આમ એ ક્યાંય પણ નથી જડતો,
આમ total વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

ખળભળ ! – નીતિન વડગામા

અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !

ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.

ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.

કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !

ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !

ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.

કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?

– નીતિન વડગામા

વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…

9 Comments »

  1. Rina said,

    September 27, 2013 @ 1:00 AM

    કાળા અક્ષર સૌ વાંચે છે,
    કોણ ઉકેલે કોરો કાગળ ?

    Waaahhh

  2. jahnvi antani said,

    September 27, 2013 @ 6:36 AM

    અનરાધારે વરસે વાદળ,
    અંદર થાતું ખળભળ ખળભળ !

    ચરણ તમારાં ચાલ્યાં કરશે,
    તો જ વધાશે થોડું આગળ.

    ગમતાં દ્વારે ઊભા રહેજો,
    ખૂલી જાશે સઘળી સાંકળ.

  3. dilip joshi said,

    September 27, 2013 @ 10:55 AM

    સરસ /કાવ્ય , વર્સાદેી વાતાવરન અને આ ગેીત. બન્ને સાથે જ આવ્યા.માજા આવેી.
    દિલેીપ જોશેી.

  4. Shah Pravinchandra Kasturchand said,

    September 27, 2013 @ 1:43 PM

    કવિ તો વાપરે શબ્દો સૌ ભારેખમ;
    તમે તો મૂકી નદી વહેતી ખળખળ.

  5. Harshad Mistry said,

    September 27, 2013 @ 6:55 PM

    Realy beautiful creation. Like very much. Sunder……!

  6. naresh solanki said,

    September 28, 2013 @ 12:28 PM

    ભરખી જાતા સૂરજ સામે,
    હસતી રહેતી ઝીણી ઝાકળ !

    ધીમે ધીમે ગીત ગવાતું,
    કાન દઈને તુંયે સાંભળ.

    કાળા અક્ષર સૌ વાંચે છે,
    કોણ ઉકેલે કોરો કાગળ ?

    વાહ ખુબ સુન્દર

  7. preetam Lakhlani said,

    September 28, 2013 @ 5:23 PM

    ક્યા બાત હૈ નીતિનભાઈ….

  8. Laxmikant Thakkar said,

    September 29, 2013 @ 2:09 AM

    “કાળા અક્ષર સૌ વાંચે છે,
    કોણ ઉકેલે કોરો કાગળ ?”

    કહે છે લાગણી લખાય નહીં ….પણ,
    એહ્સાસની …ભીતરની રણઝણ ,આંખોની અને સ્પર્શ્ ની ભાશા અનોખી હોય !

    “લખેલી લાગણી બધી, સમજુડા વાંચી લે, ખરું!
    વણલખ્યું આહ્ લાદક વાંચવા મળે તો માણીએ,
    કાનો,માતર અનુસ્વારના અર્થ તો લોકો ઉકેલે
    ટેરવાંના ટપકાંની ભાષા ઉકેલો તો પ્રમાણીએ,”
    -લા’કાંત / ૨૯-૯-૧૩

  9. jashupuri goswami said,

    October 2, 2013 @ 10:00 AM

    વરસાદી ભીનાસનું ગીત જાણે ભીતરના તારને ભીંજવી જતા લાગે-ગુરુજીને સત્ સત્ પ્રણામ ૧/૧૦/૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment