શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

સૂરજના સાત ઘોડા – કમલેશ શાહ

સૂરજના સાતમાંથી છ ઘોડાનાં નામ
સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને
ચમન જાણી લાવ્યો છે.

ચિંતા, દુ:ખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.

સરસ્વતી સુધી લાગવગ લગાડવા છતાં
સાતમા ઘોડાનું નામ
ચમનને જાણવા મળ્યું નથી.

સૂરજના એ સાતમા ઘોડાનું નામ
સુખ હશે, એમ માનીને
ચમન જીવ્યે રાખે છે.

– કમલેશ શાહ

કેટલીક કવિતાનો અર્થ દરેક વાંચક માટે અલગ અલગ હોય છે. તમારે મન સૂરજના સાતમા ઘોડાનું નામ શું છે ?

3 Comments »

  1. Dhaval said,

    January 9, 2007 @ 5:31 AM

    મરણ?? કે મોક્ષ ???

  2. Suresh Jani said,

    January 9, 2007 @ 2:34 PM

    આ સાત તો ગતિ તોડનારા ઘોડા છે.
    જેના બળે સૂરજ કે જીવન ચાલે છે , તે સાતમો ઘોડો છે જીવવાની અને સુખ પામવાની ઇચ્છા.

  3. Neekita said,

    August 25, 2018 @ 5:53 AM

    Which Book? Which publication house for Kamlesh Shah book?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment