પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

મુક્તક – હિતેન આનંદપરા

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

-હિતેન આનંદપરા

9 Comments »

  1. manhar m.mody ('mann' palanpuri) said,

    December 3, 2009 @ 12:34 AM

    જીવનની ફિલસૂફી – થોડામાં ઘણું.

  2. વિવેક said,

    December 3, 2009 @ 1:14 AM

    સો ટચનું સોનું…

  3. ખજિત said,

    December 3, 2009 @ 4:10 AM

    નિયતિ સત્કારવાની હોય છે, જિંદગી સ્વીકારવાની હોય છે,
    ખુબ સરસ મુક્તક

  4. BB said,

    December 3, 2009 @ 6:19 AM

    Hard truth of the life

  5. urvashi parekh said,

    December 3, 2009 @ 8:17 AM

    સરસ..
    સ્વીકારી લઈએ તો ઘણુ બધુ સહેલુ થઈ જતુ હોય છે.
    સરસ રિતે કહેવાણુ છે.

  6. ઊર્મિ said,

    December 3, 2009 @ 7:37 PM

    અરે વાહ વાહ… શું મજાની વાત કરી હિતેનભાઈએ…

  7. pragnaju said,

    December 4, 2009 @ 12:42 AM

    મુક્તક સ રસ
    પણ
    નિયતિ સત્કારવાની હોય છે,
    … સાથે સંમત થવાતું નથી

    નિયતિની ચિંતા કે ચર્ચામાં પડ્યા વગર આ સરસ વાત
    ‘‘તવક્કુલ પર હૈ તકિયા
    અક્કલ સે હમ કામ લેતે હૈ,
    ઇધર તકદીર (નિયતિ) રખતે હૈ,
    ઉધર તદબીર રખતે હૈ’’
    મનુષ્યની મહાન આત્માનો જયજયકાર કરતાં ‘સાવિત્રી’ પ્રબંધ કાવ્યમાં
    મહર્ષિ અરવિંદે એટલે જ કહ્યું કે, ‘મનુષ્યનો આત્મા તેના ભાગ્ય કરતા વઘુ મહાન છે

  8. Dilipkumar K Bhatt said,

    December 6, 2009 @ 8:15 AM

    જાણે ગાગર્મા સાગર!

  9. Deval said,

    October 10, 2012 @ 12:30 AM

    @વિવેક સર : અહી “તું બધી ફરિયાદ મૂકી દે હવે,” છે કે “મેં બધી ફરિયાદ ને નેવે મૂકી ” છે?
    સમય મળ્યે ચકાસણી કરવા વિનંતી।

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment