ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
વિવેક મનહર ટેલર

કવિનું શબ – મનમોહન નાતુ

શબ આ કવિનું
           બાળશો નહીં રે,
જિંદગીભર એ
           બળતો જ હતો

ફૂલો પણ એ પર
           ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
           ખીલતો જ હતો.

– મનમોહન નાતુ
(મૂળ મરાઠી, અનુ.જયા મહેતા)

Leave a Comment