પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
વિહંગ વ્યાસ

ગઝલ – આબિદ ભટ્ટ

સેંકડો મુફલિસ, તવંગર થઈ ગયા,
જઈને માટીમાં બરાબર થઈ ગયા !

નામ રેતી પર લખેલા છે સમજ,
યાદ કોને છે સિકંદર થઈ ગયા ?

આદમી તો યે નહીં આદમ થયો,
કેટલા જગમાં પયંબર થઈ ગયા !

ખાણના પથ્થર ચણાયા તાજમાં,
આ જગત કાજે ધરોહર થઈ ગયા !

અશ્રુઓએ સ્થાન સંભાળ્યું પછી,
શબ્દ હોઠેથી છુમંતર થઈ ગયા !

જિંદગીની રેલગાડી સડસડાટ,
બેઉ પાટા જ્યાં સમાંતર થઈ ગયા !

– આબિદ ભટ્ટ

બંને પાટા સમાંતર કરી શકાય તો જીવનની ગાડી પૂરપાટ ચાલતી થઈ જાય પણ આ કસબ કેટલાને હાંસિલ ? આંસુઓ વહેવા મા6ડે અને શબ્દ નિઃશબ્દ થઈ જાય એ શેર પણ ખૂબ મજાનો… સરવાળે મજાની ગઝલ…

5 Comments »

  1. NARENDRASINH said,

    July 25, 2013 @ 4:20 AM

    અશ્રુઓએ સ્થાન સંભાળ્યું પછી,
    શબ્દ હોઠેથી છુમંતર થઈ ગયા ! ખુબ સુન્દર રચના

  2. Pravin Shah said,

    July 25, 2013 @ 4:28 AM

    saras !

  3. Sureshkumar G Vithalani said,

    July 25, 2013 @ 12:17 PM

    A VERY GOOD GAZAL. THANKS AND CONGRATULATIONS TO THE POET.

  4. P. P. M A N K A D said,

    July 27, 2013 @ 10:03 AM

    Very thought-provoking ghazal. Congratulations and thanks.

  5. Harshad said,

    August 2, 2013 @ 6:30 PM

    really very nice. Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment