યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.
- વિવેક મનહર ટેલર

પથ્થર – ફૂયુહિકા કિટાગાવા – અનુ. જગદીશ જોષી

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.

માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]

6 Comments »

  1. munira said,

    May 7, 2012 @ 8:42 AM

    quite thoughtfull

  2. pragnaju said,

    May 7, 2012 @ 8:53 AM

    સરસ અછાંદસ અને અનુરુપ તરજુમો

    એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
    તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
    તે હૂંફાળો થશે જ, થશે.
    વાહ

  3. Pushpakant Talati said,

    May 8, 2012 @ 7:42 AM

    really NICE & FANTASTIC indeed.

    પથ્થર ઠંડોગાર છે; inspite of that નદીના વ્હેણમાં એણે ગોળ થયે જ છૂટકો,
    વહી જાતાં વર્ષોમાં બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
    એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય. — IF YOU WANT TO MAKE IT WARM / હૂંફાળો THEN WHAT IS NEEDED IS THE ‘DHEERAJ’
    માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં તમારે ધરપત રાખવી પડે.
    VERY GOOD

  4. હેમંત પુણેકર said,

    May 8, 2012 @ 10:23 AM

    ખૂબ સુંદર કાવ્ય!

  5. ઊર્મિ said,

    May 8, 2012 @ 9:01 PM

    સુંદર મજાનું અછાંદસ

  6. ધવલ said,

    May 8, 2012 @ 11:27 PM

    તદ્દન ખરી વાત છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment