મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

રાતની હથેળી પર… – શહરયાર (ઉર્દૂ) (અનુ. ઉત્પલ ભાયાણી)

રાતની હથેળી પર
હાથ મૂકીને તેં શપથ લીધા હતા
કે સવારના સૂર્યની ચળકતી-ઝળકતી તલવાર
તને કદીયે ડરાવી શકશે નહીં:
અને તું તારી આંખમાં
છુપાયેલાં સ્વપ્નોના ખજાનાને
જે તારાથી બહાદુર અને તાકાતવાન હોય
એવા કોઈકને તું સોગાત તરીકે આપી દેશે.
પણ, હવે તને કોણ રોકે છે?

– શહરયાર (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)

નિર્ણય અને અમલની વચ્ચેની પાતળી ભેદરેખા… સ્વપ્ન અને વાસ્તવની વચ્ચેની નૉ મેન્સ લેન્ડ…

Leave a Comment