ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
-જવાહર બક્ષી

આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

2 Comments »

  1. પ્રતિક ચૌધરી said,

    September 7, 2008 @ 7:49 AM

    ખરેખર સુંદર ગીત છે.મૌન ના સોગંદની વાત ગમી ગઈ.

  2. Angel Dholakia said,

    May 18, 2009 @ 1:44 AM

    suresh dalal rachayit koi pan sahitya prakar hoy etle shabdo ne fakt sambhadvana k vaanchvana hoy, bolvana k lakhvana nahi.
    sachi vaat?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment