વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

ના કરે – ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

– ચિનુ મોદી

મારો સૌથી ગમતો શેર – ખૂબ ધેરી ને ગહન છે લાગણી,/ એ ઝરણની જેમ ખળખળ ના કરે ! અને છેલ્લો શેર પણ સરસ થયો છે. ગઝલમાં ગહન રૂપકોને બદલે રોજબરોજની ઘટનાઓનો પડઘો દેખાય એ સચ્ચાઈ અને તાજગીની પણ મઝા છે.

તા.ક. : આ ગઝલ પરથી પ્રેરણા લઈને પંચમ શુક્લે લખેલી ચિનુ મોદીને અંજલી આપતી રચના અહીં જુઓ.

8 Comments »

  1. ચૈતન્ય એ. શાહ said,

    May 6, 2008 @ 1:15 AM

    પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
    જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

    સરસ…..

  2. anil parikh said,

    May 6, 2008 @ 1:49 AM

    ના ગમે તો વાત આગળ ના ક્રરે-
    અદભુત

  3. વિવેક said,

    May 6, 2008 @ 2:36 AM

    પાંચેય શેર પાંચ ઉત્તમ કવિતા સમા થયા છે… ચિનુ મોદીની આ ખૂબ જાણીતી ગઝલ આજ સુધી અહીં હતી જ નહીં?

  4. Shah Pravinchandra Kasturchand said,

    May 6, 2008 @ 7:32 AM

    આ વાંચ્યા પછી લાગે છે કે બીજું કેમ વંચાશે?
    વાંચવા બીજું જઈશ ને આ જ આગળ આવશે.
    બહુજ સુંદર.
    સલામ.

  5. pragnaju said,

    May 6, 2008 @ 8:28 AM

    સુંદર ગઝલ
    તેમાં આ શેર
    ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
    એ ઝરણની જેમ ખળખળ ના કરે.
    ‘ઈર્શાદ’ને પણ ફરી ફરી ‘ઈર્શાદ’કહેવું પડે!

  6. mahesh dalal said,

    May 6, 2008 @ 2:33 PM

    વઆહ ખુબ ભાવિ ગઇ

  7. GURUDATT said,

    May 7, 2008 @ 9:16 AM

    ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
    એ ઝરણની જેમ ખળખળ ના કરે.

    અસરકારક શેર્.ઓછા શબ્દમાં …વેધક રજુઆત..

  8. Mansuri Taha said,

    July 24, 2008 @ 12:30 AM

    ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
    ના ગમે તો વાત આગળ ના કરે.
    ઉત્તમ ગઝલ, ચિનુ મોદી સાહેબ ને અભિનંદન આપવા જ પડે.

    ઠાઠ ભપકા એ જ છે “ઇર્શાદ” ના,
    ઘર બળે તો તાપી જોવું જોઇએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment