હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

ગઝલ – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું !

– ભરત વિંઝુડા

વેપારમાં પ્રેમ ભળે ત્યારે એ વહેવાર થઈ જાય છે અને એ પણ કેવો? સામો પક્ષ ગણતરી કરી કરીને એવું માનતો હોય કે હું પામું છું પણ હકીકતે તો આપનાર જ પામતો હોય છે અને એ પણ બેહિસાબ !

6 Comments »

  1. yogesh pandya said,

    July 15, 2011 @ 5:52 AM

    This is really nice one but also publish some literature on bhakti /bhajan/morning prayers or relating to that ——-thank you

  2. ધવલ said,

    July 15, 2011 @ 2:50 PM

    વાંચવા લે છે તું છપાયેલી
    ને હું કોરી કિતાબ લઈ લઉં છું

    – સરસ !

  3. Sudhir Patel said,

    July 15, 2011 @ 4:49 PM

    વાહ, મસ્ત ગઝલ!
    સુધીર પટેલ.

  4. P Shah said,

    July 19, 2011 @ 3:50 AM

    આ હું શેનો ખિતાબ લઈ લઉં છું !

    સુંદર રચના !

  5. niranjana.kaushik said,

    September 30, 2011 @ 9:43 AM

    સુંદર રચના !!

  6. Sureshkumar G. Vithalani said,

    May 2, 2015 @ 11:25 AM

    A very nice Gazal. Many congratulations to the Poet.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment