નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
બરકત વિરાણી 'બેફામ'

મુકતક – ઉદયન ઠક્કર

ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?

– ઉદયન ઠક્કર

5 Comments »

  1. Jayshree said,

    September 23, 2006 @ 3:15 AM

    વાહ… વાહ….

  2. સુરેશ જાની said,

    September 24, 2006 @ 6:03 AM

    ઉદયન ઠક્કર હંમેશાં કોઇ નવી જ વાત લઇને આવે છે.
    આપણા મનની તકલીફ એ છે કે, સનસનાટી વાળા કિસ્સા જ વધારે યાદ રહે છે!

  3. divyesh said,

    November 21, 2008 @ 1:34 PM

    વાહ્….

  4. NARENDRA SHINGALA said,

    November 22, 2008 @ 4:18 AM

    પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
    સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?

    – ઉદયન ઠક્કર દ્વારા ઉપરોક્ત પન્ક્તિઓ મા ધણુ કહી દી ધુ પોતાની લાગણીઓ વ્યકત કરી દિધી

  5. વિવેક said,

    November 22, 2008 @ 9:19 AM

    સુંદર મજાનું મુક્તક…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment