મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.
– પ્રમોદ અહિરે

વિસ્તરી ન શકું – ભરત વિંઝુડા

યુગો સુધી હું તને ચાહતો રહી ન શકું
સૂરજની જેમ ઊગી આથમી ઊગી ન શકું

મરણરૂપે જ મુકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું

તને મળું તે સમય પર્વ જેમ વીતે છે
પછી હું કોઈ તહેવા૨ ઊજવી ન શકું

પરિચિતોય બધાં પંખીઓ સમાં લાગે
હું નામજોગ કોઈનેય ઓળખી ન શકું

અલગ દિશામાં વળી જાય માર્ગ વચ્ચેથી
અને અહીંથી હું પાછો હવે ફરી ન શકું

– ભરત વિંઝુડા

સીધી ને સટ્ટ વાત ! મને જચી ગઈ !

3 Comments »

  1. saryu parikh said,

    October 19, 2021 @ 9:21 AM

    મરણરૂપે જ મુકાઈ ગઈ છે મર્યાદા
    જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું.
    રચના ગમી.
    સરયૂ પરીખ.

  2. pragnajuvyas said,

    October 19, 2021 @ 3:26 PM

    વાહ…
    મજાની રચના
    યાદ આવે
    શું કીધું, વર્ષોની વાટ ફળી એમાં મેં શીદ લીધો આવડોક ઉપાડો?
    બહુ નહિ, ઓ સૈંયાજી! બે જ ઘડી માટે લ્યો, વિરહનો બોજ તો ઉપાડો;
    લગરિક ફરિયાદ નથી, પ્રથમી સાહીને ભલે ઝૂકી ગ્યા મારા બેઉ સ્કંધ
    છું હું તારી જ ને છું અકબંધ.
    ડૉ – વિવેક ની રચના

  3. Maheshchandra Naik said,

    October 19, 2021 @ 10:20 PM

    સરસ, સરળ અને સહજ રચના,
    કવિશ્રીને અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment