બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

એ બ્હાને – જવાહર બક્ષી

વૃક્ષ સૂકું પડ્યું આંખ ભીની તો થઈ
આંગણાને વિકલ્પોની લ્હાણી તો થઈ

એક રસ્તો થયો બંધ તો શું થયું
કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ

અહીં તરસ પણ વધી ઝાંઝવાં પણ વધ્યાં
ચાલ એ બ્હાને રણમાંય વસ્તી તો થઈ

ભીડમાં પણ હવે એકલો હોઉં છું
તમને ખોયા પછી મારી હસ્તી તો થઈ

ઘર કિનારા ઉપરનાં છો તૂટી ગયાં
પણ ‘ફના’ એમ દરિયામાં ભરતી તો થઈ

– જવાહર બક્ષી

બીજો શેર દિલને ઝણઝણાવી ગયો….ઘણીવાર બંધિયાર પાણીના તળાવમાં મોટું બાકોરું પડી જાય અને સઘળું પાણી વહી જાય એમાં જ સાર હોય છે….તો જ નવા નીર આવે….સંબંધોનું પણ એવું જ છે.

3 Comments »

  1. Parbatkumar nayi said,

    August 11, 2021 @ 12:38 PM

    વાહ….. વાહ…..

  2. pragnajuvyas said,

    August 11, 2021 @ 3:21 PM

    એક રસ્તો થયો બંધ તો શું થયું
    કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ
    વાહ
    સ રસ ગઝલ

  3. Lata Hirani said,

    August 18, 2021 @ 3:24 AM

    બધા જ શેર સરસ પણ બેીજો વધુ ગમ્યો. મનમા વસેી ગયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment