?

તમને કઈ રીતે પ્રણય સમજાવું ?
શાસ્ત્રનો કોઈ વિષય થોડો છે ?

હું કરું ને કહું તેં જ કર્યું,
આ વિનય… ઓછો વિનય થોડો છે ?

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. ખાલીપાવાળો શેર જોરદાર પણ વિનયવાળો શેર? વાહ, કવિ વાહ !!!

Comments (6)

રહ્યો છું…… – ‘સૈફ’ પાલનપુરી

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

– ‘સૈફ’ પાલનપુરી

Comments (2)

આત્મવંચના – બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.

Comments (7)

ભૂલ થાય?!… – મહેશ દાવડકર

હા, બને કે જીવવામાં ભૂલ થાય;
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?

છત ને દીવાલો બિચારી શું કરે !
જ્યારે પાયા નાંખવામાં ભૂલ થાય…

એનું ચોક્કસ માપ કંઈ હોતું હશે !
લાગણીને માપવામાં ભૂલ થાય.

જ્યારે-જ્યારે સત્યથી અળગા થયા,
ત્યારે-ત્યારે બોલવામાં ભૂલ થાય.

આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !

પૂછે છે કાયમ પતંગિયું ફૂલને –
તું ખીલે, તો ખીલવામાં ભૂલ થાય?

– મહેશ દાવડકર

સારી ગઝલ માણવામાં કંઈ ભૂલ થાય ?

ગઝલના ઉપાડમાં જ કવિ “હા” કહીને જીવવામાં ભૂલ થઈ શકે એનો મોકળો સ્વીકાર કરી લે છે પણ પછી તરત જે પ્રશ્ન પૂછે છે એ વિચાર માંગી લે એવો છે. આ પ્રશ્ન સાચવીને સમજીએ તો આપણા સંબંધોના સમીકરણોમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.

Comments (7)

સપનાંના ફુગ્ગા – તેજસ દવે

ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે

તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં
તોય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી
ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર
કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે

તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા
આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને
ઊગવાની આશાઓ તોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે

– તેજસ દવે

કેવું મજાનું ગીત ! ચોકલેટની જેમ ધીમે ધીમે ચગળો અને ઊંડી મજા માણો…

Comments (7)

તેજ પ્રવેશ – રન્નાદે શાહ

ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ,
શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ –

તોય હવે આ ધામ ?
રામ, કહો, ક્યાં રામ ?

પાંપણને પગથાર હજીયે સુનકારો ફગફગતો,
ચોક વચાળે લંબી તાણી, મુંઝારો ટળવળતો
કોણ રમે આ આટાપાટા ? રહું હવે ના શેષ
ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ

ક્યાંય હવે છે ધામ ?
રામ, હવે તો રામ.

ચલ રે મનવા, ચકરાવાને છોડી ઊડીએ દૂર,
પડછાયાના લશ્કર દોડે થઈને ગાંડાતૂર
તગતગતાં અંધારા મેલી કરીએ તેજ પ્રવેશ
શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ

હવે કશું ના કામ
રામ, હવે ભૈ રામ !

– રન્નાદે શાહ

સંસારના સેંકડો ઘાથી ઘવાયા પછી જાગતા વૈરાગ્યનું ગીત. બધું છોડીને ચાલી નીકળીએ તો પણ સુનકારા અને મુંઝારા પીછો નથી છોડતા ને પરિણામે પરમધામપ્રાપ્તિ થતી નથી. ચોર્યાસી લાખના ચકરાવામાંથી નીકળીને દૂર ઊડી શકાય એ ઘડીએ જ તેજ પ્રવેશ શક્ય છે.

વાત જરાય નવી નથી પણ અંદાજ-એ-બયાં મેદાન મારી જાય છે. બે અંતરાની સાંકડી ગલીમાં વૈરાગ્યની વાતની ગતિ સ્પર્શી જાય એવી થઈ છે. અને ધામ અને રામના ત્રણ અંતરામાં કે-બે શબ્દોની ફેરબદલથી કવિ ઊંચું નિશાન તાકી શક્યા છે. વાહ !

Comments (4)

શણગારવાની હોય છે – દેવિકા ધ્રુવ

IMG_6473

જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.

ના દોષ દો, ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.

પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?

હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
પામો ખુશી,“દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

– દેવિકા ધ્રુવ

સરળ અને સીધી ગઝલ. દોષ કોને દેવો એ શોધવાને બદલે, એક એક પળને દુલ્હનની જેમ સત્કારવાની વાત મનને અડી ગઈ.

Comments (3)

मधुशाला : १० : ………चाहिए – दुष्यंतकुमार

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए

आज यह दीवार, परदों की तरह हिलने लगी
शर्त थी लेकिन कि ये बुनियाद हिलनी चाहिए

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए

मेरे सीने में नहीं तो तेरे सीने में सही
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए

– दुष्यंतकुमार

હિંદી કાવ્યનો ઉત્સવ આ ગઝલ વિના અધૂરો રહી જાય……..સરળ શબ્દો,વેધક વાત,સ્પષ્ટ વાત અને સુંદર લય…….

Comments (4)

मधुशाला : ०९ : रामदास – रघुवीर सहाय

चौड़ी सड़क गली पतली थी
दिन का समय घनी बदली थी
रामदास उस दिन उदास था
अंत समय आ गया पास था
उसे बता यह दिया गया था उसकी हत्या होगी

धीरे धीरे चला अकेले
सोचा साथ किसी को ले ले
फिर रह गया, सड़क पर सब थे
सभी मौन थे सभी निहत्थे
सभी जानते थे यह उस दिन उसकी हत्या होगी

खड़ा हुआ वह बीच सड़क पर
दोनों हाथ पेट पर रख कर
सधे क़दम रख कर के आए
लोग सिमट कर आँख गड़ाए
लगे देखने उसको जिसकी तय था हत्या होगी

निकल गली से तब हत्यारा
आया उसने नाम पुकारा
हाथ तौल कर चाकू मारा
छूटा लोहू का फव्वारा
कहा नहीं था उसने आख़िर उसकी हत्या होगी

भीड़ ठेल कर लौट गया वह
मरा पड़ा है रामदास यह
देखो-देखो बार बार कह
लोग निडर उस जगह खड़े रह
लगे बुलाने उन्हें जिन्हें संशय था हत्या होगी

– रघुवीर सहाय

આ કાવ્ય BBC દ્વારા ઘોષિત સદીના શ્રેષ્ઠ 10 હિન્દી કાવ્યોમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં સલમાનખાન જે રીતે નિર્દોષ છૂટી ગયો છે અને સમગ્ર ન્યાયવ્યવસ્થાના તેમજ પોલિસતંત્રના ગાલે સણસણતો મારીને નફ્ફટાઈપૂર્વક હસી રહ્યો છે , તે પરિસ્થિતિને હૂબહૂ આલેખાઈ છે અહીં.

Comments (5)

मधुशाला : ०८ : पुष्प की अभिलाषा – माखनलाल चतुर्वेदी

चाह नहीं, मैं सुरबाला के
गहनों में गूँथा जाऊँ,
चाह नहीं प्रेमी-माला में बिंध
प्यारी को ललचाऊँ,
चाह नहीं सम्राटों के शव पर
हे हरि डाला जाऊँ,
चाह नहीं देवों के सिर पर
चढूँ भाग्य पर इठलाऊँ,
मुझे तोड़ लेना बनमाली,
उस पथ पर देना तुम फेंक!
मातृ-भूमि पर शीश- चढ़ाने,
जिस पथ पर जावें वीर अनेक!

– माखनलाल चतुर्वेदी

લયસ્તરોની हिन्दी मधुशालाનું આ આજે આખરી પુષ્પ. હિન્દી કવિતાઓની વાત આવે અને આ અમર કાવ્ય ચૂકી જવાય એ કેમ ચાલે ? સાવ ટચુકડું ગીત પણ એનો ઊંડો ભાવ યુગયુગાંતર સુધી પુષ્પિત રહેવા સર્જાયો છે.

Comments (3)

मधुशाला : ०७ : ये महलों, ये तख्तों…..- साहिर लुधियानवी

ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया
ये इंसान के दुश्मन समाजों की दुनिया
ये दौलत के भूखे रवाजों की दुनिया
ये दुनिया अगर मिल भी जाये तो क्या है

हर एक जिस्म घायल, हर एक रूह प्यासी
निगाहो में उलझन, दिलों में उदासी
ये दुनिया है या आलम-ए-बदहवासी
ये दुनिया अगर मिल भी जाये तो क्या है

जहाँ एक खिलौना है इंसान की हस्ती
ये बस्ती है मुर्दा परस्तों की बस्ती
यहाँ पर तो जीवन से है मौत सस्ती
ये दुनिया अगर मिल भी जाये तो क्या है

जवानी भटकती है बदकार बन कर
जवां जिस्म सजते हैं बाजार बनकर
यहाँ प्यार होता है व्योपार बनकर
ये दुनिया अगर मिल भी जाये तो क्या है

ये दुनिया जहाँ आदमी कुछ नहीं है
वफ़ा कुछ नहीं, दोस्ती कुछ नहीं है
यहाँ प्यार की कद्र ही कुछ नहीं है
ये दुनिया अगर मिल भी जाये तो क्या है

जला दो इसे, फूँक डालो ये दुनिया
मेरे सामने से हटा लो ये दुनिया
तुम्हारी है तुम ही संभालो ये दुनिया
ये दुनिया अगर मिल भी जाये तो क्या है

-साहिर लुधियानवी

પ્યાસા ફિલ્મની આ અમર નઝમ મોટાભાગનાએ સાંભળી જ હશે, આજે હેતુ છે આ નઝમની જે મીનાકારી છે તેને માણવાનો. કદાચ આથી કઠોર સત્યો ભાગ્યે જ કોઈ નઝમમાં કહેવાયા હશે ! છતાં જે શબ્દો વાપર્યા છે શાયરે એની નઝાકત જુઓ !! એકપણ કઠોર શબ્દ વાપર્યા વગર કેવી મર્મભેદી વાતો કહી છે !! ફિલ્મને ભૂલી જઈએ તોપણ આ નઝમ all time great માં આસાનીથી સ્થાન જમાવી શકે છે.

Comments (5)

मधुशाला : ०६ : तेरे सब मौन संदेशे – हरिवंशराय बच्चन

मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे

एक लहर उठ—उठकर फिर—फिर
ललक—ललक तट तक जाती है
किंतु उदासीना युग—युग से
भाव—भरी तट की छाती है,
भाव—भरी यह चाहे तट भी
कभी बढे, तो अनुचित क्या है?
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे

बंद कपाटों पर जा—जा कर
जो फिर—फिर सांकल खटकाए,
और न उत्तर पाए,उसकी
लाज—व्यथा को कौन बताए,
पर अपमान पिए पग फिर भी
उस ड़योढी पर जाकर ठहरें,
क्या तुझमें ऐसा जो तुझसे मेरे तन—मन—प्राण बंधे से
मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे

जाहिर और अजाहिर दोनों
विधि मैंने तुझको आराधा
रात चढाए आंसू, दिन में
राग रिझाने को स्वर साधा
मेरे उर में चुभती प्रतिध्वनि
आ मेरी ही तीर सरीखी
पीर बनी थी गीत कभी,अब गीत हृदय के पीर बने से
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे

-हरिवंशराय बच्चन

મૂર્તિપૂજાનું રહસ્ય એ છે કે ભક્ત અજ્ઞાન નથી કે તે એક પથ્થરને પોકારી રહ્યો છે, પણ એ જાણે છે કે એના નાદથી જયારે પથ્થર પીગળશે ત્યારે જ એ પથ્થરને અતિક્રમીને પદાર્થ સુધી પહોંચશે – તત્વ સુધી પહોચશે. શરૂઆત અત્યંત કઠિન છે. શ્રદ્ધા ટકાવી રાખવી અતિકઠિન છે. પણ એ નિશ્ચિત છે કે સામે પરથી પ્રતિધ્વનિ આવશે જ. જો તાર્કિક રીતે વિચારીએ તો જે કોઇપણ માર્ગે દ્વંદ્વોમાંથી મુક્તિ મળે તે માર્ગ સાચું સાંખ્ય.

કવિ કહે છે કે હું વાચાળ અને તું મૌન ! મને તારી ભાષા સમજાતી નથી. મારા તમામ પ્રયત્નો વિફળ થતા લાગે. તારી અનુકંપા તો લહેર બનીને મારા સુધી આવે જ છે, કાંઠાસમાન મારી છાતી જ ઉદાસીનતાથી ભરેલી છે…… ઘણીવાર મારું અપમાન થતું અનુભવાયું, પણ મારી તારા પ્રત્યેની પ્રીતમાં લગીરે ઓટ ન આવી….મેં તારા વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપને આરાધ્યા છે….. બસ, હવે આંખો આગળથી પડદો ખસવાની વાર છે…….

Comments (4)

मधुशाला : ०५ : है तो है – दीप्ति मिश्र

वो नहीं मेरा मगर उससे मुहब्बत है तो है
ये अगर रस्मों, रिवाज़ों से बगावत है तो है

सच को मैने सच कहा, जब कह दिया तो कह दिया
अब ज़माने की नज़र में ये हिमाकत है तो है

कब कहा मैनें कि वो मिल जाये मुझको, मै उसे
ग़ैर न हो जाये वो बस इतनी हसरत है तो है

जल गया परवाना तो शम्मा की इसमे क्या खता
रात भर जलना-जलाना उसकी किस्मत है तो है

दोस्त बनकर दुश्मनों-सा वो सताता है मुझे
फिर भी उस ज़ालिम पे मरना अपनी फ़ितरत है तो है

दूर थे और दूर हैं हरदम ज़मीनों-आसमाँ
दूरियों के बाद भी दोनों में कुर्बत है तो है

– दीप्ति मिश्र

कुर्बत= સામિપ્ય

ત્રણેક વર્ષ પહેલા મેં આ ગઝલ પ્રથમવાર વાંચેલી… સાવ સીધી અને સરળ… વાંચતાવેંત જ એટલી ગમી ગયેલી કે મેં એનો સાછંદ ગુજરાતીમાં અનુવાદ કરી નાંખેલો.  જો કે કાફિયાઓ એ જ રાખેલા. 🙂

આખી ગઝલમાં કવિએ પ્રેમની ખુમારી અને પ્રેમમાં બગાવતને ઠાંસી ઠાંસીને ભર્યા છે. વારંવાર પુનરાવર્તિત થતો રદીફ है तो है  ખુમારી, બગાવત અને don’t careનું અદ્ભૂત વાતાવરણ સર્જે છે અને મક્તા સુધીની સફરમાં તો એ વાતાવરણને વધુ ને વધુ પ્રબળ બનાવી દે છે. પ્રિયજન સાથેની અલગતાનું acceptance પણ સામિપ્યની અદ્ભૂત ખુમારી સાથે…

***

છે, તો છે !

એ ભલે મારો નથી તો પણ મુહોબ્બત છે, તો છે !
ને જો એ રીતિ-રિવાજોથી બગાવત છે, તો છે !

સત્યને સત્ય જ કહ્યું મેં, કહી દીધું તો કહી દીધું !
એ જો દુનિયાની નજરમાં મારી ગફલત છે, તો છે !

ક્યાં કહ્યું છે મેં- મળી જાય એ મને ને એને હું ?
એ અવરનો થાય નહીં- બસ એ જ હસરત છે, તો છે !

જો પતંગિયું ખુદ બળે તો વાંક મીણબત્તીનો શો ?
રાતભર બાળીને બળવું એની કિસ્મત છે, તો છે !

દોસ્ત થઈને પણ એ દુશ્મન જ્યમ સતાવે છે મને,
તોય એ નિર્દય પર મને મરવાની આદત છે, તો છે !

દૂર છે ને દૂર રહેવાના સદા ધરતી ને આભ,
દૂરતા છે તોયે બંને વચ્ચે ચાહત છે, તો છે !

(અનુવાદ: મોના નાયક ‘ઊર્મિ’ )

Comments (8)

मधुशाला : ०४ : वसीयत – अज्ञेय

मेरी छाती पर
हवाएँ लिख जाती हैं
महीन रेखाओं में
अपनी वसीयत
और फिर हवाओं के झोंके ही
वसीयतनामा उड़ा कर
कहीं और ले जाते हैं।

बहकी हवाओ! वसीयत करने से पहले
हलफ़ उठाना पड़ता है
कि वसीयत करने वाले के
होश-हवास दुरुस्त हैं :
और तुम्हें इस के लिए
गवाह कौन मिलेगा
मेरे ही सिवा?

क्या मेरी गवाही
तुम्हारी वसीयत से ज़्यादा टिकाऊ होगी?

– अज्ञेय

આ કવિતા વિશે બે શબ્દ લખવાનું મેં જેટલીવાર વિચાર્યું એટલીવાર હું પાછો પડ્યો. હવાની વસિયત શી હોઈ શકે ? એની આવન-જાવન અને છાતી શ્વાસોચ્છ્વાસના પ્રતિક છે કે કોઈ બીજો જ અર્થ કાઢી શકાય…વિ.વિ. જેમ જેમ વિચાર્યું, હું ગૂંચવાતો જ ગયો. પણ કવિતામાં કંઈક એવું ચુંબક હતું જે શબ્દોમાં વર્ણવવું અશક્ય લાગ્યું અને કાવ્યથી દૂર જવું પણ નામુમકિન.

Comments (5)

मधुशाला : ०३ : मकान की ऊपरी मंज़िल पर – गुलज़ार

मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता

वो कमरे बंद हैं कबसे
जो 24 सीढियां जो उन तक पहुँचती थी, अब ऊपर नहीं जाती

मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता
वहाँ कमरों में, इतना याद है मुझको
खिलौने एक पुरानी टोकरी में भर के रखे थे
बहुत से तो उठाने, फेंकने, रखने में चूरा हो गए

वहाँ एक बालकनी भी थी, जहां एक बेंत का झूला लटकता था.
मेरा एक दोस्त था, तोता, वो रोज़ आता था
उसको एक हरी मिर्ची खिलाता था

उसी के सामने एक छत थी, जहाँ पर
एक मोर बैठा आसमां पर रात भर
मीठे सितारे चुगता रहता था

मेरे बच्चों ने वो देखा नहीं,
वो नीचे की मंजिल पे रहते हैं
जहाँ पर पियानो रखा है, पुराने पारसी स्टाइल का
फ्रेज़र से ख़रीदा था, मगर कुछ बेसुरी आवाजें करता है
के उसकी रीड्स सारी हिल गयी हैं, सुरों के ऊपर दूसरे सुर चढ़ गए हैं

उसी मंज़िल पे एक पुश्तैनी बैठक थी
जहाँ पुरखों की तसवीरें लटकती थी
मैं सीधा करता रहता था, हवा फिर टेढा कर जाती

बहू को मूछों वाले सारे पुरखे क्लीशे [Cliche] लगते थे
मेरे बच्चों ने आखिर उनको कीलों से उतारा, पुराने न्यूज़ पेपर में
उन्हें महफूज़ कर के रख दिया था
मेरा भांजा ले जाता है फिल्मो में
कभी सेट पर लगाता है, किराया मिलता है उनसे

मेरी मंज़िल पे मेरे सामने
मेहमानखाना है, मेरे पोते कभी
अमरीका से आये तो रुकते हैं
अलग साइज़ में आते हैं वो जितनी बार आते
हैं, ख़ुदा जाने वही आते हैं या
हर बार कोई दूसरा आता है

वो एक कमरा जो पीछे की तरफ बंद
है, जहाँ बत्ती नहीं जलती, वहाँ एक
रोज़री रखी है, वो उससे महकता है,
वहां वो दाई रहती थी कि जिसने
तीनों बच्चों को बड़ा करने में
अपनी उम्र दे दी थी, मरी तो मैंने
दफनाया नहीं, महफूज़ करके रख दिया उसको.

और उसके बाद एक दो सीढिया हैं,
नीचे तहखाने में जाती हैं,
जहाँ ख़ामोशी रोशन है, सुकून
सोया हुआ है, बस इतनी सी पहलू में
जगह रख कर, के जब मैं सीढियों
से नीचे आऊँ तो उसी के पहलू
में बाज़ू पे सर रख कर सो जाऊँ

मकान की ऊपरी मंज़िल पर कोई नहीं रहता…

– गुलज़ार

કવિતામાં વાત છે જૂના મકાનની. મકાન કે જેનો વખત વહી ગયો છે. પણ એની સાથે મકાનમાલિકની પણ વાત છે. મકાન અને એના માલિક બન્નેની કથા એક બીજા સાથે ગૂંથાઈ ગયેલી છે. કવિ મકાનના એક પછી એક ભાગમાં તમને લઈ જાય છે અને પોતાના દિલનો એક પછી એક ખૂણો તમને બતાવતા જાય છે. નાજુક યાદગીરીઓ અને બદલાતા સમય સાથે ખોવાઈ ગયેલી લાગણીઓનું આ કવિતામાં બારીક નકશીકામ છે.

Comments (3)

मधुशाला : ०२ : अग्निपथ – हरिवंश राय बच्चन

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

वृक्ष हों भले खड़े,
हों घने, हों बड़े,
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

तू न थकेगा कभी,
तू न थमेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु, स्वेद, रक्त से
लथपथ, लथपथ, लथपथ,
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

– हरिवंश राय बच्चन

આ નાનકડી કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. મૂળ સ્વાતંત્ર સંગ્રામની આબોહવામાં લખાયેલી રચના આજે પાણ એટલી જ પ્રસ્તુત છે. એક માણસે, એકલા હાથે, વિપરીત પરિસ્થિતિને અતિક્રમી જવા કેવી રીતે સંગ્રામ કરવો એનો આખો ઉપનિષદ કવિએ થોડી જ પંક્તિઓમા રચી દીધો છે. જ્યારે જ્યારે સંઘર્ષ કરવાની પોતાની શક્તિ પર શંકા જાગે ત્યારે આ કવિતા વાંચુ છું (હવે યુ ટ્યુબ હાથવગુ હોવાથી અમિતાભના અવાજમાં સાંભળું છું) ને ફરી હિમ્મત આવી જાય છે.

વિવેકે આ કવિતાનો સરસ અનુવાદ આગળ કરેલો છે. એ પણ જોશો.

Comments (2)

मधुशाला : ०१ : ग़ज़ल – दुष्यन्त कुमार

मैं जिसे ओढ़ता-बिछाता हूँ
वो ग़ज़ल आपको सुनाता हूँ

एक जंगल है तेरी आँखों में
मैं जहाँ राह भूल जाता हूँ

तू किसी रेल-सी गुज़रती है
मैं किसी पुल-सा थरथराता हूँ

हर तरफ़ ऐतराज़ होता है
मैं अगर रौशनी में आता हूँ

एक बाज़ू उखड़ गया जबसे
और ज़्यादा वज़न उठाता हूँ

मैं तुझे भूलने की कोशिश में
आज कितने क़रीब पाता हूँ

कौन ये फ़ासला निभाएगा
मैं फ़रिश्ता हूँ सच बताता हूँ

– दुष्यन्त कुमार

“લયસ્તરો”ની અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે આ વખતે હિંદી કવિતાઓ…

દુષ્યન્ત કુમાર વિશે લયસ્તરો પર અગાઉ થોડું લખ્યું હતું એ જ આજે ફરી કોપી-પેસ્ટ કરું છું: “હિંદી કાવ્ય-જગતમાં દુષ્યન્ત કુમાર એક એવું નામ છે જે ઉર્દૂના મહાકવિ ગાલિબની સમકક્ષ નિઃશંક માનભેર બેસી શકે છે. ખૂબ જ ટૂંકી જિંદગીમાં ખૂબ જ ઓછી ગઝલો લખી જનાર દુષ્યન્ત કુમારની ગઝલોએ જે સીમાચિહ્ન હિંદી સાહિત્યાકાશમાં સર્જ્યું છે એ न भूतो, न भविष्यति જેવું છે. ગઝલને હિંદીપણું બક્ષવામાં એમનો જે સિંહફાળો છે એ કદી અવગણી શકાય એમ નથી.”

પ્રસ્તુત ગઝલ તાજેતરમાં જ પ્રદર્શિત થઈ ગયેલ હિંદી ફિલ્મ “મસાન”માં સરસ રીતે રજૂ કરવામાં આવી હતી. ગઝલની વ્યાખ્યા સૌથી સરળ શબ્દોમાં અને શ્રેષ્ઠતમ રીતે હિંદી-ઉર્દૂ-ગુજરાતી ભાષાઓમાં ક્યાંય શોધવી હોય તો આ ગઝલના મત્લા પર નજર નાંખવી પડે. સરવાળે દુષ્યન્ત કુમારની ઉત્તમ રચના.

Comments (8)

અગિયારમી વર્ષગાંઠ… ૩૫૦૦ પૉસ્ટ…

11th Birthday

3500

“લયસ્તરો ડોટ કોમ”ની કાવ્યયાત્રા શરૂ થઈ એ વાતને આજે એક એક કરતાં અગિયાર વર્ષ પૂરાં થયાં. ધવલ શાહે ફુરસદના સમયમાં આદરેલી આ સફરમાં વરસેક પછી હું જોડાયો. વચ્ચે થોડો વખત સુરેશ જાની અને મોના નાયક પણ જોડાયા. હાલ ઘણા સમયથી ઓર્થોપેડિક સર્જન તીર્થેશ મહેતા પણ નિયમિતપણે કાવ્યો-કાવ્યાસ્વાદો પીરસી રહ્યા છે.

જેમ એક એક કરતાં અગિયાર થયાં એમ એક એક કરતાં આજે ૯૦૦થી વધુ કવિઓની ૩૫૦૦થી વધુ રચનાઓ કમ્પ્યુટરની ક્લિક પર આપની સેવામાં હાજર છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે એ આપ સહુના અનવરત સ્નેહ વિના શક્ય જ નહોતું.

અગિયાર વર્ષ અને પાંંત્રીસસો રચનાના બેવડા માઇલસ્ટોનને આંબતી વખતે અમે સહુ ગૌરવાન્વિત હર્ષ અનુભવી રહયા છીએ. આપ સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ આપ આવા જ સ્નેહાશિષ વરસાવતા રહેશો એ જ અાશા…..

લિ.
ટીમ લયસ્તરો

Comments (39)

સમર્પણ – ‘નજર’ કાણીસવી

(શિખરિણી)

નવાં વર્ષે પાછાં શરદઋતુના શીત સ્પરશે
વનોમાં કુંજોમાં તરુવર બધાં પાનખરને
વધાવે ઉલ્લાસે કુદરતે ક્રમે વસ્ત્ર બદલી.
અને મૃત્યુમાંયે દધીચિઋષિ શાં સૌમ્ય સ્વરૂપે
પીળાં-રાતાં પર્ણો અગન-ભભક્યા રંગ ધરીને
સજાવે સૃષ્ટિને મનવિલસતાં ચિત્રફલકે.

પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.

– ‘નજર’ કાણીસવી

કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !

Comments (6)

એક ભૌમિતિક ગઝલ – નયન દેસાઈ

લંબચો૨સ ઓ૨ડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આ ક્ષિતિજથી તે ક્ષિતિજના બંધ દરવાજા થયા
કોઈ ઇચ્છે તોય અહીંથી બા’૨ ક્યાં નીકળાય છે.

ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થૈ ગઈ
કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે?

યાદ આવે છે ગણિતશિક્ષકના સોટીઓના સૉળ
સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે

હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડીઊભી
જિંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે?

– નયન દેસાઈ

Comments (4)