આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
– આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કૃપાશંકર વ્યાસ

કૃપાશંકર વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શહેરમાં પધાર્યા તાપી માત !

રૂડું   સૂરત   સરખું   શહેર,   જગરેલે  કાઢ્યું  ઝેર,
કંઈક     દહાડાનું     વેર,    એણે     લીધું    છે.

ઘણું   કીધું છે  નુકશાન,  સૌનાં  ઉતાર્યા છે માન,
એ    તો   કરતી  આવી  તાન,   દુ:ખ   દીઘું છે.

ફરતી   ફરતી  ઠામેઠામ,  સૌએ મૂકી મનની હામ,
કાંઠા   ઉપરના   ગામ,   ઘસડી    લાવી     છે.

બીજે   દહાડે   મંગળવાર, માએ રસ્તા રોક્યા બાર,
જોવા    નીકળ્યા   અમલદાર,    હારી   બેઠા  છે.

જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી, દુનિયા કરી ધૂળધાણી,
જાણે   સૂરત   લેશે   તાણી,    ભય    લાગે   છે.

આજે જ કોઈએ આ પંક્તિઓ તાપીના પાણી સામે હારી ગયેલા સુરતની હાલત જોઈને લખી હોય એવી લાગે છે. પણ ખરેખર આ પંક્તિઓ સો વરસ કરતા પણ જૂની છે. આ કૃપાશંકર વ્યાસે 1883માં લખેલી ગરબી ‘શહેરમાં પધાર્યા તાપી માત!’માંથી લીધી છે.

સવાસો વર્ષના સમય પછી અને બે-બે બંધ બાંધેલ હોવા છતાં આજે પણ પરિસ્થિતિ એની એજ છે એ પણ જોવા જેવી વાત છે.  કાલ સુધીમાં ધીમે ધીમે પાણી ઉતરશે એવી વાત છે. આ તો માત્ર શક્યતાની જ વાત છે અને વળી સામે વધુ વરસાદની આગાહી છે. સુરતમાં મારા ઘરમાં બેથી ચાર ફૂટ પાણી ભરાયા છે એવા સમાચાર મળ્યા છે. (અત્યારે ત્યાં કોઈ રહેતું નથી) હવે સુરતમાં કોઈ ફોન લાગતા નથી. માત્ર સમાચાર પરથી પરિસ્થિતિનો અંદાજ મેળવવાની કોશિશ કરું છું પણ આ તો કોઈ રીતે મગજમાં ના ઉતરે એવી વાત છે.

Comments (2)