સંવાદ – કુસુમાગ્રજ
તમે જ્યારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.
– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)
પોતાની જાત ઓગળી જાય – ભૂલાઈ જાય – એ અવસ્થાથી તો થોડા જ લોકો લખી શકે છે. પોતાના કવિતામાના અહમના પડને કવિએ (કવિતામાં જ!) આબાદ ઓળખી બતાવ્યું છે.
જો કે આ તો એક અર્થ છે. આ ટચુકડી કવિતાના અલગ અર્થ પણ કાઢી શકાય એમ છે. તમને શું અર્થ લાગે છે?
વિવેક said,
August 2, 2011 @ 8:33 AM
સુંદર કવિતા… કવિતા હોય કે જીવન, માણસ પોતાના વિશે જ બકબક કરતો હોય છે…
devika dhruva said,
August 2, 2011 @ 9:38 AM
તમે જ મારી કવિતમાં છો અને તમે જ મારા બોલવામાં પણ છો. હું હું નથી.
આનાથી વિશેષ તમે શું કહે્શો ?
Maheshchandra Naik said,
August 2, 2011 @ 1:42 PM
કવિતા એટલે જ કવિશ્રીના બોલાયેલા શબ્દો…………….
DHRUTI MODI said,
August 2, 2011 @ 4:20 PM
કદાચ કવિની વાત અને સાંભળનારાં લોકોની વાત સરખી જ હશે ઍટલે કવિ કહે છે કે મારી કવિતામાં ‘હું’ જ હોઈશ પણ ઍ વાત તમારી હોઈ શકે. સુંદર કાવ્ય. કવિની બાની લોકહ્દયને જ વાચા આપતી હોય છે.