ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

નયન કાળાં – કિસ્મત કુરેશી

ભ્રમરના સંગના રંગે નથી થાતાં સુમન કાળાં
ગિરિની શ્યામ છાયાથી કદિ ના થાય વન કાળા.

ગળ્યા જે અંધારે, રંગ પાછા કાઢવા પડશે,
અમાસી રાતથી ના થઈ શકે નીલાં ગગન કાળા.

ઘણીએ ચીજ આલમમાં નથી તજતી અસિલયતને,
વસીને કોલસા વચ્ચે નથી પડતાં રતન કાળા.

નિહાળી હું શકું છું ઉજળાં મન ઓથમાં એની,
નથી ભરમાવી શકતાં મારી દૃષ્ટિને વદન કાળાં.

કહે છે કોણ કે કાળાશ પણ મોહક નથી હોતી?
રૂપાળા હર વદન પરનું આકર્ષણ નયન કાળાં.

રખે સાબિત કરે મરનારનાં એ કામ કાળાંને ,
જગત એથી જ કોઈને નથી દેતું કફન કાળાં.

તિખારાને રુપાળા રંગ સાથે શી અદાવત છે?
કે ‘કિસ્મત’, આગ ચાંપી એ કરી દે છે ચમન કાળાં.

– કિસ્મત કુરેશી

પરંપરાના શાયરની સાદ્યંત સુંદર રચના…

1 Comment »

  1. Nilesh Rana MD said,

    September 14, 2019 @ 2:31 PM

    Very beautiful New thinking Congrats

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment