આવો અગર ન આવો – નિરંજન ભગત
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદાય આવો એવી અમારી અરજી!
આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છે સરજી!
ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જીવાશે? -એવા અમે ન ગરજી!
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી!
– નિરંજન ભગત
(મે ૧૯૫૭)
ગુજરાતી કવિતામાં એક યુગ નિરંજન-રાજેન્દ્રનો ગણાય છે. કવિતાની નીચે નિરંજન ભગત જેવા યુગપ્રવર્તક કવિનું નામ લખ્યું હોય ત્યારે ભાવક સહેજે સાવધ થઈ કાવ્યપ્રવેશ કરે. પણ મોટા ગજાના કવિનેય ગાંઠે તો એ વળી કવિતા શાની? આ સંદર્ભમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે સિતાંશુ યશશ્ચંદ્રનું સ્મરણ થાય છે: “કવિતા કઈ રીતે રચાઈ છે એની કવિને જરા જેટલી જ ખબર હોય છે. પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે એની બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે, કાવ્યની યદૃચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. પ્રવાસરેખા- બિલકુલ કોન્ફિડેન્શિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ. એટલું નક્કી. એ માન્યતા ભૂલ ભરેલી છે કે કવિ કવિતા compose કરે છે, ખરેખર તો કવિતા જ કવિને compose કરે છે.”
સાચે જ, હૃદયની ઊર્મિ કવિના મગજને કોરાણે મૂકીને સીધી કાગળ પર જ ઢોળાઈ જાય ત્યારે અને ફક્ત ત્યારે જ આવું સહજ-સાધ્ય ગીત આપોઆપ લખાઈ જાય. કવિએ ગીત લખવા માટે ગઝલનો દ્વિખંડી છંદ પ્રયોજ્યો છે એ વાત પણ ધ્યાનાર્હ છે.


દીપક વાલેરા said,
August 21, 2025 @ 1:16 PM
વાહ
વ્રજેશ મિસ્ત્રી said,
August 21, 2025 @ 1:24 PM
વાહ… મરજી કા. જવાબ નહી!
Aarti Antrolia said,
August 21, 2025 @ 2:14 PM
એવા અમે ન ગરજી.
વાહ! કવિની ખુદ્દારી.
Parbatkumar nayi said,
August 21, 2025 @ 2:20 PM
વાહ મજાનું ગીત
Dr. Vrajlal Savaliya said,
August 21, 2025 @ 6:02 PM
વાહ શું શબ્દોનો પ્રાસ અને અર્થ, અદ્ભુત!!
Dr. Vrajlal Savaliya said,
August 21, 2025 @ 6:04 PM
કવિની કારીગરી માટે શબ્દો નથી.
જયેશ ભટ્ said,
August 21, 2025 @ 8:15 PM
સરસ રચના
Poonam said,
August 21, 2025 @ 8:45 PM
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી! Kyaa baat !
– નિરંજન ભગત – (મે ૧૯૫૭)
Aasawad pan swadisth sir ji 🙏🏻
Ramesh Maru said,
August 21, 2025 @ 9:17 PM
વાહ…
Dhruti Modi said,
August 22, 2025 @ 7:27 AM
વાહ, નાનકડી પણ ગજબની કવિતા !
આવો કે ના આવો તમારી મરજી
જોકે સદાય આવો એવી અમારી મરજી
વાહ, 👌👌👍
Pragna vashi said,
August 22, 2025 @ 7:43 AM
ખૂબ સરસ ગીત
કવિની અને એ પણ નિરંજન ભગતની , વાહહહ
સરળ શબ્દોમાં સાવ સહજ રીતે એમની વાત મુકી આપી.
Aasifkhan said,
August 22, 2025 @ 11:58 AM
વાહ
Dipak Peshwani said,
August 24, 2025 @ 6:04 PM
વાહ વાહ વાહ..
Sejal Desai said,
August 25, 2025 @ 4:04 PM
વાહ વાહ
એવા અમે ન ગરજી 👌👌