હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…
હરીશ ઠક્કર

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.

જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?

બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?

તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?

તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકરની આ રચના વિવેચકના શબ્દોની મહોતાજ નથી… બધા જ શેર સંઘેડાઉતાર અને કવિતાની શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની કસોટી પર ખરા ઉતરે એવા…

15 Comments »

  1. pragnaju said,

    March 4, 2011 @ 8:01 AM

    સર્વાંગ સ રસ

  2. sapana said,

    March 4, 2011 @ 8:36 AM

    સંબંધોને મીઠાશ અને કડવાશ દર્શાવતી સુંદર ગઝલ!!
    બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
    સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?
    સપના

  3. કિરણસિંહ ચૌહાણ said,

    March 4, 2011 @ 8:45 AM

    વાહ! સુંદર ગઝલ.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    March 4, 2011 @ 11:17 AM

    આમે ય ગૌર અંગ તરફ જલ્દીથી દ્રષ્ટિપાત થઈ જાય છે.
    બહુ જ સરસ.

  5. urvashi parekh said,

    March 4, 2011 @ 11:26 AM

    બધુ સ્થુળ અને સ્થાવર હતુ તે તો જુદુ કિધુ,
    સ્મરણ ને કઈ રીતે મારા તમારાથી અલગ કરશો.
    સરસ વાત.

  6. Kirftikant Purohit said,

    March 4, 2011 @ 11:33 AM

    બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
    સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો

    એક ઘુઁટાતી ટીસની સરસ અભિવ્યક્તિ.

  7. ડૉ.મહેશ રાવલ said,

    March 4, 2011 @ 1:57 PM

    કવિમિત્ર શ્રી ગૌરાંગભાઈની નખશિખ સુંદર ગઝલ માણવી ગમી…..
    કોઈ એક શેર અલગ તારવી બિરદાવા જતાં બીજા શેરને,અજાણતા અન્યાય કરી બેસીએ એવું બને..!
    સમગ્ર ગઝલને જ બિરદાવીએ, એજ ઉચિત ગણાશે મારી દ્રષ્ટિએ.

  8. preetam lakhlani said,

    March 4, 2011 @ 4:33 PM

    આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
    બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.

    જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
    તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો
    મત્લા ના શેર માટે ગૌરાંગભાઈને મુબારક્ પણ બીજો શેર શુન્ય પાલનપુરી ના એક શેર ને બહુ જ સામ્ય મને જણાય છે, પરન્તુ તેનો અથ એ નથી કે કવિએ નકલ કરી છે…. ગૌરાંગ સુંદર નખશિખ ઝલકાર છે એ બાબતમા કોઈ બે મત નથી….

  9. વિહંગ વ્યાસ said,

    March 5, 2011 @ 1:37 AM

    સુંદર ગઝલ.

  10. divya modi said,

    March 5, 2011 @ 6:48 AM

    વાહ કવિ..!!
    સુન્દર રચના.. એમા પણ મત્લાનો શેર ઉત્તમ..!!

  11. વિહંગ વ્યાસ said,

    March 6, 2011 @ 10:42 AM

    આદરણિય પ્રીતમભાઇ, તમને મારો એક શેર અર્પણ કરુ છું : “છે એજ વાત પણ અમે જુદી રીતે કરી. જે વાતને અમારા પૂર્વસૂરિએ કરી.”

  12. Dr Niraj Mehta said,

    March 8, 2011 @ 2:49 AM

    વાહ ગૌરાંગભાઈ

  13. Jay Naik said,

    March 9, 2011 @ 11:32 AM

    Wah Gaurangbhai Wah.
    Bahut Khub.
    Regards.

  14. jigar joshi 'prem' said,

    March 10, 2011 @ 10:56 AM

    વાહ ગૌરાંગભાઇ ! ક્યા અંદાઝે બયાં હૈ ! બહોત ખૂબ….

  15. sagar kansagra said,

    December 24, 2013 @ 3:58 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment