પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
હરીન્દ્ર દવે

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

4 Comments »

  1. ધવલ said,

    December 10, 2011 @ 11:56 PM

    When I die…

    when my coffin
    is being taken out
    you must never think
    i am missing this world

    don’t shed any tears
    don’t lament or
    feel sorry
    i’m not falling
    into a monster’s abyss

    when you see
    my corpse is being carried
    don’t cry for my leaving
    i’m not leaving
    i’m arriving at eternal love

    when you leave me
    in the grave
    don’t say goodbye
    remember a grave is
    only a curtain
    for the paradise behind

    you’ll only see me
    descending into a grave
    now watch me rise
    how can there be an end
    when the sun sets or
    the moon goes down

    it looks like the end
    it seems like a sunset
    but in reality it is a dawn
    when the grave locks you up
    that is when your soul is freed

    have you ever seen
    a seed fallen to earth
    not rise with a new life
    why should you doubt the rise
    of a seed named human

    have you ever seen
    a bucket lowered into a well
    coming back empty
    why lament for a soul
    when it can come back
    like Joseph from the well

    when for the last time
    you close your mouth
    your words and soul
    will belong to the world of
    no place no time

    ~RUMI,
    translated by Nader Khalili.

  2. Lata Hirani said,

    December 11, 2011 @ 8:30 AM

    તો આત્મા માટે શું શોક
    જે અચૂક પાછો ફરવાનો છે.

    ગીતામા આ વાત કેટલી રીતે સમજાવાઇ છે !! આ કાવ્ય પણ એ જ અદભુત સન્દેશને અપૂર્વ સુન્દરતાથી સજાવે છે.. તો યે..સ્વજનનુ મૃત્યુ તમામ શબ્દોને શબ્દો જ ઠેરવે છે. એને માનવીની પોતાની નિર્બળતા પણ કહી શકાય્..
    જેટલુ સુન્દર કાવ્ય એટલો જ સુન્દર અનુવાદ્ અભિનન્દન્..
    લતા જ્ હિરાણી

  3. pragnaju said,

    December 11, 2011 @ 11:28 AM

    છેલ્લી વાર માટે તમારું
    મોઢું બંધ થાય
    પછી તમારા શબ્દો અને આત્મા
    એ જગાના રહેવાસી થઈ જાય છે
    જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

    અ દ ભૂ ત
    યાદ
    रूमी के तफ़क्कुर को सज़ा कल्ब व नज़र में
    तुलसी का दिलावेज़ तराना है तेरा भी

  4. Chandrakant Lodhavia said,

    December 13, 2011 @ 11:33 PM

    પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમીDecember 10, 2011 at 11:48 pm by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, મૃત્યુ વિશેષ, રૂમી

    આ કાવ્ય વાંચતા બીજું ગીત યાદ આવી ગયું.

    સ્વજન જો તારા જાય જો મુકી તેથી કંઈ ચિંતા કરે ચાલશે ના,
    તેથી કંઈ ચિંતા કરે ચાલશે ના. …………

    રખે શોક કે અફસોસ કરતા.
    હું કોઈ રાક્ષસી ખાઈમાં
    નથી પડી રહ્યો .

    મારું શબ લઈ જતી વેળા
    મારા જવા ઉપર રડશો નહીં
    હું જઈ નથી રહ્યો
    હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

    મરનાર ના કુટુંબીજનોને સાંત્વના આપતાં તો અનેકોને જોયા છે પણ જ્યારે મરનાર જીવ પોતે જ આવી સાંત્વના આપી શકે તે તો પહેલી વાર જ આ વાત આવા સુંદર કાવ્ય વ્દારા જાણી શકાય છે.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment