મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.
– અનિલ ચાવડા

ગઝલ – હીરજી સિંચ

વાત મારી સાંભળી લેજે સખા !
જો પછી કરતો નહીં કોઈ ડખા !

જા રહેવા દે દવા લેવી નથી
દર્દ લાગે છે મને આ નવલખા !

એકલો વરસાદમાં ચાલ્યો, અને –
ત્યાં મને આ કોણ વીંઝે ચાબખા !

તેં ય પીધી છે સુરાહી પ્રેમની
તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !

– હીરજી સિંચ

ઓછા શેરની અને નાની બહેરની સહજ અને સરળ ગઝલ… વરસાદની ભીની મોસમમાં ‘એકલા’ નીકળવું પડે ત્યારે વરસાદનું ઝીંકાતું પાણી પાણી નહીં, ચાબખાની જેમ વાગે છે એ વેદના કવિએ કેવી સરસ રીતે કરી છે ! શેરનો ઉપાડ ‘એકલો’ શબ્દથી થાય છે એમાં જ ખરી કવિતા સર્જાય છે…

12 Comments »

  1. Jayshree said,

    January 15, 2010 @ 1:22 AM

    મને તો આ શેર ગમી ગયો…

    વાત મારી સાંભળી લેજે સખા !
    જો પછી કરતો નહીં કોઈ ડખા !

    આ ‘ડખા’ શબ્દ આજ પહેલા કોઇ ગઝલ – કવિતામાં વાંચ્યો નથી..!

    પણ હવે વારંવાર વાપરવાનું મન થઇ જાય એવો આ શેર કાયમ યાદ રહેશે.. 🙂

  2. P Shah said,

    January 15, 2010 @ 1:35 AM

    દર્દ લાગે છે મને આ નવલખા !

    સુંદર ગઝલ !

  3. Mukund Joshi said,

    January 15, 2010 @ 2:55 AM

    લોક્બોલીંમા સરળ પણ સોંસરવી સુંદર ગઝલ !

  4. મીના છેડા said,

    January 15, 2010 @ 2:58 AM

    એકલો હોવાની વ્યથા ઓછા શબ્દોમાં પણ ખરે જ ચાબખા વાગતાનું અનુભવી શકાય એટલું સહજ બન્યું છે.

  5. kanchankumari parmar said,

    January 15, 2010 @ 6:35 AM

    આતે કેવા આપસ ના ડખા કે દુનિયા ને રહે કાયમ ના વખા?

  6. virendra bhatt said,

    January 15, 2010 @ 6:43 AM

    આશા છે કે હવે કોઈ ન કરે ધખા!

  7. sudhir patel said,

    January 15, 2010 @ 6:17 PM

    સરસ અને સરળ ગઝલ! ત્રીજો શે’ર વિશેષ ગમ્યો.
    સુધીર પટેલ.

  8. Pancham Shukla said,

    January 16, 2010 @ 3:37 AM

    ???

  9. pragnaju said,

    January 16, 2010 @ 12:10 PM

    તેં ય પીધી છે સુરાહી પ્રેમની
    તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !

    સ રસ ગઝલનો આ શેર વધુ ગમ્યો…

    સમય પ્રેમના આત્માને બદલી નથી શકતો, પણ તેના સ્વરૂપને જરૂર બદલી શકે છે. પ્રેમનું આ મહોરું આપણી ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. પહેલાં આંખો-આંખોમાં પ્રેમની શરૂઆત થતી હતી. એકરાર કરવામાં વર્ષોલાગતાં હતાં અને અંતમાં લગ્ન થઈ જતાં હતાં. આજે મહાનગરોમાં આધુનિક યુવક-યુવતીઓ ‘આઈ લવ યુ’ કહેતાં સહેજપણ વાર નથી લગાડતાં. લગ્ન કરવા એ પ્રેમ કરવા માટેની કોઈ અનિવાર્ય શરત નથી રહી અને જૉ લગ્ન કરી પણ લે તો જીવનભર નિભાવવા એ અનિવાર્ય શરત નથી રહી. બાકી બધું એવું જ છે કે જયારે બે વ્યકિત પ્રેમમાં પડે છે ત્યારે દુનિયા ગુલાબી થઈ ઉઠે છે

  10. ઊર્મિ said,

    January 16, 2010 @ 12:42 PM

    એકદમ હળવો મત્લા ખાસ બે કારણોસર ગમી ગયો… એક તો ‘સખા’ શબ્દને લીધે 🙂 અને બીજું- આ મત્લા લઈને કોઈ મસ્ત મજાની હઝલ પણ લખી શકાય, એમ લાગ્યું… 🙂 🙂

  11. Kirtikant Purohit said,

    January 18, 2010 @ 9:19 AM

    સરસ રચના.

  12. narendra rana said,

    April 8, 2010 @ 7:15 AM

    આ ગઝલ અદભુત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment