થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા ?
– નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શૈલેશ ગઢવી

શૈલેશ ગઢવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




છેલ્લું જ પાનું છે! – શૈલેશ ગઢવી

કહે છે બોલવાથી શું થવાનું છે?
બહાનું ચૂપ રહેવાનું મજાનું છે!

ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં,
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે!

દિલાસો આપના શબ્દોનો મારે મન,
તરુને આભ આખું ઓઢવાનું છે!

અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમ:
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?

લખું છું એવી રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!

– શૈલેશ ગઢવી

મજાની ગઝલ!

Comments (7)