ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

હરિ ૐ – અંબાલાલ પટેલ

રમું હું તુજમાં, ભમું હું તુજમાં,
પ્રભુ આંનંદુ તુજ આનંદમાં.
તુજ તેજ તરંગ ઝીલી જીવવા,
જનમ્યો જગમાં તુજમાં શમવા.

સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
કુમકુમ વરણે પૂલ નાંગરવા,
તરી પાર જવા, તુજ રૂપ થવા,
લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

સચરાચર તું પ્રભુ એકજ તું.
નીરખું જ્યાં જ્યાં ત્યાં પ્રભુ તું.
તું રૂપ સહુ, સહુ રૂપ જ તું.
પછી હું થી જુદો પ્રભુ ક્યાં લગી તું.

મુજ હું પ્રભુ એમ તું રૂપ થતાં,
જડ ભીષણ ભેદી દિવાલ જતાં,
જગ લોપ થયું. મુજ હું ય ગયું. 
તુજ સત્ ચિત આનંદ રૂપ રહ્યું.

ભરી ભર્ગ વરેણ્ય તું ૐ બન્યો.
તુજ આદ્ય ધ્વનિ પ્રભુ ૐ સુણ્યો.
એ ૐ મહીં સ્વર સોહમ્ ના,
ઝીલતાં મુજ હું ગળી ૐ થતાં,

હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

– અંબાલાલ પટેલ

બહુ જાણીતા નહીં તેવા આ સાધક કવિનું એક જ પુસ્તક ‘ વેણુના નાદ’ અમારા ઘરમાં હતું. અમે ભાઇ બહેનો નાના હતા ત્યારે સોનેરી મુખપૃષ્ટ વાળા તે પુસ્તકને અમે બહુ આદરથી જોતા. તેમની સ્તુતિઓ અને ગરબા અમારા કુટુંબોમાં વારંવાર ગવાતા. અમારા ઘરમાં આ સ્તુતિ હજુ પણ ગવાય છે. માત્ર સ્મૃતિ પરથી આ સ્તુતિ લખી છે.

4 Comments »

  1. rajnikant shah said,

    April 1, 2011 @ 11:38 AM

    સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
    કુમકુમ વરણે પૂલ નાંગરવા,
    તરી પાર જવા, તુજ રૂપ થવા,
    લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

    nice.

  2. Rajendra Patel said,

    April 29, 2014 @ 4:15 PM

    Shree Suresh Jani

    I am having a single copy of VENU NA NAAD Golden Cover The Copy was given by my Grandfather to my wife in 1965. Wish to make more copies and to distribute among the families who loved Him.

  3. સુરેશ જાની said,

    April 30, 2014 @ 8:14 AM

    Nostalgic memories!
    We too had that book in our house. In my youth days , we did not have much flair for poetry. But that book was most precious to all of us siblings due to its golden cover.

    Many of Late Ambaka’s poems / Bhajans were sung in our house. This one I still remeber by heart , even now.
    —-
    It will be my pleasure to publish his ‘Parichay’ on my blog – ‘Gujarati Pratibha Parichay’ in case, someone can get his bio data.

  4. હરિ ૐ – અંબાલાલ પટેલ + | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* said,

    October 25, 2014 @ 10:28 PM

    […] હરિ ૐ –  […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment