ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.
– જુગલ દરજી

બીક – ભાગ્યેશ જહા

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.

ભાગ્યેશ જહા

2 Comments »

  1. મીના છેડા said,

    September 30, 2006 @ 10:00 AM

    મને બીક છે,
    કે
    આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

    પ્રતિમા
    ક્યાંક માણસ ન થઈ જાય.

    એક એવી બીક જે આપણે બધા ક્યારેક ને ક્યારેક જીવીએ છીએ.

  2. nilamdoshi said,

    October 5, 2006 @ 11:07 AM

    આજે આ જ કાવ્ય પરમ સમીપે પર મૂકવાની હતી.ત્યાં અહી જોયું.ખૂબ સરસ છે.આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment