પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
સુરેશ દલાલ

પ્રતિજ્ઞા – રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.

હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.

તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……

4 Comments »

  1. ravindra Sankalia said,

    September 29, 2013 @ 7:54 AM

    રવીન્દ્રનાથની આ કવિતા ઘણી સરસ છે પણ નગીન્દાસ પારેખનો અનુવાદ કઇ ઝામ્યો નહિ. ” મન જેવુ મન જિતવા ન પામુ ” એ પન્ક્તિ અસરકારક છે.મન વાયુ જેવુ ચન્ચળ છે એને પકડ્વુ દુશ્કર છે એમ ગીતામા ખુદ ભગવાને કહ્યુ છે.

  2. Dr Tirthesh Mehta said,

    September 29, 2013 @ 12:52 PM

    I agree with you ravindrabhai.

  3. Harshad Mistry said,

    September 29, 2013 @ 9:36 PM

    It looks honest atempt to translate it. I agree it is hard to justify with Rabindranath tagore poem when someone translate it. still kavi tried to justify what likes me.

  4. jahnvi antani said,

    October 13, 2013 @ 5:13 AM

    vaah aa karansar j laystaro ni mane adat padi gai che……. khubj ucch koti nu sharing…..હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
    જેને જે કહેવું હોય તે કહે.
    જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
    મેં
    કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
    જો મન જેવું મન જીતવા ન પામું,
    તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
    જો તે તપસ્વિની ન મળે તો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment