અર્થનાં ઇન્દ્રાસનો ડોલી ગયાં,
શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી.
– રાહુલ શ્રીમાળી

ગઝલ-હરીન્દ્ર દવે

સુખ કેટલું હતું તે સમીપતાના ખ્યાલમાં,
આવી શકી ન જે આ મુકદ્દરની ચાલમાં.

સદીઓ વીતી છે, એમને ઝૂર્યા કરું છું હું,
લાગે છે એ મળ્યા’તા હજી આજકાલમાં.

એના જવાબના બધા સંકેત સ્પષ્ટ છે,
શબ્દોને ગોઠવી નથી શકતો સવાલમાં.

ઘાયલ કરી ગયાં છે એ તીરોનો શો કસૂર,
છિદ્રો અદ્રશ્ય હોઈ શકે મારી ઢાલમાં.

મારો જ મેળ મળતો નથી, કોને શું કહું ?
ખામી કશીયે ક્યાં છે આ દુનિયાના તાલમાં.

-હરીન્દ્ર દવે

6 Comments »

  1. Harikrishna said,

    November 18, 2012 @ 1:18 AM

    સર્સ મ્ઝા આવી ગ્યી

  2. Rina said,

    November 18, 2012 @ 3:11 AM

    Awesome…..

  3. deepak said,

    November 18, 2012 @ 4:25 AM

    ઘાયલ કરી ગયાં છે એ તીરોનો શો કસૂર,
    છિદ્રો અદ્રશ્ય હોઈ શકે મારી ઢાલમાં.

    વાહ, ખુબ સરસ…

  4. pragnaju said,

    November 18, 2012 @ 11:00 AM

    મારો જ મેળ મળતો નથી, કોને શું કહું ?
    ખામી કશીયે ક્યાં છે આ દુનિયાના તાલમાં.

    સરસ…

  5. sweety said,

    November 19, 2012 @ 5:45 AM

    મારો જ મેળ મળતો નથી, કોને શું કહું ?
    ખામી કશીયે ક્યાં છે આ દુનિયાના તાલમાં.

    હરીન્દ્ર દવે ભઈ માજા આવિ ગઈ

  6. Maheshchandra Naik said,

    November 26, 2012 @ 5:08 PM

    કવિશ્રી હરીન્દ્ર દવેને સલામ…………………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment