કવિતા લખવાનું કામ – જયંત પાઠક
આ કવિતા લખવાનું કામ સારું:
એમાં સમયનું ભાન રહેતું નથી
ને દરમિયાન કોઈ કામ કરવાનું કહેતું નથી!
વારુ…)
—પછી એક કમલ ઊઘડે છે
દલદલમાં રક્તરંગ લઈને
સૂર્યના પ્રકાશને ઝીલતું ઝીલતું ખીલતું ખીલતું
એ સ્વયં સૂર્ય થઈ જાય છે!
સૂર્યકમલ — કે કમલસૂર્ય — પર પછી
એક અંધારો ભમરો
—ગુનગુનનો જ બનેલો નર્યો—
ઊડતો ઊડતો આવીને બેસે છે
. ગર્ભમાં પ્રવેશે છે
ને બિડાય છે કમલ
—હોઠ જેવું દલદલ
ભીતર, મૌનમાં ઊઘડવા—
– જયંત પાઠક
(૧૫-૩-૨૦૧૯)
સોથી પણ વધારે વરસ પહેલાં લખાયેલી કવિતા. જયંત પાઠકે કવિતા કરવા-ન કરવા વિશે ઘણી કવિતા કરી છે. એમાં આ વધુ એકનો ઉમેરો… એકવાર વાંચો… બે વાર વાંચો… ત્રણવાર… ધીમેધીમે આ કવિતામાં રહેલી કવિતાનું મૌન આપની સાથે ગુફ્તેગૂ માંડશે એ નક્કી…

