કાલની વાત પર તું ગેમ ન રમ,
કાલની કોને જાણ છે જ હજી?
- વિવેક મનહર ટેલર

રુદિયે – રમણીક અગ્રાવત

આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.

– રમણીક અગ્રાવત

ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…

4 Comments »

  1. Kiran Jogidas said,

    January 30, 2025 @ 11:47 AM

    Waahh

  2. Ramesh Maru said,

    January 30, 2025 @ 3:50 PM

    વાહ…વંદન

  3. Kajal Shah said,

    January 31, 2025 @ 11:00 AM

    આહા શું વાત કહીં 👌🏻👌🏻👌🏻

  4. Varij Luhar said,

    January 31, 2025 @ 2:23 PM

    Vandan

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment