દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

કેમ ? – મુકુલ ચોકસી

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?

– મુકુલ ચોકસી

એક એક પંક્તિએ અર્થછાયાઓમાં જે પરિવર્તન આવે છે એ જોવા જેવું છે. છેલ્લો શેર વાંચતા જો કહી ગયી ન મુઝસે વો જમાના કહ રહા હૈ, કે ફસાના બન ગયી હૈ મેરી બાત ચલતે ચલતે તરત જ યાદ આવે છે.

4 Comments »

  1. વિવેક said,

    May 22, 2008 @ 2:56 AM

    મુકુલભાઈની રાબેતા મુજબની સદાબહાર ગઝલ… ગુજરાતી ભાષાનું કમનસીબ છે કે મુકુલભાઈ હવે ખૂબ ઓછું લખી રહ્યા છે…

  2. RAZIA MIRZA said,

    May 22, 2008 @ 4:44 AM

    ડો.મુકુલ ભાઈ ની રચનાઓ માનવ સ્વભાવ પરિવર્તન અને એનું અસલી સ્વાર્થ પણું દર્શાવે છે.અભિનંદન મુકુલભાઈ ને

  3. pragnaju said,

    May 22, 2008 @ 9:42 AM

    ખૂબ સુંદર ગઝલ્
    તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
    ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?
    વાહ્ -ામારી વાત
    રાજેશ કહે છે તેમ
    દોસ્ત આ એકાંત ધરખમ હોય છે,
    ભીડ સોંસરવું અડીખમ હોય છે.
    બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
    હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?
    તમે કહ્યું તેમ સાચે જ્- ફસાના બન ગયી હૈ મેરી બાત …

  4. Pinki said,

    May 22, 2008 @ 1:37 PM

    પ્રકૃતિ અને મનુષ્યની પ્રકૃતિ
    સુંદર અનુસંધાન !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment