હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

મેં વસંત પાસેથી – શેખાદમ આબુવાલા

મેં વસંત પાસેથી
એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું
પાનખરને લાગ્યું છે

જિંદગીની વેરાની
એટલે પરેશાની
મોત થૈને લીલુંછમ
કલ્પનામાં જાગ્યું છે

આ શું રૂપને સૂઝ્યું
દિલ હજી નથી રૂઝ્યું
એણે ફૂલ ફેંક્યું’તું
તીર કેમ વાગ્યું છે

જોકે એમ તો છું પણ
હું હવે નથી હું પણ
એનો પ્રેમ પામીને
મેં સમસ્ત ત્યાગ્યું છે

એ જ છે હજી મોસમ
એ જ છો તમે આદમ
આ વતન તમારાથી
સ્હેજ દૂર ભાગ્યું છે

9 Comments »

  1. Rina said,

    August 1, 2011 @ 12:29 AM

    વાહ……

  2. વિવેક said,

    August 1, 2011 @ 3:22 AM

    સુંદર ગઝલ… માણવી ગમી…

  3. Deval said,

    August 1, 2011 @ 7:20 AM

    maja padi…..

  4. ધવલ said,

    August 1, 2011 @ 1:55 PM

    જિંદગીની વેરાની
    એટલે પરેશાની
    મોત થૈને લીલુંછમ
    કલ્પનામાં જાગ્યું છે

    – સરસ !

  5. DHRUTI MODI said,

    August 1, 2011 @ 2:35 PM

    મઝાની ગઝલ.

  6. P Shah said,

    August 2, 2011 @ 4:04 AM

    એનો પ્રેમ પામીને મેં સમસ્ત ત્યાગ્યું છે…

    સુંદર ગઝલ !

  7. Maheshchandra Naik said,

    August 2, 2011 @ 2:11 PM

    વાહ, સરસ ગઝલ…………

  8. Kamren said,

    August 19, 2011 @ 5:53 AM

    So true. Honesty and everything recogeinzd.

  9. malvikasolanki said,

    March 15, 2013 @ 5:25 AM

    સરસ ગઝલ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment