ના કરે – ચિનુ મોદી
વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.
ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.
ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.
– ચિનુ મોદી
મારો સૌથી ગમતો શેર – ખૂબ ધેરી ને ગહન છે લાગણી,/ એ ઝરણની જેમ ખળખળ ના કરે ! અને છેલ્લો શેર પણ સરસ થયો છે. ગઝલમાં ગહન રૂપકોને બદલે રોજબરોજની ઘટનાઓનો પડઘો દેખાય એ સચ્ચાઈ અને તાજગીની પણ મઝા છે.
તા.ક. : આ ગઝલ પરથી પ્રેરણા લઈને પંચમ શુક્લે લખેલી ચિનુ મોદીને અંજલી આપતી રચના અહીં જુઓ.
ચૈતન્ય એ. શાહ said,
May 6, 2008 @ 1:15 AM
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.
સરસ…..
anil parikh said,
May 6, 2008 @ 1:49 AM
ના ગમે તો વાત આગળ ના ક્રરે-
અદભુત
વિવેક said,
May 6, 2008 @ 2:36 AM
પાંચેય શેર પાંચ ઉત્તમ કવિતા સમા થયા છે… ચિનુ મોદીની આ ખૂબ જાણીતી ગઝલ આજ સુધી અહીં હતી જ નહીં?
Shah Pravinchandra Kasturchand said,
May 6, 2008 @ 7:32 AM
આ વાંચ્યા પછી લાગે છે કે બીજું કેમ વંચાશે?
વાંચવા બીજું જઈશ ને આ જ આગળ આવશે.
બહુજ સુંદર.
સલામ.
pragnaju said,
May 6, 2008 @ 8:28 AM
સુંદર ગઝલ
તેમાં આ શેર
ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.
‘ઈર્શાદ’ને પણ ફરી ફરી ‘ઈર્શાદ’કહેવું પડે!
mahesh dalal said,
May 6, 2008 @ 2:33 PM
વઆહ ખુબ ભાવિ ગઇ
GURUDATT said,
May 7, 2008 @ 9:16 AM
ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.
અસરકારક શેર્.ઓછા શબ્દમાં …વેધક રજુઆત..
Mansuri Taha said,
July 24, 2008 @ 12:30 AM
ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.
ઉત્તમ ગઝલ, ચિનુ મોદી સાહેબ ને અભિનંદન આપવા જ પડે.
ઠાઠ ભપકા એ જ છે “ઇર્શાદ” ના,
ઘર બળે તો તાપી જોવું જોઇએ.