બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર

મુક્તક – જમિયત પંડ્યા

આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,
આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;
પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,
માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.

– જમિયત પંડ્યા

2 Comments »

  1. Pushpakant Talati said,

    October 21, 2011 @ 6:01 AM

    ખરી વાત છે ભાઈ – ” માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.”

    પણ આમ જોઈએ તો આજના જમાનામાં ‘માણસાઈ’ જોઈએ છે પણ કોને ? – સાચી ‘માણસાઈ’ ને સહન કરવી પણ આજનાં સમયમાં ઘણી દોહ્યીલી થઈ પડે છે. – પણ જો કે તેથી માણસાઈ છોડી ન દેવાય, ખરું ને ! !! ? ??

    સરસ અને સુન્દર મુસ્તક છે – ગમ્યું પણ ખુબ.

  2. ધવલ said,

    October 21, 2011 @ 7:49 PM

    સલામ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment