કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પરવીન શાકિર

પરવીન શાકિર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શેર – પરવીન શાકિર

मैं उस की दस्तरस में हूँ मगर वो
मुझे मेरी रज़ा से माँगता है

परवीन शाक़िर

હું તો એના વશમાં જ છું – પણ એ મારી જાતને મારી પાસેથી મારી રજામંદીથી માંગે છે

વાહ ! વાતની નજાકત જૂઓ….ઊંડાણ જૂઓ  !!! પ્રેમની ખરી ઊંચાઈ !!! કોઈ માલિકીપણાની વાત નહીં…. અધિકાર પૂરો છે-બંનેને ખબર છે,પણ વ્યક્તિને એક અદના અસ્તિત્વ તરીકે પૂરું સન્માન !!! પ્રજ્ઞાવાન વ્યક્તિ પણ ઘણી વખત આ સકંજામાંથી બચી નથી શકતા-જેને ચાહે છે એને સહજતાથી ગૂંગળાવી નાંખતા હોય છે અને તે વ્યક્તિને પોતાને એ વાતનું ભાન સુદ્ધાં હોતું નથી….સામું પાત્ર બિચારું ગૂંગળાઈને બેસી રહે…..

આખી ગઝલ મૂકવી હતી પણ બાકીના શેર એટલા મજબૂત નથી અને વળી મારે આ શેરને પૂરતી સ્પેસ આપવી હતી.

Comments (1)

……..नहीं देखा – પરવીન શાકિર

बिछड़ा है जो इक बार तो मिलते नहीं देखा
इस ज़ख़्म को हम ने कभी सिलते नहीं देखा

બિછડનાર ફરીને મળતો નથી…આ ઝખ્મ ભરાતો નથી

इक बार जिसे चाट गई धूप की ख़्वाहिश
फिर शाख़ पे उस फूल को खिलते नहीं देखा

અર્થાત – એકવાર દૌલતની ચમક આંખને આંજી નાખે, પછી એમાં કોમળ લાગણીને પારખવાની શક્તિ નથી રહેતી. “પૂરબ ઔર પશ્ચિમ ” પિક્ચરનું ગીત યાદ આવી જાય – ” નઝર મેં સિતારે જો ચમકે ઝરા, બૂઝાને લગી આરતી કા દિયા ”

यक-लख़्त गिरा है तो जड़ें तक निकल आईं
जिस पेड़ को आँधी में भी हिलते नहीं देखा

એકાએક એવું ઉખડયું કે મૂળસોતું પડી ગયું, એ વૃક્ષ કે જે આંધીમાં તસુભર હાલ્યું નહોતું…. – પાષાણને તલવાર ન તોડી શકે, કુમળા છોડના મૂળિયાં પાષાણને વીંધી નાખે ! બીજા અર્થમાં, પરાયાના ઘા સહી શકાય, પોતીકાની એક ટપલી આપણને મૂળસોતા જમીનદોસ્ત કરી દે.

काँटों में घिरे फूल को चूम आएगी लेकिन
तितली के परों को कभी छिलते नहीं देखा

આ શેર શિરમોર છે. આ શેરને ખાતર આખી ગઝલ અહીં મૂકી છે. વાહ !!

किस तरह मिरी रूह हरी कर गया आख़िर
वो ज़हर जिसे जिस्म में खिलते नहीं देखा

એ ઝેર એવું હતું જે માત્ર આત્મા પર જ અસર કરી ગયું. એ શરીર પર અસર બેઅસર રહ્યું. અર્થાત – સનમનો પ્રહાર એવો આકરો હતો કે તેણે સીધો આત્મા પર જ આઘાત કર્યો…..

– પરવીન શાકિર

Comments (2)

नहीं किया – પરવીન શાકિર

हम ने ही लौटने का इरादा नहीं किया
उस ने भी भूल जाने का वा’दा नहीं किया

ભાષા સરળ છે, અર્થ ગહન છે. ગઝલનો સૂર વ્યાખ્યાયિત કરે છે.

 

दुख ओढ़ते नहीं कभी जश्न-ए-तरब में हम
मल्बूस-ए-दिल को तन का लबादा नहीं किया

આનંદના પ્રસંગે અમે દુ:ખ ઓઢી ફરતા નથી, હ્ર્દયની સ્થિતિ ચહેરા ઉપર આવવા દેતા નથી.

 

जो ग़म मिला है बोझ उठाया है उस का ख़ुद
सर ज़ेर-ए-बार-ए-साग़र-ओ-बादा नहीं किया

જે દર્દ મળ્યું છે તેનો બોજો જાતે જ ઉઠાવ્યો છે, જાતને નશામાં ડૂબાડી નથી દીધી [ escapism નથી આચર્યું ]

 

कार-ए-जहाँ हमें भी बहुत थे सफ़र की शाम
उस ने भी इल्तिफ़ात ज़ियादा नहीं किया

જુદાઈની ઘડીએ દુન્યવી કામો અમને પણ ઘણા હતા, અને એણે પણ ખાસ ધ્યાન ન આપ્યું…..

 

आमद पे तेरी इत्र ओ चराग़ ओ सुबू न हों
इतना भी बूद-ओ-बाश को सादा नहीं किया

તારા આગમન પર તારું સ્વાગત પણ ન થાય, એ હદે મારુ આંગણું બેરંગ નથી કરી દીધું. [ સ્વાગત હશે, પણ ઉમળકો નહિ હોય…..]

– પરવીન શાકિર

[ ગુજરાતી ભાવાનુવાદ છે ]

ક્યાંક કૈંક તૂટી ગયું……. કોનો વાંક – એનો કોઈ અર્થ નથી. કદી અર્થ હોતો પણ નથી. સંબંધ તૂટે પછી જે બચે તે સંબંધની લાશ હોય છે, જેનો ગુણધર્મ જ કોહવાવું છે…. ચિત્કારને છાતીમાં ધરબીને જીવતા રહેવું – એ જ બાકી રહે છે.

Comments (3)

अब कौन से मौसम से – परवीन शाकिर

अब कौन से मौसम से कोई आस लगाए
बरसात में भी याद जब न उनको हम आए

मिटटी की महक साँस की ख़ुश्बू में उतर कर
भीगे हुए सब्जे की तराई में बुलाए                 [ सब्जे की तराई = ઘાસની પથારી ]

दरिया की तरह मौज में आई हुई बरखा
ज़रदाई हुई रुत को हरा रंग पिलाए                 [ ज़रदाई – અર્થ મળતો નથી ]

बूँदों की छमाछम से बदन काँप रहा है
और मस्त हवा रक़्स की लय तेज़ कर जाए

शाखें हैं तो वो रक़्स में, पत्ते हैं तो रम में            [ रक़्स = નૃત્ય, रम = આનંદમય ]
पानी का नशा है कि दरख्तों को चढ़ जाए         [ दरख्तों = વૃક્ષ ]

हर लहर के पावों से लिपटने लगे घूँघरू
बारिश की हँसी ताल पे पाज़ेब जो छंकाए          [ पाज़ेब = पायल ]

अंगूर की बेलों पे उतर आए सितारे
रुकती हुई बारिश ने भी क्या रंग दिखाए

– परवीन शाकिर

અમારી પ્રિય કવયિત્રીની એક વધુ રમણીય રચના…..વેદનાને કેટલી નઝાકતથી બયાન કરી છે !!!

Comments (4)

(એની વહુ સજાવીશ હું) – પરવીન શાકિર (અનુ.: વિવેક મનહર ટેલર)

કમાલ ધૈર્યની ખુદ પણ ચકાસી જોઈશ હું,
આ મારા હાથથી એની વહુ સજાવીશ હું.

કરીને ચાંદનીના હાથમાં એને સુપ્રત
તરત આ ઘરના તિમિરમાં જ પાછી આવીશ હું.

શરીરની તડપ એની સમજમાં નહીં આવે,
રડીશ દિલમાં, ને આંખોમાં મુસ્કુરાઈશ હું.

એ શું ગયો કે નિકટતાની સૌ મજાય ગઈ,
રિસાવું કોનાથી, કોને હવે મનાવીશ હું?

હવે તો એની કળા બીજા સાથે થઈ સંબદ્ધ,
રે! એકલામાં નઝમ કોની ગણગણાવીશ હું?

નનામા જેટલોયે નહોતો એ સંબંધ છતાં
હજીય એના ઈશારે આ શિર ઝૂકાવીશ હું.

ગુલાબ સાથે બિછાવ્યું હતું મેં મારું વજૂદ,
એ સૂઈને ઊઠે તો સ્વપ્નોની રાખ ઊઠાવીશ હું.

જો સાંભળું તો ફકત શ્વાસ ગાઢ જંગલના,
અવાજ તારો કદી પણ ન સુણવા પામીશ હું.

બહાનું શોધી રહ્યો’તો નવી મહોબ્બતનું
કહી રહ્યો’તો એ કે એને તો વિસારીશ હું.

– પરવીન શાકિર
(અનુ.: વિવેક મનહર ટેલર)

પરવીન શાકિરની એક ખૂબસુરત અને લબ્ધપ્રતિષ્ઠ રચનાનો સાછંદ પદ્યાનુવાદ.

कमाल-ए-ज़ब्त को ख़ुद भी तो आज़माऊँगी
मैं अपने हाथ से उस की दुल्हन सजाऊँगी

सुपुर्द कर के उसे चाँदनी के हाथों में
मैं अपने घर के अँधेरों को लौट आऊँगी

बदन के कर्ब को वो भी समझ न पाएगा
मैं दिल में रोऊँगी आँखों में मुस्कुराऊँगी

वो क्या गया कि रिफ़ाक़त के सारे लुत्फ़ गए
मैं किस से रूठ सकूँगी किसे मनाऊँगी

अब उस का फ़न तो किसी और से हुआ मंसूब
मैं किस की नज़्म अकेले में गुनगुनाऊँगी

वो एक रिश्ता-ए-बेनाम भी नहीं लेकिन
मैं अब भी उस के इशारों पे सर झुकाऊँगी

बिछा दिया था गुलाबों के साथ अपना वजूद
वो सो के उट्ठे तो ख़्वाबों की राख उठाऊँगी

समाअ’तों में घने जंगलों की साँसें हैं
मैं अब कभी तिरी आवाज़ सुन न पाऊँगी

जवाज़ ढूँड रहा था नई मोहब्बत का
वो कह रहा था कि मैं उस को भूल जाऊँगी

– परवीन शाकिर

Comments (19)

શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર (અનુ. વિવેક મનહર ટેલર)

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
.          શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
.          આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
.          વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
.          ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
.          પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
.          ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
.          જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
.          શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
.          વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
.          મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
.          ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
.          મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
.          રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
.          આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
.          વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
.          ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)

પાકિસ્તાનની ધરતી પર જન્મેલી, બેહદ ખૂબસુરત અને અકાળે મૃત્યુ પામેલી મુસલમાન શાયરા પરવીન શાકિરની નખશિખ કૃષ્ણપ્રેમની નઝ્મનો અનુવાદ આજે માજે માણીએ. પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि  અને ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે.

श्याम! मै तोरी गईयाँ चराऊँ

आँख जब आईने से हटाई
.          श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
.          देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
.          आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
.          किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
.          प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
.          पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
.          जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
.          क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
.          बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
.          और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
.          फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
.          मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
.          राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
.          ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
.          बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
.          या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

Comments (5)

बझम-ए-उर्दू : 07 : कू-ब-कू फैल गई बात शनासाई की – परवीन शाकिर

कू-ब-कू फैल गई बात शनासाई की
उस ने ख़ुशबू की तरह मेरी पज़ीराई की

कैसे कह दूँ कि मुझे छोड़ दिया है उस ने
बात तो सच है मगर बात है रुस्वाई की

वो कहीं भी गया लौटा तो मिरे पास आया
बस यही बात है अच्छी मिरे हरजाई की

उस ने जलती हुई पेशानी पे जब हाथ रखा
रूह तक आ गई तासीर मसीहाई की

तेरा पहलू तेरे दिल की तरह आबाद रहे
तुझ पे गुज़रे न क़यामत शब-ए-तन्हाई की

अब भी बरसात की रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की

– परवीन शाकिर

(कू-ब-कू – ચોતરફ; शनासाई – ઓળખાણ, મુલાકાત; पज़ीराई – સ્વીકાર; रुस्वाई – બદનામી;शब-ए-तन्हाई – ઘોર એકલતા; पेशानी – કપાળ, the forehead, तासीर – અસર, ખાસિયત; मसीहाई – સંજીવની શક્તિ; पहलू = પડખું; शब-ए-तन्हाई = એકલતાની રાત)

Parveen Shakir’s recitation:

Raj Kumar Rizvi

MEHDI HASSAN

મુલાકાતથી શરૂ થઈને વિરહ તરફ લઈ જતી આ ગઝલ વાચકને પણ ઘોર એકલતાનો ‘સ્પર્શ’ કરાવી જાય છે. પ્રિયજનનું ફરીફરીને ફરી પોતાની પાસે જ આવવાનાં હરખનું ખોખલું આશ્વાસન.. તો પોતે ત્યજાવાનું દર્દ સહન કરીને પણ એ માટે પ્રિયજનને બદનામ ન કરવાની જીદ… પોતાને મળેલી ઘોર એકલતા એને ન મળે એવી પ્રાર્થના…. છતાં અધૂરી ઈચ્છાઓની અંગડાઈ. પરવિનની ઘણી વૈવિધ્ય અને વિશિષ્ટતાથી ભરપૂર ગઝલોમાંની એક ગઝલ.

પાકિસ્તાનની બહુ મોટા ગજાની કવયિત્રી એટલે પરવીન શાકીર (1952-1994). શબ્દથી અતિ મુલાયમ પણ મિજાજથી અતિ મજબૂત પરવીન શાકિરે માત્ર ૨૪ વરસની ઉંમરે ગઝલપ્રેમીઓને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખુશબૂ’ આપ્યો હતો. ત્યારબાદ ‘સદબર્ગ’, ‘ખુદ ગુલામી’, ‘માહ-એ-તમામ’ જેવા અન્ય સંગ્રહો પણ આપ્યા હતા. સર્જંનક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી સાવ અળગા અને ઘણા આગળ હતા. એમણે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કરીને પછી કસ્ટમ વિભાગમાં જોડાયેલા. પરવિને ગઝલ-નઝમને અપનાવીને સ્ત્રી-સર્જક તરીકે પોતાના યુગનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરવીન શાકીર પાકિસ્તાન સરકારનાં સિવિલ સર્વન્ટ હતાં, જેનું ઇસ્લામાબાદ જતાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે અસત્યના ફરિસ્તાઓએ પરવીનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. કદાચ એટલે જ એમણે એવું લખ્યું હશે કે ‘હું સત્ય બોલીશ છતાંય હું હારી જઈશ એ ખોટું બોલશે તો પણ અસત્યને લાજવાબ કરી દેશે.’

પરવીન કવિતા લખતી ન્હોતી, કવિતા જીવતી હતી. પરવીન એવી કેટલાક સ્ત્રીસર્જકોમાંની એક છે કે જેમણે શબ્દને સાધન બનાવીને પોતાના અસ્તિત્વનો અધિકાર માંગ્યો છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સહજ બાબત છે જે એમના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી ભારોભાર રેલાય છે. આ લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડા નહીં, પરંતુ ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષિપ્ત મનોદશા. સ્વાભાવિકપણે જ સ્ત્રીસંવેદના એ એમની કવિતાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આ કહેવાતી વિદ્રોહી કવયિત્રી ધર્મની સંકુચિત માન્યતામાંથી પોતાને અળગી રાખીને ગોપીભાવે લખે છે- “યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા, યું સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.”

Comments (3)

ગઝલ – પરવીન શાકિર (અનુ. હિતેન આનંદપરા )

કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી

આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી

બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી

એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી

હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી

 

જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી. ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.

પ્રસ્તુત ગઝલ તેની શ્રેષ્ઠ ગઝલમાંની એક તો નથી જ નથી પરંતુ ભાવકોને આ મોટા ગજાની શાયરાની એક ઝલક મળે તે અર્થે રજૂ કરી છે. આમપણ કાવ્યનું ભાષાંતર દુષ્કર હોય છે અને વળી તે પણ છંદમાં તો અતિદુષ્કર. ગઝલનો મિજાજ ભાગ્યે જ સાચવતો હોય છે. પરવીનનો આ એક શેર જુઓ- તરત તેની શક્તિનો આપને અંદાજ આવી જશે-

आतिश-ए-जां से कफस आप ही जल जाना था
कुफ़्ल-ए-ज़िंदा ! तेरा मक्सूम पिघल जाना था
[ આ અસ્તિત્વના આખા કેદખાનાને તો જિંદગીની ગરમીથી પીગળવાનું જ હતું. હે કારાગાર ના તાળા ! પીગળી જવું તારું ભાગ્ય જ હતું……]

Comments (13)