દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.
વિવેક મનહર ટેલર

ક્યાં ભરોસો હોય છે ? – આહમદ મકરાણી

ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?

ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?

આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?

અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?

તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?

– આહમદ મકરાણી

જીવન, પ્રાર્થના, કવિતા, મોસમ અને આંખ- કશાયનો કાયમી ભરોસો ખરો ?

(તૂર=પર્વત)

11 Comments »

  1. DR Bharat Makwana said,

    June 10, 2010 @ 2:01 AM

    ભરોસો ફક્ત આજ પર રાખો! અત્યંત વાસ્તવિકતા દર્શાવતી કવિતા!

  2. minesh shah said,

    June 10, 2010 @ 3:13 AM

    ખરેખર ખુબ જ વાસ્તવિક કવિતા !

  3. સુનીલ શાહ said,

    June 10, 2010 @ 4:25 AM

    સરળ બાનીમાં સુદર વાત.

  4. pragnajuvyas said,

    June 10, 2010 @ 6:18 AM

    આ ક્ષણ પર ભરોસો રાખો એ જ વાસ્તવિકતા છે
    સુંદર વાત..
    .બીજી રીતે જોઈએ તો દરેક સંબંધ ભરોસા ઉપર જ નભે છે. આપણે અંગત વાત એવી વ્યક્તિને જ કરીએ છીએ જેના ઉપર આપણને ભરોસો હોય છે. ભરોસો ન હોવા જેવી વેદના બીજી કોઈ નથી. તમે ભરોસો ન મૂકી શકો તો પ્રેમ પણ ન કરી શકો. જે કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો એ માણસ પોતે જ ડરતો રહેતો હોય છે. ભરોસો તૂટવાના ભયથી તમે જો કોઈ પર ભરોસો મૂકતા ડરતા હો તો સમજવું કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી.

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    June 10, 2010 @ 6:59 AM

    આવશે તો ગેબી રસ્તે આવશે;
    શાયરીનો કયાં ભરોસો હોય છે ?

    બધા કવિઓને એક સાથે લપેટી લીઘા.

  6. Girish Parikh said,

    June 10, 2010 @ 10:07 AM

    ગઝલ ગમી ગઈ. બંદગી કરું છું કે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં ‘આહમદની ગઝલનો આનંદ’ લેખ લખી શકું.
    Stay tuned!

  7. રાજની said,

    June 10, 2010 @ 10:32 AM

    તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
    આંખડીનો કયાં ભરોસો હોય છે ?

    સુંદર..

  8. sudhir patel said,

    June 10, 2010 @ 8:37 PM

    ખૂબસૂરત ગઝલ!
    મુ. શ્રી પ્રજ્ઞાબેનનો પ્રતિભાવ પણ માણ્યો અને મારી ગઝલનો મત્લા યાદ આવી ગયો.

    રાખ ભરોસો માણસ પર, ના ડર;
    લે, મારાથી જ શરુ કર, ના ડર!

    સુધીર પટેલ.

  9. Pinki said,

    June 11, 2010 @ 4:14 AM

    ભરોસો રાખીને, ભરોસો નહીં રાખવાની વાત… !

    સરસ ગઝલ !

  10. Sandhya Bhatt said,

    June 12, 2010 @ 11:27 AM

    જિંદગીનું તત્વજ્ઞાન સાદી ભાષામાં સમજાવી દીધું.આહમદભાઈ, અભિનંદન.

  11. Girish Parikh said,

    June 29, 2010 @ 7:52 PM

    ‘આહમદના શેરોનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધું છે. વાંચવા વિનંતી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment