અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.
-સાહિલ

દ્વય – વર્ન રુત્સલા (અનુ.: સુરેશ દલાલ)

એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.

– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)

નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.

4 Comments »

  1. હર્ષદ દવે said,

    March 24, 2022 @ 9:47 PM

    જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી. વાહ..
    સરસ અનુવાદ અને કવિતા જેવડો જ ટૂંકો અને સો ટચનો આસ્વાદ.

  2. preetam lakhlani said,

    March 25, 2022 @ 1:23 AM

    પણ હોઠ તો મારા હલે છે, બસ દોસ્ત આ જ કવિતા, સુરેશ દલાલ જેવો કાવ્ય પ્રેમી માણસ આ જગતમાં મલવો મુશ્કેલ, પણ દોસ્ત તમારી કવિતા પ્રત્યેની લાગણીથી સુરેશભાઈનો આત્માં ખુશી થતો હશે! આ એક હકીકત છે!

  3. Harihar Shukla said,

    March 25, 2022 @ 4:52 PM

    પરકાયા પ્રવેશ👌

  4. વિવેક said,

    March 25, 2022 @ 5:38 PM

    પ્રતિભાવનાર મિત્રોનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment