મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા

મારા વડે – ‘અગમ’ પાલનપુરી

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

અસ્તિત્વના પડળોને ખોલવાની મથામણ કરતી મજાની અર્થગંભીર ગઝલ… પણ અસ્તિત્વની શોધ એટલે સરવાળે તો ‘અગમ’ પ્રશ્નાર્થ જ ને !

4 Comments »

  1. Rina said,

    June 8, 2012 @ 2:45 AM

    કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
    હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

    બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
    હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

    awesome…..

  2. pragnaju said,

    June 8, 2012 @ 8:10 AM

    બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
    હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?
    વાહ્

  3. rajul b said,

    June 8, 2012 @ 12:24 PM

    સર્જન કરવું હોય તો પહેલા પોતની જાતનું વિસર્જન કરવું પડે..ત્યા બાદ જ કદાચ આવી કૃતિ અસ્તિત્ત્વ પામતી હશે ..

  4. Pravin Shah said,

    June 9, 2012 @ 12:48 AM

    અદૃશ્યમાં પણ તું જડે !
    સરસ !
    સ્વયમ્ પ્રગટેલી સુંદર કૃતિ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment