મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.
– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

મુક્તક – અશોક જાની ‘આનંદ’

સતત વરસ્યા કરે, વરસાદ જેવી યાદ પજવે છે,
કદી નહિ સાંભળેલો દૂરનો એ સાદ પજવે છે;
સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ,
મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે.

– અશોક જાની ‘આનંદ’

આકાર ન પામેલા સ્વપ્નો જ માણસને વધુ પજવતા હોય છે…

8 Comments »

  1. pragnaju said,

    April 14, 2012 @ 4:09 AM

    સ રસ

    સાથે સાથે તેમના જ સંલગ્ન મુક્તકો માણીએ

    પજવતી હોય છે જે લાગણી એ બાદ કરવી છે,
    મને જે બંધને બાંધે એ સૌ આઝાદ કરવી છે,
    નહિ પોષાય રોજેરોજના આ લાગણીવેડા,
    હવે તો જાતને નિસ્પૃહતા સૌગાદ કરવી છે.
    *

    કરેલી વાત એ આજે સતત બસ યાદ આવે છે,
    અને બસ ઝરમરી વરસાદનો આલ્હાદ આવે છે,
    કરી દઉં બંધ આંખો ને જરા જો ધ્યાનમાં લાગું,
    ભીતરથી ‘તું હિ તું હિ’નો જ કેવળ નાદ આવે છે.

  2. vijay shah said,

    April 14, 2012 @ 9:08 AM

    સરસ્

  3. sudhir patel said,

    April 14, 2012 @ 10:37 AM

    Enjoyed your nice ‘Muktak’!
    Sudhir Patel.

  4. ધવલ શાહ said,

    April 14, 2012 @ 11:30 AM

    સરસ !

  5. ડૉ.મહેશ રાવલ said,

    April 14, 2012 @ 12:23 PM

    આ પજવણીનો ભોગ લગભગ તમામને બનવું પડ્યું હોય છે…..સરસ અભિવ્યક્તિ અશોકભાઇ..

  6. Dhruti Modi said,

    April 15, 2012 @ 4:11 PM

    સરસ મુક્તક.

  7. Pravin Shah said,

    April 16, 2012 @ 11:23 AM

    સરસ મુક્તક અશોકભાઈ !
    અહીં ફરી માણવાની મઝા આવી.

  8. અશોક જાની 'આનંદ' said,

    April 18, 2012 @ 5:45 PM

    મારા મુક્તક્ને ‘લયસ્તરો’ પર સમાવેશ કરવા માતે આભાર, ‘પ્રજ્ઞાજુ’નો પણ, મારાં બીજા બે મુક્તકોનો પરિચય કરાવવા માટે અને અન્ય ભાવકોનો તો ખરો જ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment