એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(બેઉ પક્ષે હાર છે) – જાતુષ જોશી

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

– જાતુષ જોશી

સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.

8 Comments »

  1. kishor Barot said,

    August 24, 2024 @ 12:02 PM

    સુંદર ગઝલ

  2. Yogesh Samani said,

    August 24, 2024 @ 12:23 PM

    ખૂબ સરસ ગઝલ.

  3. Asmita Shah said,

    August 24, 2024 @ 12:27 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ

  4. Riyaz langda (mahuva) said,

    August 24, 2024 @ 12:37 PM

    વાહ

  5. gaurang thaker said,

    August 24, 2024 @ 12:47 PM

    વાહહહહહહ…

  6. Pinki said,

    August 24, 2024 @ 12:51 PM

    વાહ ઉત્તમ ગઝલ… દરેક શેર લાજવાબ !!

  7. Mita mewada said,

    August 24, 2024 @ 12:51 PM

    Mast gazal

  8. Aasifkhan Pathan said,

    August 24, 2024 @ 1:13 PM

    વાહ વાહ સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment