એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

માપસરના આંસુ – જલન માતરી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

3 Comments »

  1. Rachit said,

    July 3, 2007 @ 10:15 AM

    …પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ…

    સરસ વાત!

  2. ઊર્મિ said,

    July 3, 2007 @ 12:26 PM

    excellent!!

  3. Ankita said,

    January 22, 2009 @ 5:20 AM

    No words no Express..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment