ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
અનિલ ચાવડા

તમને સમય નથી – બાપુભાઈ ગઢવી

તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !

વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !

રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !

હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !

એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !

– બાપુભાઈ ગઢવી

મનહર ઉધાસના કંઠે હજાર વાર સાંભળેલી આ ગઝલ બાપુભાઈની છે એ વાત અનિલ ચાવડાએ ફેસબુક પર આ રચના મૂકી ત્યારે જ જાણી… ગઝલ આખી જ અદભુત થઈ છે પણ મત્લા તો ગુજરાતી ગઝલના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ મત્લાઓમાં અગ્રેસર સ્થાન પામે એવો મજબૂત થયો છે…

3 Comments »

  1. Lalit Trivedi said,

    September 28, 2018 @ 3:30 AM

    અદભુત

  2. praheladbhai prajapati said,

    September 28, 2018 @ 9:27 PM

    સરસ બિયુતિફુલ્

  3. Neekita said,

    September 29, 2018 @ 4:26 AM

    Please post information about the name of the book by Bapubhai Gadhvi. Also, please share some of his more memorable poetries :

    ફરી ચાલ, નખને અણી કાઢીએ;
    ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ ?

    શરત આવવાની હો તારી અગર;
    બધાં પાન વનનાં ગણી કાઢીએ !

    બધી કોર તારી પ્રતીક્ષા કરી;
    હવે દોટ કોના ભણી કાઢીએ ?

    તને કેવી રીતે ભૂલી જાઈએ ?
    કઈ પેર પગની કણી કાઢીએ ?

    ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
    ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment