દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
ગની દહીંવાલા

કાફલો – સદાશિવ વ્યાસ

તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર –
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.

-સદાશિવ વ્યાસ

Leave a Comment