ચિંતા થાય – કિરણસિંહ ચૌહાણ
રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.
લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.
બે જણ જ્યારે સરખા થાય,
ચારેબાજુ પડઘા થાય.
ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય.
આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.
– કિરણસિંહ ચૌહાણ
ટૂંકી બહેરની અને સાવ સહજ ભાષામાં લખાયેલી ગઝલ. બધા જ શેર શીરાની જેમ તરત જ ગળે ઊતરી જાય એવા. પરંપરાનો હાથ ઝાલીને ચાલતી હોવા છતાં રચનામાંથી સાંપ્રત સમાજનો પડઘો સંભળાયા વિના રહેતો નથી.
SANDIP PUJARA said,
August 2, 2018 @ 4:26 AM
વાહ… ખરેખર…. વાંચીને મજા આવી ગઈ હો
Poonam said,
August 2, 2018 @ 4:54 AM
લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય…
Waah !
Poonam said,
August 2, 2018 @ 4:57 AM
લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય… Waah !
Pravin Shah said,
August 2, 2018 @ 6:52 AM
સાદી, સીધી, સરળ અનૅ સુન્દર !
ખૂબ ગમી.
Ketan said,
August 2, 2018 @ 10:22 AM
Wah
yogesh shukla said,
August 3, 2018 @ 6:49 PM
શું સુંદર રચના છે !!!!!!
વાહ કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ
એક એક શેર
સવા શેર ,,,,,,,,
Harshad said,
August 5, 2018 @ 1:58 PM
ખૂબજ સુન્દર !
yogesh shukla said,
August 23, 2018 @ 4:28 PM
મારા પ્રિય કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ ની ગઝલ હોય અને એમાં એક એક શેર દમદાર ન હોય એવું બને જ નહિ ,….વાહ કવિ શ્રી કિરણસિંહ ચૌહાણ
શરૂઆત ,
રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.
સમાપન ,
આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.