પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતું હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

– પ્રીતિ સેનગુપ્તા

મુદ્દાની વાત કરે છે કવયિત્રી ! માણસ જે કંઈ પણ કરે છે તે સ્વ-હેતુથી કરે છે.

6 Comments »

  1. Chitralekha Majmudar said,

    March 15, 2017 @ 12:45 PM

    “Mitthhu madhuru kavya”. Nice to read it.

  2. મનસુખલાલ ગાંધી said,

    March 15, 2017 @ 9:50 PM

    સરસ કાવ્ય છે.

  3. Bharat Thakkar said,

    March 16, 2017 @ 3:56 AM

    સુંદર, અતિ સુંદર.

  4. Bharat Trivedi said,

    March 16, 2017 @ 6:21 AM

    This seems to me as a good example of a run away poem.

  5. Himatlal Parekh said,

    March 16, 2017 @ 7:32 AM

    Bahut Sunder !
    Apatra Ne Karelu Premnu Dann ! ….. This says lots of meaning.
    Nice poem !

  6. Maheshchandra Naik said,

    March 16, 2017 @ 3:47 PM

    સરસ,સરસ,સ્વાર્થ વગરનુ જગત નથીની વાત સરસ રીતે કરી છે……..અભિનદન……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment