તું આવ આ ક્ષણે જ બહુ એકલો છું હું,
લાંબો ન કર વિચાર હજી એકલો છું હું.
– ધર્મેશ ભટ્ટ

મૈત્રીનું મૂલ્ય – મુસાફિર પાલનપુરી

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

– મુસાફિર પાલનપુરી

3 Comments »

  1. shriya said,

    March 20, 2008 @ 1:01 AM

    સરસ!!!

  2. pragnaju said,

    March 20, 2008 @ 9:31 AM

    સુંદર મુક્તક
    જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
    યાદ આવ્યું
    ઐસી મૂઢતા યે મનકી
    ધૂમ્રસમૂહ નિરખી ચાતક જ્યોં તૃષિત જાનિ મતિ ધન કી
    નહિ તહીં શીતલતા ન વારિ પુનિ હાનિ હોત લોચનકી … ઐસી.

  3. 'ઈશ્ક'પાલનપુરી said,

    March 28, 2008 @ 3:36 AM

    સરસ, બહુત ખુબ , મુસાફિર સાહેબ
    ‘ઈશ્ક’પાલનપુરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment