શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.
વિવેક મનહર ટેલર

બંધ – ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ
અનુ. શૂન્ય પાલનપુરી

9 Comments »

  1. sudhir patel said,

    July 27, 2009 @ 9:19 PM

    ખૂબ ગંભીર રુબાઈયાતનો સુંદર અનુવાદ. ઉમર ખૈયામ પણ ‘હું કોણ?” નો સનાતન પ્રશ્ન પૂછે છે અને રાબેતા મુજબ ધર્માલયોના દ્વાર બંધ થઈ જાય છે!! એનો જવાબ જાતે જ જાતમાં શોધવાનો છે.
    સુધીર પટેલ.

  2. urvashi parekh said,

    July 27, 2009 @ 10:13 PM

    હું કોણ છુ?
    એપ્રશ્નો ના જવાબ મળતાજ નથી હોતા,
    આપણે જે માનતા હોઇયે છિયે તે પણ ખોટુ જ નિક્ળે છે.
    સરસ.

  3. anil parikh said,

    July 27, 2009 @ 10:48 PM

    ધમ્ર ઍ પોતાની જાતને પુછવા નો પ્રષ્ન

  4. વિવેક said,

    July 28, 2009 @ 12:08 AM

    સુંદર રૂબાઈ…

  5. manharmody ('મન' પાલનપુરી) said,

    July 28, 2009 @ 1:45 AM

    ચોટદાર રુબાઈ અને એથી યે વધુ જાનદાર ભાવાનુવાદ.

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 28, 2009 @ 5:31 AM

    ‘મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?’
    આવો પ્રશ્ન પૂછવાનો અધિકાર મેળવવા લોહીને પાણી એક કરવાં પડે છે.

  7. pragnaju said,

    July 28, 2009 @ 4:54 PM

    ગહન રુબાઈ
    આધ્યાત્મ જગતનો અનુવવાનો સવાલ…
    હું કોણ?

  8. Umesh Vyas said,

    January 17, 2010 @ 2:02 AM

    અરે આતો ગઝલ કે તત્વગ્નાન્!

    હુ કોન

  9. અમિર અલિ ખિમાણિ said,

    May 6, 2012 @ 11:50 AM

    હુ કોણ આ સ્વાલ યુગ યુગ થિ ચર્ચાય છે.સુફિ સાહિત્યમા હુ અને તે(પર્માત્મા) વિશે કેટ્લાય કાવ્યો મા ચર્ચા થઇ પ્ણ ભેદ જેમ્નો તેમજ છે.આધયાત્મિક વિચાર્કોએ સારો એવો પ્કાશ આ વિશ્ય મા આપ્યોછે હ્જુ વ્ધુ ચર્ચાથિ આપ્ણે સ્મ્જિ શ્કિયે છિયે. ગિતા મા જે ઉપ્દેશ શ્રિ કષ્ને આપ્યુઓ તે આ વિશ્ય્મા સ્મ્જિને મનન અને ચિન્તાન થ્કિ થોડિક સ્મ્જ આવે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment