કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

ગઝલ – હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

– હિતેન આનંદપરા

મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી. તરફથી ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ આ વર્ષનો પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” હિતેન આનંદપરાને એનાયત કરાયો છે. આ પ્રસંગે એમની એક સુંદર ગઝલ… ગાલ પરના ખંજનોને ટેરવાંનો સ્પર્શ ગણવાની કલ્પના પોતે જ કેટલી રૉમેન્ટિક છે ! અને તું બધીયે વાતનો સંદર્ભ છે વાળી વાત પણ ખૂબ ગમી જાય એવી છે. “શયદા પુરસ્કાર” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન, હિતેનભાઈ!

7 Comments »

  1. ashok nanubhai said,

    September 20, 2007 @ 1:11 AM

    very distinct way of expression..hiten always brings something different and delicious which we can ralish for a long time..congrates to hiten…

  2. Pinki said,

    September 20, 2007 @ 4:15 AM

    કોઇ તર્ક જ નથી, મર્મ બસ એ જ છે કે,

    દરેક શેર અદ્-ભૂત છે !!

  3. Urmi said,

    September 20, 2007 @ 8:45 AM

    ગાલ પર ખંજનો હોતાં હશે ?
    એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

    ખરેખર ખૂબ મજાનાં અશઆર…

    સરસ ગઝલ… છેલ્લે પોતાની નામ-રાશિ વિશે જ કવિએ મસ્ત શેર લખી દીધો… 🙂

  4. Bhavna Shukla said,

    September 20, 2007 @ 1:18 PM

    ગાલ પર ખંજનો હોતાં હશે ?
    એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
    ……………………………
    સંપૂર્ણ ભાવવાહી……

  5. pragnaju said,

    September 20, 2007 @ 8:21 PM

    હિતેન આનંદપરની ગઝલના બધા જ શેરો સુંદર છે.

    પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
    એ વિનાની સર્વ વાતો તર્ક છે.

    ગાલ પર ખંજનો હોતાં હશે ?
    એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

    શેર ઉપર વાહ જો એની મળે,
    એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

    હોઠ તારા એ જ છે પણ તે છતાં
    નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

    હું કરચલાથી સદા ડરતો રહ્યો,
    આમ જોકે મારી રાશિ કર્ક છે.
    … ફ્ક્ત કરચલાથી ડરવાની વાત પર ગંમ્મત
    કે અહીં કર્કને જોઈ ઘણાંનાં મ્હોમા પાણી છૂટે છે!
    ખોરાકમાં તેને સૌથી વધુ દાદ મળે છે!
    અને સર્વ ધર્મનોસાર
    “પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
    એ વિનાની સર્વ વાતો તર્ક છે.”
    આફ્રીન…

  6. Sangita said,

    September 21, 2007 @ 8:24 AM

    પ્રેમ િવ્શેની ખૂબ સુંદ્ર ગુજ્રાતી ગ્ઝ્લ્.!

    મ્ને ગ્મેલાા બે શેર્

    પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
    એ વિનાની સર્વ વાતો તર્ક છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

  7. KAVI said,

    September 21, 2007 @ 11:54 AM

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

    nice Hiteshbhai

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment