હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

અવદશા – વિપિન પરીખ

વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?

-વિપિન પરીખ

4 Comments »

  1. rajnkant shah said,

    June 29, 2011 @ 7:35 PM

    બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
    પણ ત્યાં સુધીમાં
    હું હસવાનું ભૂલી જઈશ તો?

    great
    what aconcern!

  2. rajnikant a shah said,

    November 13, 2011 @ 9:02 AM

    શાણા માણસો કહે છે:
    બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
    ???

  3. ધવલ said,

    November 13, 2011 @ 9:59 AM

    વિપિન પરીખને સાદા શબ્દોમાં ગહન વિચાર ગૂંથી લેવાની સહજ આવડત હતી.

  4. vasant shah said,

    January 16, 2013 @ 4:32 AM

    VIPINBHAI ! SHRADHA AUR SABURI RAKHO !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment