તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

રાહ જોઉં છું – પ્રફુલ્લ રાવલ

હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?

વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,

પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

– પ્રફુલ્લ રાવલ

આત્મખોજની યાત્રા એ ન નીકળવાના બહાનાઓ અનેકવિધ છે….. મગજ અત્યંત ચાલક અંગ છે. મગજની ચાલ સમજવી અને સમજીને પછી તેને અતિક્રમવી તે પ્રજ્ઞા….

6 Comments »

  1. Rina said,

    July 2, 2012 @ 3:59 AM

    Awesome..

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    July 2, 2012 @ 4:04 AM

    સરસ રચના !

  3. pragnaju said,

    July 2, 2012 @ 8:12 AM

    સુંદર અછાંદસ
    -आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु।
    बुद्धिं तु सारथि विद्धि येन श्रेयोअहमाप्नुयाम।

    આત્મસાત કરી સાધના દ્વારા મનોનિગ્રહ બાદ પ્રતિશામા

    પણ કોઈ ખખડાવતું નથી બારણું,
    મારું પોટલું હું આઘું કરી શકતો નથી
    ને નથી તસુયે ખસી શકતો હું.
    સહજ સમજાશે

  4. વિવેક said,

    July 3, 2012 @ 9:57 AM

    સુંદર રચના !

  5. dr.jagdip said,

    July 3, 2012 @ 10:44 AM

    રાહ જોઉ છું

  6. P Shah said,

    July 4, 2012 @ 12:11 AM

    હું તો તૈયાર જ બેઠો છું
    બારણું ખખડે એટલી જ વાર
    સરસ રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment